PBKS vs RCB : પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બદલ્યો કેપ્ટન
IPL 2025ની ક્વોલિફાયર-1 મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. RCBએ આ મહત્વપૂર્ણ મેચમાં એક મોટો નિર્ણય લીધો હતો અને પંજાબ કિંગ્સ સામે કેપ્ટન જ બદલી કાઢ્યો હતો. RCBને અંતિમ મેચમાં જીત અપાવનાર કેપ્ટન જીતેશ શર્માને કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

IPL 2025ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચની સૌથી મહત્વની વાત એ છે કે બેંગલુરુએ પોતાનો કેપ્ટન જ બદલી કાઢ્યો હતો.

છેલ્લી મેચમાં બેંગલુરુને શાનદાર જીત અપાવનાર જીતેશ શર્માને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, બેંગલુરુના રેગ્યુલર કેપ્ટન રજત પાટીદારને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે, કારણ કે તે ફિટ થઈ ગયો છે.

પાટીદાર છેલ્લી 2 મેચ માટે સંપૂર્ણપણે ફિટ નહોતો, તેથી તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ટીમની કેપ્ટનશીપ જીતેશ શર્માના હાથમાં હતી.

ટોસ જીત્યા પછી, રજત પાટીદારે બોલિંગ કરવાનું પસંદ કર્યું અને તેણે આનું એક ખાસ કારણ જણાવ્યું. પાટીદારે કહ્યું કે પિચ ખૂબ જ કઠિન છે અને તેના પર ઘાસ છે, તેથી શરૂઆતમાં બોલિંગ મદદરૂપ થઈ શકે છે.

પાટીદારે કહ્યું કે સોલ્ટ અને વિરાટે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે તેની પાસેથી પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખે છે. બીજી તરફ, પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો.

RCBની પ્લેઈંગ ઈલેવન : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રજત પાટીદાર, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. (All Photo Credit : PTI)
IPL 2025માં RCBનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શું RCB પહેલીવાર IPL ચેમ્પિયન બની શકશે? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
