AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery of Soul : શું મૃત્યુ બાદ આત્માનું અસ્તિત્વ હોય છે ? જાણો રહસ્યમય વાત

મૃત્યુ એ જીવનની એક એવી સત્યતા છે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ મૃત્યુ પછી શું થાય છે એ પ્રશ્ન માનવજાતને હંમેશા વિચલિત કરતો રહ્યો છે. આ પ્રશ્ન માત્ર એક ભૌતિક અંત નથી પણ આધ્યાત્મિક, તત્વજ્ઞાની અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વ ધરાવે છે.

| Updated on: May 02, 2025 | 6:43 PM
હિન્દુ માન્યતાઓ અનુસાર મૃત્યુ એ અંત નથી પણ નવી શરૂઆત છે. આત્મા અમર છે અને તે એક શરીર છોડીને બીજું ગ્રહણ કરે છે. પુંનર્જન્મ અને કર્મ સિદ્ધાંત મુજબ આપણું આવતા જન્મનું સ્વરૂપ આપણા વર્તમાન કર્મો પર આધાર રાખે છે. (Credits: - Canva)

હિન્દુ માન્યતાઓ અનુસાર મૃત્યુ એ અંત નથી પણ નવી શરૂઆત છે. આત્મા અમર છે અને તે એક શરીર છોડીને બીજું ગ્રહણ કરે છે. પુંનર્જન્મ અને કર્મ સિદ્ધાંત મુજબ આપણું આવતા જન્મનું સ્વરૂપ આપણા વર્તમાન કર્મો પર આધાર રાખે છે. (Credits: - Canva)

1 / 9
ઈસ્લામ મુજબ મૃત્યુ પછી આત્મા "બર્ઝખ"  નામની અવસ્થામાં રહે છે અને કયામતના દિવસે બધી આત્માઓ પુનઃજીવિત થશે. એ દિવસે તેમના કર્મોનું મૂલ્યાંકન થશે અને સ્વર્ગ કે નર્ક ફાળવાશે.ઇસ્લામમાં મૃત્યુ એ દુન્યવી જીવનનો અંત અને મૃત્યુ પછીના જીવનની શરૂઆત છે. મૃત્યુને માનવ શરીરથી આત્માનું અલગ થવું અને આ દુનિયાથી મૃત્યુ પછીના જીવનમાં તેનું સ્થાનાંતરણ તરીકે જોવામાં આવે છે (Credits: - Canva)

ઈસ્લામ મુજબ મૃત્યુ પછી આત્મા "બર્ઝખ" નામની અવસ્થામાં રહે છે અને કયામતના દિવસે બધી આત્માઓ પુનઃજીવિત થશે. એ દિવસે તેમના કર્મોનું મૂલ્યાંકન થશે અને સ્વર્ગ કે નર્ક ફાળવાશે.ઇસ્લામમાં મૃત્યુ એ દુન્યવી જીવનનો અંત અને મૃત્યુ પછીના જીવનની શરૂઆત છે. મૃત્યુને માનવ શરીરથી આત્માનું અલગ થવું અને આ દુનિયાથી મૃત્યુ પછીના જીવનમાં તેનું સ્થાનાંતરણ તરીકે જોવામાં આવે છે (Credits: - Canva)

2 / 9
ખ્રિસ્તી માન્યતાઓ અનુસાર માનવ જીવન પછી ઈસુ ખ્રિસ્તના ન્યાય અનુસાર લોકો સ્વર્ગ કે નર્કમાં જાય છે. તેમના મતે સારા કર્મો કરનાર લોકોને ઈશ્વરના સાનિધ્યમાં સ્થાન મળે છે. (Credits: - Canva)

ખ્રિસ્તી માન્યતાઓ અનુસાર માનવ જીવન પછી ઈસુ ખ્રિસ્તના ન્યાય અનુસાર લોકો સ્વર્ગ કે નર્કમાં જાય છે. તેમના મતે સારા કર્મો કરનાર લોકોને ઈશ્વરના સાનિધ્યમાં સ્થાન મળે છે. (Credits: - Canva)

3 / 9
બૌદ્ધ ધર્મમાં આત્માનું અસ્તિત્વ સ્વીકારવામાં આવતું નથી, પણ જીવન એક ચક્ર તરીકે માનવામાં આવે છે. મુક્તિ માટે નિર્વાણ મેળવવાની તાકાત રાખવી પડે છે, જે દુખથી મુક્તિ આપે છે. (Credits: - Canva)

બૌદ્ધ ધર્મમાં આત્માનું અસ્તિત્વ સ્વીકારવામાં આવતું નથી, પણ જીવન એક ચક્ર તરીકે માનવામાં આવે છે. મુક્તિ માટે નિર્વાણ મેળવવાની તાકાત રાખવી પડે છે, જે દુખથી મુક્તિ આપે છે. (Credits: - Canva)

4 / 9
વિજ્ઞાન મુજબ મૃત્યુ એ શરીરના જીવત્વના અંત છે. મગજ અને હ્રદયની ક્રિયાઓ બંધ થવાથી વ્યક્તિને મૃત ઘોષિત કરવામાં આવે છે. પરંતુ સમકાલીન સંશોધનોમાં મૃત્યુ નજીકનો અનુભવ ( Near Death Experience (NDE) ) એ એક રસપ્રદ વિષય બની ગયો છે. (Credits: - Canva)

વિજ્ઞાન મુજબ મૃત્યુ એ શરીરના જીવત્વના અંત છે. મગજ અને હ્રદયની ક્રિયાઓ બંધ થવાથી વ્યક્તિને મૃત ઘોષિત કરવામાં આવે છે. પરંતુ સમકાલીન સંશોધનોમાં મૃત્યુ નજીકનો અનુભવ ( Near Death Experience (NDE) ) એ એક રસપ્રદ વિષય બની ગયો છે. (Credits: - Canva)

5 / 9
ઘણા લોકોએ મૃત્યુ નજીક અનુભવેલી ઘટનાઓ વિશે વર્ણન કર્યું છે જેમ કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, શાંતિનો અનુભવ, શરીર બહાર જવું વગેરે. આ અભિગમને વૈજ્ઞાનિક રીતે તંત્રિકા તંત્રની પ્રક્રિયા, ઓક્સિજનની અછત, અથવા મગજમાં રાસાયણિક પદાર્થોની અસર તરીકે સમજાવવામાં આવે છે. (Credits: - Canva)

ઘણા લોકોએ મૃત્યુ નજીક અનુભવેલી ઘટનાઓ વિશે વર્ણન કર્યું છે જેમ કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, શાંતિનો અનુભવ, શરીર બહાર જવું વગેરે. આ અભિગમને વૈજ્ઞાનિક રીતે તંત્રિકા તંત્રની પ્રક્રિયા, ઓક્સિજનની અછત, અથવા મગજમાં રાસાયણિક પદાર્થોની અસર તરીકે સમજાવવામાં આવે છે. (Credits: - Canva)

6 / 9
વૈજ્ઞાનિક રીતે માનવામાં આવે છે કે જ્યારે મગજ સંપૂર્ણ રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે, ત્યારે વ્યક્તિને મૃત્યુ પામેલો ગણાય છે. એ સમયે ચેતના પણ સમાપ્ત થાય છે.અનેક લોકોએ એવો અનુભવ કર્યો છે કે જેમ કે તેઓ તેમના શરીરથી બહાર જઈને લાઈટ તરફ આગળ વધે છે, મૃત સગાઓને મળે છે, વગેરે. આવું તેમનું મગજ મરતા પહેલાં ફાળવતું હોઈ શકે છે. (Credits: - Canva)

વૈજ્ઞાનિક રીતે માનવામાં આવે છે કે જ્યારે મગજ સંપૂર્ણ રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે, ત્યારે વ્યક્તિને મૃત્યુ પામેલો ગણાય છે. એ સમયે ચેતના પણ સમાપ્ત થાય છે.અનેક લોકોએ એવો અનુભવ કર્યો છે કે જેમ કે તેઓ તેમના શરીરથી બહાર જઈને લાઈટ તરફ આગળ વધે છે, મૃત સગાઓને મળે છે, વગેરે. આવું તેમનું મગજ મરતા પહેલાં ફાળવતું હોઈ શકે છે. (Credits: - Canva)

7 / 9
ઘણા ધર્મો આત્માને શુભ કાર્ય અને જ્ઞાન દ્વારા મુક્તિ મેળવવાના માર્ગ તરીકે જુએ છે. મોક્ષ એ મંત્રમુગ્ધ અવસ્થા છે જ્યાં આત્મા પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થાય છે અને એ દિવ્ય શક્તિ સાથે એકરૂપ બને છે. (Credits: - Canva)

ઘણા ધર્મો આત્માને શુભ કાર્ય અને જ્ઞાન દ્વારા મુક્તિ મેળવવાના માર્ગ તરીકે જુએ છે. મોક્ષ એ મંત્રમુગ્ધ અવસ્થા છે જ્યાં આત્મા પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થાય છે અને એ દિવ્ય શક્તિ સાથે એકરૂપ બને છે. (Credits: - Canva)

8 / 9
મૃત્યુ પછી શું થાય છે તેનો ચોક્કસ જવાબ ભલે ન હોય, પરંતુ જુદા જુદા દૃષ્ટિકોણો દ્વારા મળતી સમજ અપણે જીવન અને મૃત્યુને વધારે સમજદારીથી સ્વીકારી શકીએ છીએ. ( આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે ) (Credits: - Canva)

મૃત્યુ પછી શું થાય છે તેનો ચોક્કસ જવાબ ભલે ન હોય, પરંતુ જુદા જુદા દૃષ્ટિકોણો દ્વારા મળતી સમજ અપણે જીવન અને મૃત્યુને વધારે સમજદારીથી સ્વીકારી શકીએ છીએ. ( આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે ) (Credits: - Canva)

9 / 9

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">