AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : ગુજરાતમાં છે તમિલ સંસ્કૃતિને જીવંત રાખતું દ્રવિડ શૈલીમાં બનેલું 126 વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

Gir Somnath : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત અને શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને સાકાર કરતા "સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ" માં આવનાર સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા તૈયારી ચાલી રહી છે. ત્યારે ગીરસોમનાથમાં તમિલ શૈલીથી બનેલા એક મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:50 PM
Share
સોમનાથ મંદિર પરિસર શરૂ થતાં પહેલાં જ આવેલા દ્રવિડ શૈલીમાં બનેલ 126 વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ અને તિરૂપતિ બાલાજી મંદિરની અનુભૂતિ કરાવતા શ્રી બાલાજી મંદિર આવેલું છે.

સોમનાથ મંદિર પરિસર શરૂ થતાં પહેલાં જ આવેલા દ્રવિડ શૈલીમાં બનેલ 126 વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ અને તિરૂપતિ બાલાજી મંદિરની અનુભૂતિ કરાવતા શ્રી બાલાજી મંદિર આવેલું છે.

1 / 7
હમીરજી ગોહિલના પ્રતિમા પાસે દક્ષિણ સ્થાપત્ય શૈલીમાં બનેલું મૂળ તમિલનાડુના રામાનુજ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ મંદિર નજરે પડે છે. જેની સ્થાપના 1897માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ જાતભાત, સ્ત્રી-પુરુષના ભેદભાવોને નાબૂદ કરી, સૌના પ્રભુના સિદ્ધાંતને લોકોમાં પ્રસ્થાપિત કરવાનો હતો.

હમીરજી ગોહિલના પ્રતિમા પાસે દક્ષિણ સ્થાપત્ય શૈલીમાં બનેલું મૂળ તમિલનાડુના રામાનુજ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ મંદિર નજરે પડે છે. જેની સ્થાપના 1897માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ જાતભાત, સ્ત્રી-પુરુષના ભેદભાવોને નાબૂદ કરી, સૌના પ્રભુના સિદ્ધાંતને લોકોમાં પ્રસ્થાપિત કરવાનો હતો.

2 / 7
દ્રવિડ શૈલીમાં મંદિરના નિર્માણ અંગેની વાત કરતા  મધુસુદનાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, તમિલ સંસ્કૃતિ અને મૂળ તમિલ સંપ્રદાયની અનુભૂતિ લોકો ગુજરાતની ધરા ઉપર કરી શકે  છે. તત્કાલીન ગાદીપતિ શ્યામ સુંદર સ્વામી દ્વારા 1997માં મંદિરની શતાબ્દી બાદ દ્રવિડિયન શૈલીના મંદિરના નવ નિર્માણનો સંકલ્પ કરાયો હતો.

દ્રવિડ શૈલીમાં મંદિરના નિર્માણ અંગેની વાત કરતા મધુસુદનાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, તમિલ સંસ્કૃતિ અને મૂળ તમિલ સંપ્રદાયની અનુભૂતિ લોકો ગુજરાતની ધરા ઉપર કરી શકે છે. તત્કાલીન ગાદીપતિ શ્યામ સુંદર સ્વામી દ્વારા 1997માં મંદિરની શતાબ્દી બાદ દ્રવિડિયન શૈલીના મંદિરના નવ નિર્માણનો સંકલ્પ કરાયો હતો.

3 / 7
તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયો માંહેના આ એક સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે.

તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયો માંહેના આ એક સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે.

4 / 7
લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોક્ત વિધિ અને પધ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોક્ત વિધિ અને પધ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

5 / 7
ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ મૂર્તિ નગર ચર્ચા કરે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે.

ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ મૂર્તિ નગર ચર્ચા કરે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે.

6 / 7
મંદિરની એક ખાસિયત છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. (વીથ ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોષી)

મંદિરની એક ખાસિયત છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. (વીથ ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોષી)

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">