Women’s health : શું મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જ થવો એક બીમારી છે? ડૉક્ટર પાસેથી જાણો
શું તમને વારંવાર વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા થઈ રહી છે અને તમને જાણ નથી કે, તો શું આ સામાન્ય બીમારી છે ?સમય રહેતા તમામ જાણકારી અને સારવાર જરુરી છે.બાકી કોઈ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી કે, વ્હાઈટ ડિસ્ચાર્જનું રિયલ કારણ અને તેને રોકવાના ઉપાયો જાણીએ.

મહિલાઓમાં વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે કે, સફેદ પાણી આવવું એક સામાન્ય શારીરિક પ્રકિયા છે. જ્યારે જરરુથી વધારે વારંવાર ગંધ આવે તો આ ચિંતાનું કારણ બની શકે છે. મેડિકલ રિપોર્ટ મુજબ 70 ટકાથી વધુ મહિલાઓ પોતાના જીવનમાં વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યાથી પરેશાન થાય છે.

આ ડિસ્ચાર્જ હોર્મોનલ બદલાવ, પીરિયડ સાઈકલ પહેલા તો ક્યારે ચેપનું કારણ પણ હોય શકે છે.આ માટે એ સમજવું જરુરી છે કે, ક્યું ડિસ્ચાર્જ સામાન્ય છે. આ કઈ બીમારીનો સંકેત હોય શકે છે.

આ સમસ્યા મહિલાઓમાં સામાન્ય છે પણ ગંભીર પણ છે. મહિલાઓની યોનિમાંથી નીકળતા સફેદ કે ચીકણા પ્રવાહીને સામાન્ય રીતે વ્હાઈટ ડિસ્ચાર્જ અથવા સફેદ પાણી કહેવામાં આવે છે. તે હંમેશા ચિંતાનું કારણ બની જાય છે. કેટલીક મહિલાઓ આ બીમારી કે સંક્રમણ માની ડરી જાય છે, ત્યારે દરેક મહિલાઓને આ વિશે વધારે જાણ હોતી નથી.

નિષ્ણાતોના મતે, ઓછો અને ગંધહીન વ્હાઈટ ડિસ્ચાર્જ મહિલાના શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે, જે યોનિમાર્ગને સ્વચ્છ અને ચેપ મુક્ત રાખવામાં મદદ કરે છે.મહિલાઓને પીરિયડ સાઈકલના વિવિધ તબક્કામાં આછો વ્હાઈટ કે પારદર્શક સ્રાવ થઈ શકે છે, જે સંપૂર્ણપણે સામાન્ય છે.

આ ડિસ્ચાર્જ શરીરના હોર્મોનલ બદલાવનું કારણ હોય છે. જે (Ovulation) પ્રેગ્નન્સી કે, સેક્સુઅલ એક્ટિવિટીના સમયે થોડું વધી શકે છે. આ પ્રકારનું ડિસ્ચાર્જ પાતળું, કોઈ ગંધ વિના અને બળતરા કે ખંજવાળ આવે છે. તો આને બીમારી માની શકાય નહી.

જો વ્હાઈટ ડિસ્ચાર્જની સાથે દુર્ગંધ, ખંજવાળ, બળતરાની સાથે પેશાબમાં પીળા રંગનું ડિસ્ચાર્જ થાય છે. તો આ એક ફંગલ કે બેક્ટીરિયલ ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે. કેટલાક કેસમાં આ સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસ, કેન્સર કે,કેન્સર અથવા સર્વિક્સની સમસ્યાના લક્ષણ પણ હોય શકે છે. વારંવાર અને વધારે માત્રમાં આવનાર વ્હાઈટ ડિસ્ચાર્જ પણ ચિંતાનું કારણ બની શકે છે.

વ્હાઈટ ડિસ્ચાર્જ વધારી શકે તેવા કારણો વિશે આપણે વાત કરીએ તો. હોર્મોનલ અસંતુલન, હાઈ શુગર લેવલ અથવા ડાયાબિટીસ, વારંવાર એન્ટીબાયોટિક્સનું સેવન કરવું. ગંદા અંડરગાર્મેન્ટનો ઉપયોગ કરવો, તણાવ અથવા નબળી ઈમ્યુનિટી સિસ્ટમ અને અસુરક્ષિત શારીરિક સંબંધ સામેલ છે.

આની સારવાર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ પર નિર્ભર કરે છે. જો આ સામાન્ય હોર્મોલ કારણથી થઈ રહ્યું છે. તો કોઈ ખાસ સારવારની જરુર નથી પરંતુ જો આ સંક્રમણના કારણે થાય છે, તો ડોક્ટર એન્ટીબાયોટિક્સ, એન્ટિફંગલ કે, એન્ટીસેપ્ટિક દવાઓ આપે છે. સાથે સાફ-સફાઈ રાખવી, કોટન અંડરવિયર પહેરવા તેમજ વધુમાત્રામાં પાણી આ સમસ્યાથી રાહત આપે છે

દરેક વ્હાઈટ ડિસ્ચાર્જ બીમારીનો સંકેત હોતો નથી પરંતુ જો આમાં ગંધ આવે કે, બળતરા જેવી પરેશાની થાય તો ડોક્ટરની સલાહ જરુર લો, મહિલા સ્વાસ્થ્યને લઈ જાગ્રરુક થવું અને સમય પર સારવાર લેવી લાંબા સમય સુધી સ્વાસ્થ રહેવું એકમાત્ર પ્રકાર છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
