AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પોલીસ તમને પકડે તો શું તરત જામીન મળી જાય? જાણો કાયદો શું કહે છે

કાનુની સવાલ: પોલીસ દ્વારા ધરપકડ થવી કોઈપણ સામાન્ય માણસ માટે ખૂબ મોટો આઘાત સમાન હોય છે. આવા સમયે મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે શું મને તરત જ જામીન મળી જશે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ભારતીય કાયદામાં જામીનની જોગવાઈઓ સમજવી જરૂરી છે.

| Updated on: Aug 26, 2025 | 2:27 PM
Share
ભારતમાં કાયદો દરેક વ્યક્તિને પોતાના બચાવનો અધિકાર આપે છે. પરંતુ જામીન તરત મળે કે નહીં તે ગુનાના સ્વરૂપ પર આધાર રાખે છે. ભારતીય ફોજદારી કાયદા મુજબ ગુનાઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે – જામીનપાત્ર (Bailable Offence) અને બિનજામીનપાત્ર (Non-Bailable Offence).

ભારતમાં કાયદો દરેક વ્યક્તિને પોતાના બચાવનો અધિકાર આપે છે. પરંતુ જામીન તરત મળે કે નહીં તે ગુનાના સ્વરૂપ પર આધાર રાખે છે. ભારતીય ફોજદારી કાયદા મુજબ ગુનાઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે – જામીનપાત્ર (Bailable Offence) અને બિનજામીનપાત્ર (Non-Bailable Offence).

1 / 7
જામીનપાત્ર ગુનાઓ: જો કોઈ વ્યક્તિ સામે આવો ગુનો નોંધાયો છે જે જામીનપાત્ર છે, તો પોલીસ વ્યક્તિને કોર્ટ સુધી લઈ જતાં પહેલાં પણ જામીન પર છોડી શકે છે. આવા કેસોમાં જામીન એક અધિકાર સમાન છે. ઉદાહરણ તરીકે નાની ઝપાઝપી, નાના પ્રકારની ચોરી કે રોડ ટ્રાફિક સંબંધિત ગુનાઓમાં જામીન સરળતાથી મળી જાય છે.

જામીનપાત્ર ગુનાઓ: જો કોઈ વ્યક્તિ સામે આવો ગુનો નોંધાયો છે જે જામીનપાત્ર છે, તો પોલીસ વ્યક્તિને કોર્ટ સુધી લઈ જતાં પહેલાં પણ જામીન પર છોડી શકે છે. આવા કેસોમાં જામીન એક અધિકાર સમાન છે. ઉદાહરણ તરીકે નાની ઝપાઝપી, નાના પ્રકારની ચોરી કે રોડ ટ્રાફિક સંબંધિત ગુનાઓમાં જામીન સરળતાથી મળી જાય છે.

2 / 7
બિનજામીનપાત્ર ગુનાઓ: બીજી તરફ, જો ગુનો ગંભીર છે જેમ કે હત્યા, રેપ, આતંકવાદ, નશીલા પદાર્થોની હેરફેર અથવા સમાજને મોટું નુકસાન પહોંચાડે એવા ગુનાઓ, તો આવા કેસોમાં તરત જામીન મળતા નથી. આવા કેસોમાં કોર્ટમાં અરજી કરવી પડે છે અને કોર્ટના વિચાર પછી જ જામીન મળવાની શક્યતા રહે છે.

બિનજામીનપાત્ર ગુનાઓ: બીજી તરફ, જો ગુનો ગંભીર છે જેમ કે હત્યા, રેપ, આતંકવાદ, નશીલા પદાર્થોની હેરફેર અથવા સમાજને મોટું નુકસાન પહોંચાડે એવા ગુનાઓ, તો આવા કેસોમાં તરત જામીન મળતા નથી. આવા કેસોમાં કોર્ટમાં અરજી કરવી પડે છે અને કોર્ટના વિચાર પછી જ જામીન મળવાની શક્યતા રહે છે.

3 / 7
પોલીસ અને કોર્ટની ભૂમિકા: પોલીસ પાસે અધિકાર છે કે તે જામીનપાત્ર ગુનામાં વ્યક્તિને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી શકે. પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં માત્ર કોર્ટ જ નિર્ણય લઈ શકે છે કે જામીન આપવો કે નહીં.

પોલીસ અને કોર્ટની ભૂમિકા: પોલીસ પાસે અધિકાર છે કે તે જામીનપાત્ર ગુનામાં વ્યક્તિને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી શકે. પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં માત્ર કોર્ટ જ નિર્ણય લઈ શકે છે કે જામીન આપવો કે નહીં.

4 / 7
તમારા અધિકારો: ધરપકડ સમયે દરેક નાગરિકને પોતાના કાયદાકીય અધિકારો વિશે જાણ હોવી જોઈએ. ભારતીય બંધારણની કલમ 22 હેઠળ દરેક આરોપીને વકીલ રાખવાનો અધિકાર છે અને કોર્ટ સામે તરત હાજર કરવાની ફરજ પોલીસ પર છે.

તમારા અધિકારો: ધરપકડ સમયે દરેક નાગરિકને પોતાના કાયદાકીય અધિકારો વિશે જાણ હોવી જોઈએ. ભારતીય બંધારણની કલમ 22 હેઠળ દરેક આરોપીને વકીલ રાખવાનો અધિકાર છે અને કોર્ટ સામે તરત હાજર કરવાની ફરજ પોલીસ પર છે.

5 / 7
અહીંયા સ્પષ્ટ થાય છે કે ધરપકડ બાદ તરત જામીન મળી જશે એવું જરૂરી નથી. તે તમારા પર લાગેલા આરોપના સ્વરૂપ અને ગુનાની ગંભીરતા પર આધાર રાખે છે. જો ગુનો જામીનપાત્ર છે તો તરત છૂટી શકો છો, પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં કોર્ટની મંજૂરી બાદ જ જામીન મળે છે. કાયદો દરેક વ્યક્તિને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યો છે, એટલે તમારા અધિકારોને ઓળખો અને કાયદાકીય મદદ સમયસર લો.

અહીંયા સ્પષ્ટ થાય છે કે ધરપકડ બાદ તરત જામીન મળી જશે એવું જરૂરી નથી. તે તમારા પર લાગેલા આરોપના સ્વરૂપ અને ગુનાની ગંભીરતા પર આધાર રાખે છે. જો ગુનો જામીનપાત્ર છે તો તરત છૂટી શકો છો, પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં કોર્ટની મંજૂરી બાદ જ જામીન મળે છે. કાયદો દરેક વ્યક્તિને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યો છે, એટલે તમારા અધિકારોને ઓળખો અને કાયદાકીય મદદ સમયસર લો.

6 / 7
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાહેર જનતાના નોલેજ માટે છે. જામીન મળી જાય તો તેનો અર્થ એવો નથી કે તમે નાના નાના ગુના કરતા રહો. જનતા માટે બનાવેલા નિયમો ફોલો કરવા એ એક સારા નાગરિકની ફરજ છે.)

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાહેર જનતાના નોલેજ માટે છે. જામીન મળી જાય તો તેનો અર્થ એવો નથી કે તમે નાના નાના ગુના કરતા રહો. જનતા માટે બનાવેલા નિયમો ફોલો કરવા એ એક સારા નાગરિકની ફરજ છે.)

7 / 7

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Whisk)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">