Health Tips : પાણી પીતા જ આવે છે પેશાબ ? તો હોઈ શકે છે આ બીમારીઓના સંકેત, જાણી લો
વારંવાર પેશાબ લગવાના કારણ અનેક હોય છે. પાણી પીવાની યોગ્ય પદ્ધતિ, કસરત અને વજન નિયંત્રણ દ્વારા આ સમસ્યામાં રાહત મેળવી શકાય છે. પરંતુ જો વારંવાર પેશાબ લાગવાની સમસ્યા લાંબા સમય સુધી હોય તો આ સ્થિતિ અનેક બીમારીનું કારણ હોય શકે છે.

શરીર માટે પાણી જીવન જેવું મહત્વપૂર્ણ છે. પાણીના યોગ્ય સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે. જોકે, કેટલીકવાર લોકોને પાણી પીતા જ તરત પેશાબ આવવા લાગે છે. જો એવી સ્થિતિ વારંવાર બને છે, તો એ નિર્દોષ ન લાગી શકે, કારણ કે સામાન્ય રીતે માણસના મૂત્રાશયમાં 300થી 500 મિ.લિ. યુરિન સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે.

અપોલો હોસ્પિટલ, નોઇડાના ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોન વિશેષજ્ઞ ડૉ. બી.કે. રાય જણાવે છે કે વારંવાર પેશાબ લાગવી શરીર માટે નુકસાનીકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જ્યારે પેશાબની આ આદત ઊંઘમાં વિક્ષેપ લાવે અથવા સામાન્ય જીવનને અસર કરે ત્યારે તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી બને છે.

ડૉ. રાયના જણાવ્યા અનુસાર, વારંવાર પેશાબ થવું ડાયાબિટીસ, યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI), ઓવરએક્ટિવ બ્લેડર, અથવા પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા જેવી સ્થિતિઓનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે આ સમસ્યા સતત રહે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું સંકેત આપે છે.

ડાયાબિટીસ: બ્લડ શુગર લેવલ વધવાથી શરીરમાં યુરિન વધે છે, જે વારંવાર પેશાબનું કારણ બને છે.

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI): ખાસ કરીને મહિલાઓમાં સામાન્યથી વધુ વાર પેશાબ જવાની એક મુખ્ય ભૂમિકા ભજવે છે.

ઓવરએક્ટિવ બ્લેડર: જ્યારે બ્લેડરની મસલ્સ વધારે સક્રિય હોય ત્યારે વારંવાર પેશાબ થવાની તકલીફ થાય છે.

પ્રોસ્ટેટની સમસ્યા: પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધે ત્યારે યુરિન પાથમાં અવરોધ ઊભો થાય છે, જે પેશાબ અધૂરો રહી જાય એવી ફીલિંગ લાવે છે.

આ સમસ્યાથી બચવા માટે પાણી પીવાની પદ્ધતિ સુધારવી ખૂબ જરૂરી છે. એકસાથે વધુ પાણી પીવાને બદલે ધીમે ધીમે પીવું વધુ ફાયદાકારક છે. સાથે સાથે કોફી, ચા, કોલ્ડ ડ્રિંક, દારૂ, તીખા-ખાટા પદાર્થો, ટમેટાં અને ચોકલેટ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

વારંવાર પેશાબ થતી સમસ્યા માટે કિગલ એક્સરસાઇઝ પણ ખૂબ અસરકારક છે. આથી પેલ્વિક ફ્લોર મસલ્સ મજબૂત થાય છે અને યુરિન પર નિયંત્રણ વધે છે. ઉપરાંત જો વજન વધારે છે તો એ પણ મૂત્રાશય પર દબાણ ઊભું કરે છે. તેથી નિયમિત વજન નિયંત્રણ રાખવું અનિવાર્ય છે.

જો તમે દિવસમાં 3-4 લીટર પાણી પીતા હોવ તો દરેક 3-4 કલાકે પેશાબ જવું સામાન્ય છે. પરંતુ જો વારંવાર પેશાબ થાય છે, ખાસ કરીને 7-8 વખતથી વધુ, તો આરોગ્ય ચકાસણી કરાવવી અનિવાર્ય છે. સમયસર કાર્યવાહી કરીને આવતી મોટી બીમારીથી બચી શકાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સમસ્યા જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
