જેણે પણ સારું પ્રદર્શન કર્યું, તે થયો બહાર… હવે સંજુ સેમસન પણ IPL 2026માં રાજસ્થાન રોયલ્સમાંથી બહાર?
રાજસ્થાન રોયલ્સ તેમના ખેલાડીઓનું ઓછું મૂલ્યાંકન કરે છે, ખાસ કરીને જેમણે તેમના માટે સારું પ્રદર્શન કર્યું હોય. ઓક્શન પહેલા, તેઓએ કાં તો તેમને રિટેન ન કર્યા અથવા તેમને ટ્રેડ કરવાનો નિર્ણય લીધો. હવે સંજુ સેમસન સાથે પણ આવું જ થવા જઈ રહ્યું છે.

રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંજુ સેમસનના ટ્રેડને લઈને સમાચારમાં છે. આ ટ્રેડના ભાગ રૂપે સંજુ સેમસન રાજસ્થાનથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં જશે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે.

જોકે, આ ટ્રેડ હજુ ફાઈનલ નથી થયો. ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય રાજસ્થાન ફ્રેન્ચાઈઝીનો છે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેમ હોવા છતાં ફ્રેન્ચાઈઝી સંજુ સેમસનને ટ્રેડ કરવા માટે ઉત્સુક છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે રાજસ્થાન રોયલ્સે તેમના માટે સારું પ્રદર્શન કરનારા ખેલાડીને છોડી દીધા હોય. અગાઉ, જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલ સાથે પણ આવી જ ઘટનાઓ બની છે.

બટલરે રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ સદી ફટકારી છે, જ્યારે ચહલ ફ્રેન્ચાઈઝનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. જોકે, તેમણે બેમાંથી એકને પણ રિટેન નથી કર્યા. જેથી હાલ બટલર ગુજરાત ટાઈટન્સ અને ચહલ પંજાબ કિંગ્સમાં રમે છે.

14 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. તેથી, જો રાજસ્થાન રોયલ્સ તેમના ખેલાડીઓને પર્ફોર્મર માનવાનું ચાલુ રાખશે, તો વૈભવને એક દિવસ સેમસન, બટલર અથવા ચહલની જેમ બીજી ફ્રેન્ચાઈઝીમાં જવાની ફરજ પડી શકે છે. (PC : PTI)
સૌપ્રથમ IPL સિઝન જીતનાર રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસનને ટીમની બહાર કરવા તૈયાર. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
