કાનુની સવાલ : ભારતમાં કોની ધરપકડ ન થઈ શકે ? કાયદો શું કહે છે તે જાણો
ભારતમાં કાનુન બધા માટે સરખા છે, પરંતુ કેટલાક સંવૈધાનિક પદો પર બેસેલા લોકોને સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવી છે. જાણો ક્યા લોકોને તેના કાર્યકાળ દરમિયાન ધરપકડ કરી શકાય નહી, જાણો કેમ ?

ભારતમાં કાનુન વ્યવસ્થા આ સિદ્ધાંત પર આધારિત છે કે, તમામ નાગરિકો કાનુન સમાન બરાબર છે. પોલીસને શંકા અથવા ગુનાના પુરાવાના આધારે વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર છે. જોકે, ભારતીય બંધારણ કેટલાક ઉચ્ચ બંધારણીય હોદ્દાઓને વિશેષ રક્ષણ પૂરું પાડે છે, જેથી તેઓ દબાણ, ધાકધમકી અથવા રાજકીય હસ્તક્ષેપ વિના તેમની ફરજો બજાવી શકે. આ જ કારણ છે કે, ધરપકડના નિયમો દરેકને સમાન રીતે લાગુ પડતા નથી.

સામાન્ય ધારણ એ છે કે, પોલીસ કોઈ પણની ધરપકડ કરી શકે છે પરંતુ આવું નથી. ધરપકડ યોગ્ય પુરાવા, કારણ અને કાનુની પ્રકિયા જરુરી હોય છે. આ સિવાય કેટલાક સંવૈધાનિક પદો પર બેસેલા લોકોને કાર્યકાળ દરમિયાન સ્પેશિયલ છુટ આપવામાં આવી છે. આ છુટ તેના પદની ગરિમા અને જવાબદારીઓને ધ્યાનમાં રાખી આપવામાં આવે છે. જેનાથી કોઈ કાનુની દબાલમાં નિર્ણય લઈ શકે નહી.

ભારતના રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ સંવૈધાનિક પદ પર હોય છે. બંધારણની કલમ 361 હેઠળ રાષ્ટ્રપતિને અનેક પ્રકારની કાનુની સુરક્ષા આપવામાં આવી છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રાષ્ટ્રપતિ કોઈપણ બાહ્ય દબાણ વિના સંપૂર્ણ સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સાથે પોતાના કાર્યો કરી શકે.

કલમ 361 મુજબ રાષ્ટ્રપતિને તેના કાર્યકાળ દરમિયાન કોઈ પણ કેસમાં ધરપકડ કરી શકાય નહી. આટલું જન હી તેના વિરુદ્ધ કોઈ ગુનો કે કાર્યવાહી સીધી શરુ કરી શકાય નહી. આ કાનુન એટલા માટે બનાવવામાં આવ્યો છે કે, દેશના સર્વોચ્ચ પદની ગરિમા જળવાય રહે અને કાર્યમાં કોઈ અડચણ ન થાય.

જો રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોઈ ગંભીર આરોપ સામે આવે છે. તો તેના વિરુદ્ધ સીધો કેસ નોંધી શકાય નહી. આ માટે સંવિધાન મહાભિયોગની પ્રકિયા નક્કી કરવામાં આવી છે. સંસદના બંન્ને સદનની સહમતિથી રાષ્ટ્રપતિને પદ પરથી દુર કરી શકાય છે. પદ પરથી દુર કર્યા બાદ તેના વિરુદ્ધ સામાન્ય નાગરિકની જેમ કાર્યવાહી થઈ શકે છે.

રાજ્યપાલ જે કોઈ પણ રાજયના સંવૈધાનિક પ્રમુખ હોય છે. તેને પણ કલમ 361 હેઠળ રાષ્ટ્રપતિનું સન્માનની કાનુની સુરક્ષા મળે છે. આ સુરક્ષા એટલા માટે આપવામાં આવે કે, તે રાજ્યમાં નિષ્પક્ષતાની સાથે પોતાની જવાબદારી નિભાવી શકે, તેમજ કોઈ પણ પ્રકારની કાનુની દબાવમાં ન આવે.

રાજ્યપાલ ને પણ તેના કાર્યકાળ દરમિયાન ધરપકડ કરી શકાય નહી. તેના વિરુદ્ધ કોઈ અપરાધિક કાર્યવાહી સીધી શરુ કરી શકાય નહી. આ સુરક્ષ માત્ર તેના પદમાં રહેતા જ લાગુ પડે છે. જેવો તેનો કાર્યકાળ પૂર્ણ થાય તો તે પદ છોડે છે. તો તેના વિરુદ્ધ સામાન્ય કાનુની પ્રકિયા હેઠળ કાર્યવાહી કરી શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
