શું તમે પણ ગરમ ખોરાકને ફ્રિજમાં રાખીને ઠંડો કરો છો, તો જાણો તેનાથી કેટલું નુકસાન થાય છે
શું તમે ક્યારેય વિચાર્ય કે ગરમ ગરમ ખોરાક ફ્રિજમાં રાખી તો શું થાય,શું તમે ક્યારેય વિચાર્યું છે કે આની આડ અસર શું હોઈ શકે? જો તમે પણ આવું કરો છો તો જાણી લો જો તમે ફ્રિજમાં ગરમાગરમ ખાવાનું રાખો તો શું થાય છે.

ઘણી વખત લોકો ફ્રિજમાં ગરમ(Hot Food) ખોરાક રાખે છે. જોકે આના કારણો અલગ છે. ઘણી વખત ઓફિસ કે સ્કૂલ જવાની ઉતાવળમાં ખોરાકને ઠંડુ કરવા માટે આવું કરવામાં આવે છે અને ઘણી વખત બહાર નીકળવાની ઉતાવળમાં ગરમ ખોરાકને ફ્રીજમાં સ્ટોર કરી દેવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આની આડ અસર શું હોઈ શકે? જો તમે પણ આવું કરો છો તો જાણી લો જો તમે ફ્રિજમાં ગરમાગરમ ખાવાનું રાખો તો શું થાય છે.

સાયન્સ એબીસીના અહેવાલ મુજબ, જો તમે રેફ્રિજરેટરનું મેન્યુઅલ વાંચો છો, તો તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે તેમાં ગરમ વસ્તુઓ ન રાખો. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી, તે રેફ્રિજરેટરની કામ કરવાની ક્ષમતાને સીધી અસર કરે છે. આવા ગરમ ખોરાક ફ્રિજ પર વધારાનું દબાણ લાવે છે.

વિજ્ઞાન કહે છે કે જો તમે આમ કરશો તો લાંબા ગાળે ફ્રિજની કામ કરવાની ક્ષમતા ઘટી શકે છે. કારણ કે જ્યારે પણ તમે ફ્રિજમાં ગરમ ખોરાક રાખો છો, તો તે અંદરનું તાપમાન બગાડે છે. આની અસર ફ્રિજની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પડે છે. તાપમાનને નિયંત્રિત કરવા માટે, ફ્રીજ પર દબાણ વધે છે.

રિપોર્ટ અનુસાર, ફ્રિજના કોમ્પ્રેસરને ગરમ ખોરાક રાખતી વખતે તાપમાન જાળવી રાખવા માટે વધુ કામ કરવું પડે છે. આ વારંવાર કરવાથી કોમ્પ્રેસરનું જીવન ટૂંકું થઈ શકે છે અને ખરાબ થવાનું જોખમ વધી શકે છે. તેથી એવું ન કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોએ આમ ન કરવા પાછળ બીજું કારણ આપ્યું છે.

નિષ્ણાતો કહે છે, ફ્રિજનું તાપમાન ઠંડું હોય છે, પરંતુ જ્યારે તેમાં ગરમ વસ્તુઓ રાખવામાં આવે છે, ત્યારે હવા ઘટ્ટ થવા લાગે છે અને દિવાલો પર ટીપાં બાઝવા લાગે છે. આ પાણીના ટીપાં ખોરાકમાં જઈ શકે છે. ખોરાક સુધી પહોંચીને, તેઓ ભેજ વધારે છે. તેનાથી ખોરાક બગડવાનું જોખમ વધી જાય છે, તેથી આવી ભૂલ કરવાનું ટાળો.