Women’s health : જ્યારે મહિલાઓમાં પ્રોજેસ્ટેરોનની ઉણપ હોય ત્યારે શું થાય છે? ડૉક્ટર પાસેથી જાણો
મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન ઓછું હોવાને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં આ વિશે વિસ્તારથી વાત કરીશું.

પ્રોજેસ્ટેરોન હોર્મોન મહિલાઓ અને પુરુષ બંન્નેમાં હોય છે.આ મહિલાઓની પ્રેગ્નન્સી, પીરિયડસ સાથે જોડાયેલી છે. સાથે પુરુષમાં આ સ્પર્મ કાઉન્ટ સાથે જોડાયેલ હોય છે. જો કોઈ મહિલા કંસીવ કરવા માંગે છે. તો તેના શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ પર્યાપ્ત માત્રામાં હોવું ખુબ જરુરી હોય છે.

એટલે કે, પ્રેગ્નન્સી માટે મહિલાઓને પ્રોજેસ્ટેરોન હોર્મોનની જરુર હોય છે પરંતુ જ્યારે શરીરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઓછું થઈ જાય છે. તો મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનની ઉણપને કારણે શું થાય છે?

જ્યારે મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર ઓછું થાય છે. તો તેને હોટ ફ્લૈશેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ કારણે તેને છાતી, ગરદન કે પછી ચેહરામાં અચાનકથી ગરમીનો અનુભવ થઈ શકે છે. હોટ ફ્લૈશેસના કારણે સ્કીન લાલ થઈ શકે છે. જ્યારે શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન ઓછું થાય છે. તો એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધી જાય છે. આ કારણે તમને હોટ ફ્લૈશેસની સમસ્યા થઈ શકે છે.

મહિલાઓમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનની ઉણપ થવા પર તમને ડિપ્રેશન કે ચિંતા થઈ શકે છે. જ્યારે શરીરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઓછું થાય છે. તો ચિડયાપણું કે ચિંતાનો અનુભવ થઈ શકે છે.

આ સિવાય પ્રોજેસ્ટેરોનની ઉણપથી અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. જો તમે હંમેશા તણાવ કે ચિંતામાં રહો છો. તો તમારે પ્રોજેસ્ટેરોન હોર્મોનની તપાસ જરુર કરાવવી જોઈએ.

જો મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોનની ઉણપ થઈ ગઈ છે. તો તમારે કંસીવ કરવામાં સમસ્યા થઈ શકે છે. પ્રોજેસ્ટેરોનની ઉણપ મિસકેરેજ અને આનાથી વંધ્યત્વ થઈ શકે છે. આનો અર્થ એ છે કે પ્રોજેસ્ટેરોનનું ઓછું સ્તર પ્રેગ્નન્સી થવી મુશ્કેલ બનાવી શકે છે. જો તમે પ્રેગ્નન્સી રાખવા માંગતા હો, તો તમારા શરીરમાં પ્રોજેસ્ટેરોનનું પૂરતું સ્તર જાળવી રાખો.

પ્રોજેસ્ટેરોનની ઉણપ થવા પર તમને અનિયમિત પીરિયડ્સની સમસ્યા થઈ શકે છે. આમ તો પીરિયડ્સનું ચક્ર અંદાજે 28 દિવસનું હોય છે. પરંતુ કેટલીક મહિલાને પીરિયડ્સ મોડા આવે છે. આ ઘણીવાર મહિલાઓ માટે ચિંતાનું કારણ બને છે. આ પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થવાનું સંકેત હોઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
