Health Tips : રાત્રે સૂતા પહેલા તમે પણ પાણી પીઓ છો ? બની શકો છો આ 3 બીમારીના શિકાર
Drinking water before sleep : આપણામાંથી ઘણા લોકોને રાત્રે સૂતા પહેલા પાણી પીવાની આદત હોય છે. પણ આ આદતથી શરીરને નુકશાન પણ થઈ શકે છે. તેના કારણે શરીર બીમારીનો શિકાર પણ બની શકે છે.

મૂત્રાશયની સમસ્યા - જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણી પીતા હોવ તો તેનાથી મૂત્રાશયની સમસ્યા થઈ શકે છે. આ તમારા મૂત્રાશયને ઓવરએક્ટિવ બનાવી શકે છે અને ચેપનું કારણ પણ બની શકે છે.

હ્રદયના રોગ - સૂતા પહેલા પાણી પીવાથી હૃદયની બીમારીઓ થઈ શકે છે. એકવાર તમારી ઊંઘમાં ખલેલ પડી જાય, તો તમને ફરીથી એ જ ઊંઘ લેવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે સૂઈ જાઓ છો, તો પણ મગજ જાગૃત રહે છે, જેના કારણે બીપી વધી શકે છે. તણાવ થઈ શકે છે અને જો તમને ડાયાબિટીસ છે, તો તે શુગર પણ વધી શકે છે.

માનસિક દર્દી - સૂતા પહેલા પાણી પીવાથી પણ તમે માનસિક દર્દી બની શકો છો. જ્યારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે, ત્યારે તમારું મન જાગૃત રહે છે અને તમે વધુ વિચાર આવે છે. આ સ્થિતિમાં તમને તણાવ અને માનસિક બીમારીઓ થઈ શકે છે અને ડિપ્રેશન જેવા લક્ષણો આવી શકે છે.

કયાકે પાણી પીવું જોઈએ ? - સૂવાના લગભગ 1 કે 2 કલાક પહેલાં પાણી પીવો અને જેથી કરીને જો તમારે પેશાબ કરવો પડે તો તે કર્યા પછી તમે આરામથી સૂઈ શકો. આનાથી તમારી રાતની ઊંઘ પર કોઈ અસર નહીં પડે અને તમે સ્વસ્થ રહેશો.

પાણી ક્યા સમયે ન પીવું જોઈએ ? - ભોજન કર્યાના તરત પછી અને ચા પીધા પછી કે ફળ ખાદ્યા પછી પાણી પીવું જોઈએ નહીં. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)