AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : ચેક બાઉન્સનો કેસ ફક્ત ત્યાં જ દાખલ કરી શકાય જ્યાં લાભાર્થીનું બેંક ખાતું હોય : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ,નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસોમાં ફરિયાદ તે જ કોર્ટમાં દાખલ કરી શકાય છે જ્યાં લાભાર્થીનું બેંક ખાતું હોય. તો કાનુની સવાલમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Aug 12, 2025 | 7:15 AM
Share
 જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની પીઠે 25 જુલાઈ 2025ના પ્રકાશ ચિમનલાલ સેઠ અને જાગૃતિ કેયુર ની અપીલમાં આ નિર્ણય સંભળાવતા કર્ણાટક હાઈકોર્ટે અને મેંગ્લોરના મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલા આદેશો રદ કરવામાં આવ્યા છે.

જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની પીઠે 25 જુલાઈ 2025ના પ્રકાશ ચિમનલાલ સેઠ અને જાગૃતિ કેયુર ની અપીલમાં આ નિર્ણય સંભળાવતા કર્ણાટક હાઈકોર્ટે અને મેંગ્લોરના મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલા આદેશો રદ કરવામાં આવ્યા છે.

1 / 9
 અપીલકર્તા પ્રકાશ ચીમનલાલ સેઠે આરોપ લગાવ્યો હતો કે, કેયુર લલિતભાઈ રાજપોપટે તેમની પાસેથી ₹38,50,000 ઉછીના લીધા હતા અને જાગૃતિ કેયુર રાજપોપટે (કેયુરની પત્ની) લોનની ગેરંટી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે નાણાકીય સહાય લીધી હતી અને સપ્ટેમ્બર 2023માં કુલ ચાર ચેક જાહેર કર્યા હતા.

અપીલકર્તા પ્રકાશ ચીમનલાલ સેઠે આરોપ લગાવ્યો હતો કે, કેયુર લલિતભાઈ રાજપોપટે તેમની પાસેથી ₹38,50,000 ઉછીના લીધા હતા અને જાગૃતિ કેયુર રાજપોપટે (કેયુરની પત્ની) લોનની ગેરંટી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે નાણાકીય સહાય લીધી હતી અને સપ્ટેમ્બર 2023માં કુલ ચાર ચેક જાહેર કર્યા હતા.

2 / 9
આ ચેક અપીલકર્તા દ્વારા કોટક મહિન્દ્રા બેંક, મુંબઈની ઓપેરા હાઉસ શાખામાં જમા કરાવવામાં આવ્યો હતો, પરંતુ અપૂરતા પૈસાને કારણે ચેક બાઉન્સ થયો હતો. આની જાણકારી 15 સપ્ટેમ્બર 2023ના રોજ આપવામાં આવી હતી.

આ ચેક અપીલકર્તા દ્વારા કોટક મહિન્દ્રા બેંક, મુંબઈની ઓપેરા હાઉસ શાખામાં જમા કરાવવામાં આવ્યો હતો, પરંતુ અપૂરતા પૈસાને કારણે ચેક બાઉન્સ થયો હતો. આની જાણકારી 15 સપ્ટેમ્બર 2023ના રોજ આપવામાં આવી હતી.

3 / 9
ત્યારબાદ અપીલકર્તાએ સીઆરપીસીની કલમ 200 અને એનઆઈ એક્ટની કલમ 138 હેઠળ મેંગ્લોરની પાંચમી કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસમાં ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જોકે, મેજિસ્ટ્રેટે 12,12,2023ના રોજ ફરિયાદો પરત કરી હતી કારણ કે, ડ્રોઈ બેંક મુંબઈમાં છે, તેમની કોર્ટનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

ત્યારબાદ અપીલકર્તાએ સીઆરપીસીની કલમ 200 અને એનઆઈ એક્ટની કલમ 138 હેઠળ મેંગ્લોરની પાંચમી કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસમાં ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જોકે, મેજિસ્ટ્રેટે 12,12,2023ના રોજ ફરિયાદો પરત કરી હતી કારણ કે, ડ્રોઈ બેંક મુંબઈમાં છે, તેમની કોર્ટનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

4 / 9
અપીલ કર્તાએ કર્ણાટક હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો પરંતુ હાઈકોર્ટે 5 માર્ચ 2024ના રોજ અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં અપીલકર્તાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનું બેંક ખાતું કોટક મહિન્દ્રા બેંકની બેન્દુરવેલ શાખા મેંગલોરમાં હતું અને ચેક ફક્ત તે ખાતામાં જમા કરવા માટે મુંબઈ શાખામાં રજૂ કરવામાં આવ્યા હતા. બેંકના પત્ર અને પ્રતિવાદીના એકાઉન્ટ સ્ટેટમેન્ટથી પુષ્ટિ થઈ છે કે એકાઉન્ટ નંબર 0412108431 મેંગલોર શાખાનો હતો.

અપીલ કર્તાએ કર્ણાટક હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો પરંતુ હાઈકોર્ટે 5 માર્ચ 2024ના રોજ અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં અપીલકર્તાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનું બેંક ખાતું કોટક મહિન્દ્રા બેંકની બેન્દુરવેલ શાખા મેંગલોરમાં હતું અને ચેક ફક્ત તે ખાતામાં જમા કરવા માટે મુંબઈ શાખામાં રજૂ કરવામાં આવ્યા હતા. બેંકના પત્ર અને પ્રતિવાદીના એકાઉન્ટ સ્ટેટમેન્ટથી પુષ્ટિ થઈ છે કે એકાઉન્ટ નંબર 0412108431 મેંગલોર શાખાનો હતો.

5 / 9
વકીલેએ પણ સ્વીકાર્યું કે, પહેલા અપીલકર્તાનું મુંબઈ શાખામાં ખાતું હતું પરંતુ બાદમાં તેને મેંગલોર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું એક વખત અપીલકર્તાનું કોટક મહિન્દ્રા બેંકની બેન્ડુરવેલ, મેંગલોર શાખામાં ખાતું હતું, તો તે મેંગલોરની પ્રાદેશિક કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદો દાખલ કરવાનો સંપૂર્ણ હકદાર હતો.

વકીલેએ પણ સ્વીકાર્યું કે, પહેલા અપીલકર્તાનું મુંબઈ શાખામાં ખાતું હતું પરંતુ બાદમાં તેને મેંગલોર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું એક વખત અપીલકર્તાનું કોટક મહિન્દ્રા બેંકની બેન્ડુરવેલ, મેંગલોર શાખામાં ખાતું હતું, તો તે મેંગલોરની પ્રાદેશિક કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદો દાખલ કરવાનો સંપૂર્ણ હકદાર હતો.

6 / 9
કોર્ટે એનઆઈની એક્ટની કલમ 142(2)(a) અનુસારજ્યારે ખાતા દ્વારા વસૂલાત માટે ચેક કાઢવામાં આવે છે, ત્યારે ચુકવણીકારનું બેંક ખાતું જ્યાં સ્થિત છે તે કોર્ટનો અધિકારક્ષેત્ર છે. આ સંદર્ભમાં, કોર્ટે બ્રિજસ્ટોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ઇન્દ્રપાલ સિંહ, (2016) 2 SCC 75નો પણ ઉલ્લેખ કર્યો.કોર્ટે ઠરાવ્યું કે મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટે અપીલકર્તાનું ખાતું મુંબઈમાં હોવાની ગેરસમજ હેઠળ આદેશ આપ્યો હતો.

કોર્ટે એનઆઈની એક્ટની કલમ 142(2)(a) અનુસારજ્યારે ખાતા દ્વારા વસૂલાત માટે ચેક કાઢવામાં આવે છે, ત્યારે ચુકવણીકારનું બેંક ખાતું જ્યાં સ્થિત છે તે કોર્ટનો અધિકારક્ષેત્ર છે. આ સંદર્ભમાં, કોર્ટે બ્રિજસ્ટોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ઇન્દ્રપાલ સિંહ, (2016) 2 SCC 75નો પણ ઉલ્લેખ કર્યો.કોર્ટે ઠરાવ્યું કે મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટે અપીલકર્તાનું ખાતું મુંબઈમાં હોવાની ગેરસમજ હેઠળ આદેશ આપ્યો હતો.

7 / 9
સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકાર કરતા કર્ણાટક હાઈકોર્ટની 5 માર્ચ 2024 અને મેજિસ્ટ્રેટની તારીખ 12 ડિસેમ્બર 2023ના આદેશને રદ્દ કર્યો. કોર્ટે મેંગલોર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને કાયદા અનુસાર અપીલકર્તાની ફરિયાદો સ્વીકારવા અને ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકાર કરતા કર્ણાટક હાઈકોર્ટની 5 માર્ચ 2024 અને મેજિસ્ટ્રેટની તારીખ 12 ડિસેમ્બર 2023ના આદેશને રદ્દ કર્યો. કોર્ટે મેંગલોર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને કાયદા અનુસાર અપીલકર્તાની ફરિયાદો સ્વીકારવા અને ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">