Gir Somanth : ગીરસોમનાથમાં રામમંદિર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ સાંસદ યોગ સ્પર્ધા, સ્પર્ધકોએ દર્શાવ્યા ગરુડાસન, ભદ્રાસન, નૌકાસન જેવા આસન

Gir Somnath: ગીરસોમનાથમાં રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ગરુડાસન, ભદ્રાસન, નૌકાસન, કુકુટાસન, ભુજંગાસન, પર્વતાસન જેવા યોગાસનો કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 10:48 PM
Gir Somnath: ગીરસોમનાથમાં રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સાંસદ યોગસ્પર્ધા યોજાઈ. જેમા તમામ લોકો સ્વસ્થ અને નિરોગી રહે તેવા પીએમ મોદીના ઉદ્દેશ્ય સાથે સહુ સાથે મળી સાર્થક કરવાનુ આપણુ લક્ષ્ય  છે તેમ સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ હતુ.

Gir Somnath: ગીરસોમનાથમાં રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સાંસદ યોગસ્પર્ધા યોજાઈ. જેમા તમામ લોકો સ્વસ્થ અને નિરોગી રહે તેવા પીએમ મોદીના ઉદ્દેશ્ય સાથે સહુ સાથે મળી સાર્થક કરવાનુ આપણુ લક્ષ્ય છે તેમ સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ હતુ.

1 / 6
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી જુનાગઢ અને ગીર સોમનાથ દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસના ઉપક્રમે રામમંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી જુનાગઢ અને ગીર સોમનાથ દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસના ઉપક્રમે રામમંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ હતી.

2 / 6
રામમંદિર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 9થી19 વર્ષ, 20થી35 વર્ષ, 36 થી 60 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉમરના તમામ 4 ગૃપમાં સ્પર્ધા યોજવામાં આવી હતી.

રામમંદિર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 9થી19 વર્ષ, 20થી35 વર્ષ, 36 થી 60 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉમરના તમામ 4 ગૃપમાં સ્પર્ધા યોજવામાં આવી હતી.

3 / 6
આ યોગ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.  દરેક ગ્રુપમાં સ્પર્ધા માટે સંસદીય મત વિસ્તારમાંથી એક ભાઈ અને એક બહેન એમ મળી કુલ 8 વિજેતા જાહેર કરાયા હતાં.

આ યોગ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. દરેક ગ્રુપમાં સ્પર્ધા માટે સંસદીય મત વિસ્તારમાંથી એક ભાઈ અને એક બહેન એમ મળી કુલ 8 વિજેતા જાહેર કરાયા હતાં.

4 / 6
આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂન યોગની તારીખ સૂચવી હતી. જેને સમગ્ર વિશ્વએ સમર્થન આપ્યુ છે. જેના પરિણામે આ દિવસે વિશ્વ યોગમય બન્યુ

આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂન યોગની તારીખ સૂચવી હતી. જેને સમગ્ર વિશ્વએ સમર્થન આપ્યુ છે. જેના પરિણામે આ દિવસે વિશ્વ યોગમય બન્યુ

5 / 6
 સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે યોગ દ્વારા તમામ લોકો સ્વસ્થ અને નિરોગી રહે તેવો વડાપ્રધાનનો ઉદ્દેશ્ય સૌ સાથે મળી સાર્થક કરવાનું આપણું લક્ષ્ય છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે યોગ દ્વારા તમામ લોકો સ્વસ્થ અને નિરોગી રહે તેવો વડાપ્રધાનનો ઉદ્દેશ્ય સૌ સાથે મળી સાર્થક કરવાનું આપણું લક્ષ્ય છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">