અધિક શ્રાવણ મહિનામાં શિવની પૂજામાં અલગ અલગ શિવની આકૃતિ બનાવી રોજ કરવામાં આવે છે પુજા
ગાંધીનગરના આ સંતોષી માતાના મંદિરે રોજ માટીના શિવલિંગ, રામ ધનુષ, શિવ બાણ, વિષ્ણુ ભગવાન, સુદર્શન ચક્ર, જેવા વિવિધ પ્રકારના માટીની કલા ક્રુતિ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ અલગ અલગ કૃતિની પૂજાની પણ કેટલીક વિશેષતા છે. જેમ કે શિવ ધનુષની ભગવાન શિવ પાર્થેશ્વર સ્વરૂપ, ધનુષ્ય (શનિ) યંત્રની પુજા થી ન્યાય માર્ગની પ્રાપ્તિ થાય છે.

સૂર્ય યંત્રથી ભગવાન શિવના પાર્થેસ્વર સ્વરૂપ સુર્ય યંત્ર સાથે આત્મબલ (સેલ્ફ કોન્ફિડન્સ) ની પ્રાપ્તિ થાય તે માટે શુભ માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના ગુરુવારના શુભ દિવસે ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ, બ્રહસ્પતિ યંત્રની પુજા થી બાળકોને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.

અધિક શ્રાવણ માસના બુધવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.