Women’s health : શું મેનોપોઝ પછી પણ વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે? જાણો કે તે સામાન્ય છે કે નહીં
સામાન્ય રીતે મેનોપોઝ બાદ ડિસ્ચાર્જ થતું નથી.પરંતુ તેમ છતાં જો તમને વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે તો આના અનેક કારણો હોય શકે છે. તો આજે આપણે ગાયનેકોલોજીસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

મેનોપોઝ એક એવી સ્થિત છે. જેમાં મહિલાઓના પીરિયડ્સ બંધ થઈ જાય છે. પીરિયડ્સ બંધ થવાનો મતલબ મહિલાની પ્રજનન ક્ષમતા પૂર્ણ થઈ ચૂકી છે. આ અવસ્થા પછી શારીરિક સંબંધ બાંધ્યા બાદ પણ મહિલા પ્રેગ્નન્સી કંસીવ કરી શકતી નથી.

આનું મુખ્ય કારણ પીરિયડ્સ ન આવવા છે. પીરિયડ્સ ન આવવાના કારણે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. આ હોર્મોનની ઉણપ થવા પર શરીરમાં અનેક બદલાવ જોવા મળે છે. જેમ કે, હાડકાં નબળા પડવા, વૃદ્ધત્વના સંકેતો, વાળ ખરવા વગેરે. જોકે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મેનોપોઝ પછી મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે, જેના કારણે તેમને કોઈ પણ પ્રકારનો યોનિમાર્ગ સ્રાવ થતો નથી.

પરંતુ, ઘણી સ્ત્રીઓમાં મેનોપોઝ પછી વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મેનોપોઝ પછી વ્હાઈટ ડિસ્ચાર્જ થવો સામાન્ય છે? કે પછી તે કોઈ રોગની નિશાની છે.

મેનોપોઝ એક નેચરલ પ્રકિયા છે.મેનોપોઝ દરમિયાન કે ત્યારપછી મહિલાઓની વજાઈનલ ડિસ્ચાર્જ સામાન્ય હોતું નથી. આ માટે આ મેનોપોઝ બાદ વ્હાઈટ ડિસ્ચાર્જ થવું નોર્મેલ માની શકાય નહી. સફેદ યોનિમાર્ગમાંથી સ્રાવ ઓછો થાય છે કારણ કે આ સમય દરમિયાન એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટે છે. પીરિયડ્સ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.

જો મેનોપોઝ પછી વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે, તો આ સ્થિતિમાં મહિલાઓએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ કોઈ ચેપ અથવા અન્ય રોગનો સંકેત હોઈ શકે છે. જો કે, ક્યારેક તે સામાન્ય પણ હોય છે.

મેનોપોઝ બાદ ડિસ્ચાર્જ થવાના અનેક કારણો હોય શકે છે. જેમ કે, એસ્ટ્રોજના સ્તરમાં ઉણપ આવવાના કારણે વજાઈનલ પીએચ લેવલ બદલી જાય છે. જેનાથી ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. ઈન્ફેક્શનના લક્ષણોને કારણે વજાઈનલ ડિસ્ચાર્જ થઈ શકે છે.

વજાઈનલ પીએચ લેવલ બદલાવાથી બેક્ટીરિયલ ઈન્ફેક્શન થવાનો રિસ્ક વધી જાય છે. આ ઈન્ફેક્શન થવાથી માત્ર વ્હાઈટ ડિસ્ચાર્જ થતો નથી પરંતુ તે ગ્રે અને થિંક પણ હોય શકે છે.મેનોપોઝ પછી, મહિલાઓને યીસ્ટ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. આ સ્થિતિમાં, યોનિમાર્ગમાંથી નીકળતો સ્રાવ ખૂબ જ જાડો જેવો દેખાય છે. આ સ્થિતિમાં,મહિલાઓ ઘણીવાર તીવ્ર ખંજવાળ અનુભવે છે.

મેનોપોઝ બાદ વ્હાઈટ ડિસ્ચાર્જનું રિસ્ક એ મહિલાઓમાં પણ વધી જાય છે. જેમને એસટીઆઈ હોય છે. પરંતુ એસટીઆઈના કારણથી અસામાન્ય ડિસ્ચાર્જ થાય છે. જેનો રંગ હંમેશા સફેદ હોતો નથી. તેનું કલર પીળો પણ હોય શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
