AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ટીમ ઈન્ડિયાની જીતની રાહમાં નો-બોલનો કાંટો, કોચે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિનરોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ એક સમસ્યાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. અનુભવી અને નવા બંને સ્પિનરો વારંવાર નો-બોલ કરી રહ્યા છે. કોલંબો ટેસ્ટ દરમિયાન આ ભૂલનું પ્રમાણ એટલું વધ્યું કે કોચે પણ તેના કારણો અને સંભવિત ઉકેલ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

| Updated on: Aug 26, 2026 | 9:12 PM
Share
કોલંબો ટેસ્ટમાં ભારતીય સ્પિન આક્રમણે શ્રીલંકાના બેટ્સમેનો પર સતત દબાણ બનાવ્યું છે. જોકે, બોલિંગ દરમિયાન નો-બોલની ભૂલ ટીમ માટે ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને સારાંશ જૈનના નો-બોલે ચર્ચા જગાવી છે.

કોલંબો ટેસ્ટમાં ભારતીય સ્પિન આક્રમણે શ્રીલંકાના બેટ્સમેનો પર સતત દબાણ બનાવ્યું છે. જોકે, બોલિંગ દરમિયાન નો-બોલની ભૂલ ટીમ માટે ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને સારાંશ જૈનના નો-બોલે ચર્ચા જગાવી છે.

1 / 5
ટેસ્ટના ત્રીજા અને ચોથા દિવસે ભારતીય સ્પિનરોએ મોટી સંખ્યામાં ઓવર ફેંકી હતી. ચોથા દિવસ સુધીમાં જાડેજા અને સારાંશ જૈને મળીને 75 ઓવર ફેંકી હતી, જેમાં બંનેએ કુલ 10 નો-બોલ કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં જાડેજાએ ત્રણ અને સરાંશે બે નો-બોલ કર્યા હતા.

ટેસ્ટના ત્રીજા અને ચોથા દિવસે ભારતીય સ્પિનરોએ મોટી સંખ્યામાં ઓવર ફેંકી હતી. ચોથા દિવસ સુધીમાં જાડેજા અને સારાંશ જૈને મળીને 75 ઓવર ફેંકી હતી, જેમાં બંનેએ કુલ 10 નો-બોલ કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં જાડેજાએ ત્રણ અને સરાંશે બે નો-બોલ કર્યા હતા.

2 / 5
આ સમસ્યા અંગે ટીમના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે વિકેટ ન મળતી હોય ત્યારે બોલરો વધુ દબાણ બનાવવાના પ્રયાસમાં ક્યારેક નો-બોલ કરી બેસે છે. જોકે, ટીમ આ સમસ્યાના ઉકેલ માટે સતત કામ કરી રહી છે.

આ સમસ્યા અંગે ટીમના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે વિકેટ ન મળતી હોય ત્યારે બોલરો વધુ દબાણ બનાવવાના પ્રયાસમાં ક્યારેક નો-બોલ કરી બેસે છે. જોકે, ટીમ આ સમસ્યાના ઉકેલ માટે સતત કામ કરી રહી છે.

3 / 5
બહુતુલેએ જણાવ્યું કે જાડેજા અને સારાંશ સાથે તેમના ટેક-ઓફ પોઈન્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમના મતે, ટેસ્ટ ક્રિકેટમાં પણ વનડે અને T20ની જેમ ફ્રી-હિટનો નિયમ લાગુ કરવામાં આવે તો બોલરોની નો-બોલ કરવાની ભૂલમાં ઘટાડો થઈ શકે છે.

બહુતુલેએ જણાવ્યું કે જાડેજા અને સારાંશ સાથે તેમના ટેક-ઓફ પોઈન્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમના મતે, ટેસ્ટ ક્રિકેટમાં પણ વનડે અને T20ની જેમ ફ્રી-હિટનો નિયમ લાગુ કરવામાં આવે તો બોલરોની નો-બોલ કરવાની ભૂલમાં ઘટાડો થઈ શકે છે.

4 / 5
જાડેજાના આંકડા પણ આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. 2021થી ટેસ્ટ ક્રિકેટમાં તેણે 88 નો-બોલ કર્યા છે, જે આ સમયગાળામાં સ્પિનરોમાં સૌથી વધુ છે. કોલંબો ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ નો-બોલને કારણે તેની એક વિકેટ રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માગે છે. (PC:PTI/X)

જાડેજાના આંકડા પણ આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. 2021થી ટેસ્ટ ક્રિકેટમાં તેણે 88 નો-બોલ કર્યા છે, જે આ સમયગાળામાં સ્પિનરોમાં સૌથી વધુ છે. કોલંબો ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ નો-બોલને કારણે તેની એક વિકેટ રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માગે છે. (PC:PTI/X)

5 / 5

ICC રેન્કિંગમાં રિષભ પંતનો ધમાકો, 6 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં પહોંચ્યો, ભારતનો નંબર 1 બેટ્સમેન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">