IND vs SL: રવિચંદ્નન અશ્વિને મોહાલીમાં મેળવી ખાસ ઉપલ્બ્ધી, એક મેચ ઓછી રમીને પણ દિગ્ગજને છોડી દીધો પાછળ

ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી મોટા મેચ-વિનર તરીકે ઉભરી ચુકેલ અશ્વિન (Ashwin) દરેક મેચ સાથે તેના આંકડા અને રેકોર્ડમાં સુધારો કરવાનું ચાલુ રાખે છે, મોહાલી (Mohali Test) માં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક સિદ્ધિ પોતાના નામે મેળવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:47 PM
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તેની સામે ટકી રહેવું બેટ્સમેન માટે આસાન નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મેચ-વિનર તરીકે ઉભરી ચુકેલ અશ્વિન દરેક મેચ સાથે તેના આંકડા અને રેકોર્ડમાં સુધારો કરવાનું ચાલુ રાખે છે, મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક સિદ્ધિ પોતાના નામે મેળવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તેની સામે ટકી રહેવું બેટ્સમેન માટે આસાન નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મેચ-વિનર તરીકે ઉભરી ચુકેલ અશ્વિન દરેક મેચ સાથે તેના આંકડા અને રેકોર્ડમાં સુધારો કરવાનું ચાલુ રાખે છે, મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક સિદ્ધિ પોતાના નામે મેળવી છે.

1 / 5
અનુભવી ભારતીય સ્પિનર ​​અશ્વિને 5 માર્ચ શનિવારના રોજ શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. આમાં બીજી વિકેટ ધનંજય ડી સિલ્વાની હતી, જેને અશ્વિને LBW કર્યો હતો. આ સાથે અશ્વિને ન્યૂઝીલેન્ડના મહાન ઝડપી બોલર રિચર્ડ હેડલીને પાછળ છોડી દીધો છે.

અનુભવી ભારતીય સ્પિનર ​​અશ્વિને 5 માર્ચ શનિવારના રોજ શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. આમાં બીજી વિકેટ ધનંજય ડી સિલ્વાની હતી, જેને અશ્વિને LBW કર્યો હતો. આ સાથે અશ્વિને ન્યૂઝીલેન્ડના મહાન ઝડપી બોલર રિચર્ડ હેડલીને પાછળ છોડી દીધો છે.

2 / 5
અશ્વિનની આ 432મી ટેસ્ટ વિકેટ હતી અને આ રીતે તેણે હેડલી (431) ને પાછળ છોડી દીધો હતો. હેડલીએ 86 ટેસ્ટમાં આટલી વિકેટ લીધી હતી અને અશ્વિને માત્ર 85 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી, જે તેના કરતા એક ઓછી છે.

અશ્વિનની આ 432મી ટેસ્ટ વિકેટ હતી અને આ રીતે તેણે હેડલી (431) ને પાછળ છોડી દીધો હતો. હેડલીએ 86 ટેસ્ટમાં આટલી વિકેટ લીધી હતી અને અશ્વિને માત્ર 85 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી, જે તેના કરતા એક ઓછી છે.

3 / 5
હેડલી 1993 સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જેનો રેકોર્ડ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે તોડ્યો હતો. કપિલે તેની કારકિર્દીમાં 434 વિકેટ લઈને લગભગ 7 વર્ષ સુધી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે અશ્વિન પાસે આ મેચમાં કપિલને પાછળ છોડવાની તક છે. કપિલને પાછળ છોડવા માટે અશ્વિનને માત્ર 3 વિકેટની જરૂર છે.

હેડલી 1993 સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જેનો રેકોર્ડ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે તોડ્યો હતો. કપિલે તેની કારકિર્દીમાં 434 વિકેટ લઈને લગભગ 7 વર્ષ સુધી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે અશ્વિન પાસે આ મેચમાં કપિલને પાછળ છોડવાની તક છે. કપિલને પાછળ છોડવા માટે અશ્વિનને માત્ર 3 વિકેટની જરૂર છે.

4 / 5
અશ્વિનની બે વિકેટની મદદથી ભારતે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોર માત્ર 104 રન થઈ શક્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે ત્રીજા દિવસે અશ્વિન વધુ 3 વિકેટ લઈને કપિલને પાછળ છોડી દેશે.

અશ્વિનની બે વિકેટની મદદથી ભારતે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોર માત્ર 104 રન થઈ શક્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે ત્રીજા દિવસે અશ્વિન વધુ 3 વિકેટ લઈને કપિલને પાછળ છોડી દેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">