PGમાં ભાડૂઆત અને માલિકના શું અધિકારો છે ? રેન્ટ એગ્રીમેન્ટ અને સિક્યોરિટી ડિપોઝિટ સંબંધિત નિયમો અને કાનુન જાણો
ભારતમાં ભાડૂઆત અને મકાન માલિક બંન્ને પાસે અનેક કાનુની અધિકાર હોય છે. તમને આના વિશે સંપુર્ણ જાણકારી હોવી જરુરી છે. ભાડૂઆતને લેખિત રેન્ટ એગ્રીમેન્ટ લેવાનો સંપુર્ણ અધિકાર છે. તો ચાલો આ વિશે વિસ્તારથી કાનુન જાણીએ.

નોકરી કે ધંધા માટે અન્ય શહેરમાં જવું એ સામાન્ય વાત છે. ત્યારે પીજી કે ફ્લેટ કે પછી કોઈ રુમ ભાડે રાખવામાં આવે છે. પરંતુ કેટલીક વખત એવું થાય છે કે, ઘર ખાલી કર્યા બાદ મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટ પરત આપતા નથી. નોટિસ વગર ઘર ખાલી કરવાનું કહે છે. કે પછી અચાનક ઘરનું ભાડું પણ વધારી દેવામાં આવે છે.

આ સમયે ભાડૂઆતને સમજાતું નથી કે, તેમણે શું કરવું જોઈએ. છોકરીઓ માટે ચિંતાઓ ખુબ વધી જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતમાં ભાડૂઆત અને મકાનમાલિક બંન્ને પાસે અનેક કાનુની અધિકારો છે. જેના વિશે તમને જરુર જાણ હોવી જોઈએ.

મકાનમાલિકના અધિકારો પણ જાણીએ.સમયસર ભાડું વસૂલવાનો અધિકાર,ભાડું ચૂકવવામાં ન આવે તો કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર છે. જો એક થી બે મહિનાની નોટિસ આપીને ઘર ખાલી કરવાનો અધિકાર પણ મકાનમાલિક પાસે છે. કરાર મુજબ વાર્ષિક ધોરણે ભાડું વધારી શકાય છે.પોલીસ વેરિફિકેશન કરાવવાની તેમની જવાબદારી છે.

પીજી અથવા ફ્લેટ ખરીદતી વખતે ભાડૂતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઘરની સ્થિતિ, વેન્ટિલેશન, પાણી અને બાથરૂમ તપાસો.કરારને સારી રીતે વાંચો, ભાડું, ડિપોઝિટ અને મેન્ટેન્સ જેવી વિગતો માટે બધું સ્પષ્ટપણે જણાવવું જોઈએ. રહેવા જતા પહેલા રૂમના ફોટા/વિડિયો લઈ લો.જો શક્ય હોય તો એક મકાનમાલિકને પણ વીડિયો મોકલી દો અને આ વીડિયો તમારી પાસે સાચવીને રાખો,

કારણ કે, જો મકાન માલિક ઘર ખાલી કરતી વખતે કોઈ ખોટા આરોપ લગાવે તો આ વીડિયો પ્રુફ તરીકે તમે દેખાડી શકો. બીજી વાત એગ્રીમેન્ટની એક કોપી તમારી પાસે રાખો. શક્ય હોય તો તમે ભાડુ પણ ઓનલાઈન આપો. જેથી તમે તમામ રેકોર્ડ રાખી શકો. મકાનમાલિક કાંઈ ખોટું બોલી શકે નહી.

જો તમે પીજી કે ભાડાના મકાનમાં રહો છો અને મકાનમાલિક તમને સિક્યોરિટી ડિપોઝિટ આપવાની ના પાડે છે. તો તમે રેન્ટ એથોરિટી કે પછી રેન્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકો છો. વકીલ દ્વારા તમે લીગલ નોટિસ પણ મોકલી શકો છો. તમામ પ્રુફ, રેકોર્ડ અને ચેટ કે પછી ફોટો સાચવીને રાખો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
