કાનુની સવાલ : પતિના મિત્ર સામે કેસ દાખલ કરી શકાતો નથી, મહિલાની ફરિયાદ પર હાઇકોર્ટનો નિર્ણય
ભારતીય દંડ સંહિતાની પ્રખ્યાત કલમ 498A સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે, બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે, આ કલમ હેઠળ પતિના મિત્ર સામે કેસ નોંધી શકાય નહીં. કોર્ટે કહ્યું છે કે, મિત્રો સંબંધીઓની સિરીઝમાં આવતા નથી.

નાગપુરમાં સ્થિત બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, પતિના મિત્ર પર ક્રૂરતા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ કોઈ કેસ દાખલ કરી શકાતો નથી. કોર્ટે કહ્યું કે, પતિના મિત્ર સંબંધીની કાનૂની વ્યાખ્યામાં આવતો નથી.

2022માં એક મહિલાએ તેના પર થઈ રહેલી ક્રુરતાને લઈ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ તેના માતા-પિતા અને તેના પતિના મિત્રએ તેની સાથે ક્રુરતા કરી છે.

કેસની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ અનિલ પાનસરે અને ન્યાયાધીશ એમએમ નેર્લીકરની ડિવિઝન બેન્ચે કહ્યું કે, મિત્રને સંબંધી ન કહી શકાય. કારણ કે,તે લોહીનો સંબંધી નથી અને તેમજ તેનો લગ્ન કે દત્તક દ્વારા કોઈ સંબંધ નથી. કોર્ટે કહ્યું કે તેથી, તમામ તથ્યોને ધ્યાનમાં લેતા અને IPC ની કલમ 498A ને સ્પષ્ટ રીતે વાંચીને, કોર્ટ એવા નિર્ણય પર આવી છે કે, પતિનો મિત્ર IPC ની કલમ 498A હેઠળ પતિના સંબંધીની વ્યાખ્યામાં આવશે નહીં.

ફરિયાદી પત્નીએ ફરિયાદમાં સાસરિયાની સાથે સાથે મિત્રના પતિ પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ FIRમાં આરોપ લગાવ્યો હતો કે તેના પતિનો મિત્ર વારંવાર તેના સાસરિયાના ઘરે જતો હતો અને તેના પતિને તેના પિતા પાસેથી જમીનઅને કાર માંગવા માટે ઉશ્કેરતો હતો. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેણે તેના પતિને તેની પત્ની સાથે ન રહેવા અને જો તેની માંગણીઓ પૂર્ણ ન થાય તો તેને તેના માતાપિતાના ઘરે પાછી મોકલવા માટે ઉશ્કેરતો હતો.

આ કેસમાં, ફરિયાદ પક્ષે કોર્ટને 'સંબંધી' શબ્દનો વ્યાપક અર્થઘટન કરવા વિનંતી કરી. કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કર્યો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો પ્રેમિકા અથવા તે સ્ત્રી જેની સાથે લગ્ન કરે છે તે લગ્નની બહાર કોઈપણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ ધરાવે છે, તો તેને કલમ 498A હેઠળ સંબંધી ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે આ જ તર્કનો ઉપયોગ કરીને કહ્યું કે, જોગવાઈમાં મિત્રને સંબંધીનો દરજ્જો મળતો નથી. તેથી, કોર્ટે મિત્ર સામેની કાર્યવાહી રદ કરી હતી. કોર્ટે કહ્યું કે ,પતિ અને તેના માતાપિતા સામેનો કેસ ચાલુ રહેશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
