કાનુની સવાલ : શું તમારી પ્રોપર્ટીમાં કોઈ Co-Ownerને આખી મિલકત વેચવાનો અધિકાર છે? કાયદો શું કહે છે તે જાણો
પરિવાર અથવા વ્યવસાયિક ભાગીદારો વચ્ચે ઘણીવાર વિવાદો ઉભા થાય છે કે શું એક સહ-માલિક બીજા માલિકોની પરવાનગી વિના આખી મિલકત વેચી શકે છે. ઘણા લોકો માને છે કે જો મિલકતનો એક ભાગ તેમના નામે નોંધાયેલ હોય, તો તેઓ આખી મિલકત વેચી શકે છે, કાયદો શું કહે ચાલો જાણીએ.

પ્રોપર્ટી કે સંપત્તિ ખુબ જ મહત્વનો મુદો છે. જો થોડી પર ભૂલ થઈ કે, બેદરકારી રહી તો કરોડો રુપિયાની સંપત્તિનો વિવાદ ઉભો થઈ શકે છે. હંમેશા પરિવાર,ભાઈ-બહેન, પતિ કે પત્ની અથવા વ્યાપારિક ભાગીદારો વચ્ચે આ વિવાદ સામે આવે છે કે, શું કોઈ એક Co-Owner અન્ય માલિકોની અનુમતિ વગર આખી સંપત્તિ વેચી શકે છે.

ઘણા લોકો એવું માને છે કે જો મિલકતનો એક ભાગ તેમના નામે નોંધાયેલ હોય, તો તેઓ આખી મિલકત વેચી શકે છે, જ્યારે ભારતીય કાયદો અન્યથા જોગવાઈ કરે છે.ભારતમાં આની સાથે જોડાયેલા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882ની કલમ 44 આ વિષયમાં સ્પષ્ટ દિશા નિર્દેશ આપે છે.

તાજેતરના ન્યાયિક નિર્ણયોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સહ-માલિક ફક્ત તેનો અવિભાજિત હિસ્સો જ ટ્રાન્સફર કરી શકે છે. અન્ય સહ-માલિકોની સંમતિ વિના સંપૂર્ણ મિલકત વેચવાથી કાનૂની વિવાદો થઈ શકે છે. આ બાબતે સંપૂર્ણ કાનૂની માહિતી ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ભારતીય કાનુન અનુસાર કોઈ પણ સંયુક્ત સંપત્તિનો પ્રત્યેક Co-Owner એટલે કે, સહ-માલિક પાસે સમગ્ર મિલકત પર સહિયારા અધિકારો રાખે છે પરંતુ તેનું સ્વામિત્વ માત્ર પોતાના ભાગ સુધી સીમિત હોય છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882ની કલમ 44 કહે છે કે, સહ-માલિક પોતાના અવિભાજિત ભાગનું હસ્તાંતરણ કરી શકે છે.

ભારતીય કાનુન અનુસાર કોઈ પણ સંયુક્ત સંપત્તિનો પ્રત્યેક Co-Owner એટલે કે, સહ-માલિક પાસે સમગ્ર મિલકત પર સહિયારા અધિકારો રાખે છે પરંતુ તેનું સ્વામિત્વ માત્ર પોતાના ભાગ સુધી સીમિત હોય છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882ની કલમ 44 કહે છે કે, સહ-માલિક પોતાના અવિભાજિત ભાગનું હસ્તાંતરણ કરી શકે છે.

ભારતીય કાનુન અનુસાર કોઈ પણ સંયુક્ત સંપત્તિનો પ્રત્યેક Co-Owner એટલે કે, સહ-માલિક પાસે સમગ્ર મિલકત પર સહિયારા અધિકારો રાખે છે પરંતુ તેનું સ્વામિત્વ માત્ર પોતાના ભાગ સુધી સીમિત હોય છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882ની કલમ 44 કહે છે કે, સહ-માલિક પોતાના અવિભાજિત ભાગનું હસ્તાંતરણ કરી શકે છે.

ભારતીય કાયદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ,કોઈ પણ સહ-માલિક સંપૂર્ણ સંયુક્ત મિલકત એકલા વેચી શકતો નથી. તેઓ ફક્ત તેમનો અવિભાજિત હિસ્સો ટ્રાન્સફર કરી શકે છે.

જો સમગ્ર મિલકત વેચવાની હોય, તો બધા સહ-માલિકોની સંમતિ અને સહીઓ જરૂરી છે. સંમતિ વિના વેચાણ કાનૂની વિવાદો તરફ દોરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
