Kitchen Tips : હવે કારેલા કડવા નહીં મીઠા લાગશે, મહેમાનો પણ આંગળીઓ ચાટતા રહી જશે – બસ આ 4 પદ્ધતિ અપનાવો
ઘર-ઘરની કહાની છે કે, મોટાભાગના લોકોને કારેલાનું શાક ભાવતું નથી. આનું મુખ્ય કારણ તેની કડવાશ છે. જો કે, કારેલાનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

કારેલાનું શાક હોય કે કારેલું, તેનું નામ સાંભળીને જ બાળકો ગુસ્સે થઈ જાય છે. તેઓ તેને ખાતા પહેલા ઘણા નાટક કરે છે. તમને જણાવી દઈએ કે, આ શાક આખા વર્ષ દરમિયાન બજારમાં વેચાય છે.

કારેલાનું શાક બનાવતા પહેલા સ્ત્રીઓ ઘણીવાર વિચારે છે કે, તેમનું બાળક આ શાક ખાશે કે નહીં? જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો હવે ચિંતામુક્ત થઈ જાઓ. કેમ કે, કારેલાની કડવાશને હવે તમે સરળ પદ્ધતિથી દૂર કરી શકો છો.

જો આ પદ્ધતિ તમે અપનાવી તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા કારેલાનું શાક મોજથી ખાશે અને આંગળીઓ ચાટતા રહી જશે. આટલું જ નહીં તેઓ તમને સામેથી કહેશે કે, આજે ફરીથી કારેલાનું શાક બનાવો. તો ચાલો જાણીએ કે, કારેલાનું શાક મોજથી ખાવાની શું પદ્ધતિ છે.

કારેલાની કડવાશ દૂર કરવા માટે તમે મીઠું, દહીં, લીંબુ અને આમલીનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સરળ અને જૂનો ઘરેલું ઉપાય છે. આનાથી કારેલા શાકનો સ્વાદ બમણો થઈ જાય છે.

કારેલાના શાકમાં 'મીઠું' વધુ અસરકારક માનવામાં આવે છે. સૌ પ્રથમ તમારે કારેલાને કાપી નાખવાના છે. આ પછી, તેમાં થોડું મીઠું ઉમેરો અને તેને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. આનાથી કારેલાનો કડવો રસ સંપૂર્ણપણે નીકળી જશે. ત્યારબાદ કારેલાને સારી રીતે પાણીથી ધોઈ લો. હવે જ્યારે તમે તેને રાંધશો, ત્યારે તેનો સ્વાદ બિલકુલ કડવો નહીં લાગે.

બીજી સૌથી અસરકારક પદ્ધતિ દહીં માનવામાં આવે છે . જો તમે હંમેશા રસોડામાં દહીં રાખો છો, તો તે તમારા કારેલાનો સ્વાદ ઉત્તમ બનાવી શકે છે. આ માટે તમારે કારેલાને દહીંમાં પલાળી રાખવા પડશે. સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લો, હવે કારેલાને કાપીને બાઉલમાં નાખો. લગભગ અડધા કલાક પછી, આ કાપેલા કારેલાને દહીંમાંથી કાઢી લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પછી, તેને શાક બનાવવા માટે અથવા ભજીયા બનાવવા માટે રાંધી દો. આનાથી તે ખાવામાં નરમ અને સ્વાદિષ્ટ બનશે.

જો તમે ઇચ્છો તો, કારેલાની કડવાશ ઘટાડવા માટે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ, તમારી જરૂરિયાત મુજબ કારેલાને કાપી લો, હવે તેમાં લીંબુનો રસ ઉમેરો. લગભગ 15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો અને તેને સારી રીતે સૂકવી લો. હવે તમે તેને તળી શકો છો અથવા તો તેનું સ્ટફિંગ કરી શકો છો. આવું કરવાથી લીંબુનો રસ કારેલાની કડવાશને દૂર કરે છે.

કારેલાની કડવાશ ઘટાડવા માટે તમે આમલીની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો . કારેલાને આમલીના પાણીમાં લગભગ 20 થી 25 મિનિટ સુધી રાખ્યા પછી, તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. બસ આ ટિપ્સ અપનાવીને, તમે સ્વાદિષ્ટ કારેલાનું શાક બનાવી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
