ભારતીય ક્રિકેટરે 12 દિવસ પહેલા સગાઈ કરી અને હવે ફિયાન્સી સાથેના ફોટા ડિલીટ કર્યા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તેમણે હાલમાં તેમની બાળપણની ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે પરંતુ હવે તેમણે ફિયાન્સી સાથેના ફોટો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કર્યા છે. જાણો કેમ?

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે હાલમાં બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી છે. આ સગાઈમાં કેટલાક ક્રિકેટ સ્ટાર પણ જોવા મળ્યા હતા. સગાઈ બાદ કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થયો છે. પરંતુ આ વચ્ચે ફરી એક વખત કુલદીપ યાદવ ચર્ચામાં આવ્યો છે.

કુલદીપ યાદવે 16 જૂનના રોજ વંશિકા સાથે સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા પરંતુ થોડા સમય બાદ આ ફોટો ડિલીટ કરવામાં આવ્યા છે. આ ફોટોમાં કુલદીપે બ્લેક શૂટ અને વંશિકાએ સફેદ ગાઉન પહેર્યું હતુ. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કુલદીપ યાદવે ફોટો ડિલીટ કરતા ચાહકો ચોંકી ગયા છે.

કુલદીપ યાદવે ફોટો ડિલીટ કર્યા બાદ અનેક સવાલો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો બંન્નેના સંબંધોને લઈને પણ વાતો કરી રહ્યા છે. તો કેટલાક ચાહકોનું માનવું છે કે, સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ કે કોમેન્ટ થી બચવા માટે કુલદીપ યાદવે આવું કર્યું છે.

પરંતુ આ મામલે હજુ સુધી કુલદીપ યાદવે સ્પષ્ટતા કરી નથી, એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ કપલ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ લગ્નના બંધનમાં બંધાશે.

કાનપુરની રહેવાસી વંશિકા જે એલઆઈસીમાં કામ કરે છે. કુલદીપ યાદવની બાળપણની ફ્રેન્ડ છે, તેની ફ્રેન્ડશીપ પ્રેમમાં પરિવર્તિત થઈ છે અને સગાઈ કરી છે.

કુલદીપ યાદવે સોશિયલ મીડિયા પર વંશિકા સાથેના ફોટો શેર કરી ચાહકોને સગાઈની જાણકારી આપી હતી. કુલદીપ યાદવે વંશિકા સાથે લખનૌમાં સગાઈ કરી હતી.
કુલદિપ યાદવના પરિવાર વિશે વાત કરીએ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
