AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: શેરબજારમાં ઐતિહાસિક તેજીના સંકેત… વર્ષ 2026 સુધીમાં સેન્સેક્સ 1,00,000 ને પાર કરશે, આ એક અનુમાનથી રોકાણકારોમાં ઉત્સાહ

ગ્લોબલ બ્રોકરેજ ફર્મે ભારતીય શેરબજારને લઈને એક મોટી આગાહી કરી છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે.

| Updated on: Feb 06, 2026 | 8:24 PM
Share
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારને લઈને એક મોટું અનુમાન જાહેર કર્યું છે. બ્રોકરેજ ફર્મે તેના નવા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. ફર્મે વધુમાં ઉમેર્યું કે, BSE સેન્સેક્સ ડિસેમ્બર 2026 સુધીમાં 1,07,000 ના સ્તર સુધી પહોંચી શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારને લઈને એક મોટું અનુમાન જાહેર કર્યું છે. બ્રોકરેજ ફર્મે તેના નવા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. ફર્મે વધુમાં ઉમેર્યું કે, BSE સેન્સેક્સ ડિસેમ્બર 2026 સુધીમાં 1,07,000 ના સ્તર સુધી પહોંચી શકે છે.

1 / 7
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ભારતીય શેરબજાર હવે ઝડપથી મજબૂત થવા જઈ રહ્યું છે. કોવિડ પછી જે મોંઘવારી અને કડક નીતિઓ હતી, તે હવે હળવી થઈ રહી છે અને બજારને 'રી-રેટિંગ' એટલે કે નવું મૂલ્ય મેળવવાની તક મળી રહી છે.

મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ભારતીય શેરબજાર હવે ઝડપથી મજબૂત થવા જઈ રહ્યું છે. કોવિડ પછી જે મોંઘવારી અને કડક નીતિઓ હતી, તે હવે હળવી થઈ રહી છે અને બજારને 'રી-રેટિંગ' એટલે કે નવું મૂલ્ય મેળવવાની તક મળી રહી છે.

2 / 7
મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈ અને નયંત પારેખે જણાવ્યું હતું કે, RBI અને સરકાર મળીને વ્યાજ દરોમાં કાપ (Rate cut), બેંકના નિયમો હળવા કરવા, બજારમાં લિક્વિડિટી વધારવી, ટેક્સમાં ઘટાડો અને કેપિટલ ખર્ચમાં વધારો કરવા જેવા પગલાં લઈ રહી છે, જેનાથી અર્થતંત્રની ગતિ વધશે. આ ઉપરાંત, ચીન સાથેના સંબંધોમાં સુધારો અને નવા વ્યાપારિક કરારો પણ બજારને સપોર્ટ કરી રહ્યા છે.

મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈ અને નયંત પારેખે જણાવ્યું હતું કે, RBI અને સરકાર મળીને વ્યાજ દરોમાં કાપ (Rate cut), બેંકના નિયમો હળવા કરવા, બજારમાં લિક્વિડિટી વધારવી, ટેક્સમાં ઘટાડો અને કેપિટલ ખર્ચમાં વધારો કરવા જેવા પગલાં લઈ રહી છે, જેનાથી અર્થતંત્રની ગતિ વધશે. આ ઉપરાંત, ચીન સાથેના સંબંધોમાં સુધારો અને નવા વ્યાપારિક કરારો પણ બજારને સપોર્ટ કરી રહ્યા છે.

3 / 7
1. ગ્રોથ સિગ્નલ: મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, ભારતીય કંપનીઓની કમાણીમાં વધારો થવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે, કંપનીઓના નફામાં સુધારાની પ્રબળ શક્યતા છે.

1. ગ્રોથ સિગ્નલ: મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, ભારતીય કંપનીઓની કમાણીમાં વધારો થવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે, કંપનીઓના નફામાં સુધારાની પ્રબળ શક્યતા છે.

4 / 7
2. RBI પોલિસી: વિશ્લેષકોનું કહેવું છે કે, RBIની નીતિઓ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (નાણાકીય પ્રવાહ) અને લોન ગ્રોથને ટેકો આપશે. નોંધનીય છે કે, RBIએ તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ રેપો રેટ યથાવત રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે.

2. RBI પોલિસી: વિશ્લેષકોનું કહેવું છે કે, RBIની નીતિઓ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (નાણાકીય પ્રવાહ) અને લોન ગ્રોથને ટેકો આપશે. નોંધનીય છે કે, RBIએ તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ રેપો રેટ યથાવત રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે.

5 / 7
3. પોલિસી રિફોર્મ (નીતિગત સુધારા): મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ખાનગીકરણ (Privatization) સહિતની બીજી પહેલો લાગુ કરવામાં આવી રહી છે, જે આર્થિક વિકાસને વેગ આપશે.

3. પોલિસી રિફોર્મ (નીતિગત સુધારા): મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ખાનગીકરણ (Privatization) સહિતની બીજી પહેલો લાગુ કરવામાં આવી રહી છે, જે આર્થિક વિકાસને વેગ આપશે.

6 / 7
4. ફોરેન બાયિંગ (વિદેશી ખરીદી): ઘણા મહિનાઓ સુધી વિદેશી રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવેલી વેચવાલી બાદ હવે સ્થિતિ નીચલા સ્તરે છે પરંતુ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે વિદેશી રોકાણમાં ફરીથી વધારો થવો જરૂરી છે.

4. ફોરેન બાયિંગ (વિદેશી ખરીદી): ઘણા મહિનાઓ સુધી વિદેશી રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવેલી વેચવાલી બાદ હવે સ્થિતિ નીચલા સ્તરે છે પરંતુ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે વિદેશી રોકાણમાં ફરીથી વધારો થવો જરૂરી છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : 1 શેર પર 300 રૂપિયા કમાવાની તક, લાંબા સમયથી શાંત રહેલો આ શેર હવે કરશે ‘કમબેક’

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">