Breaking News: શ્રીસંત પરનો પ્રતિબંધ આખરે હટ્યો, બિનશરતી માફી માંગ્યા બાદ મળી મોટી રાહત
ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીસંતની આખી કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી હતી, અને નિવૃત્તિ પછી પણ તે વિવાદોથી દૂર રહ્યો નથી. એક વિવાદ માટે તેના પર ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો, જોકે માફી માંગ્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પર લાદવામાં આવેલ ત્રણ વર્ષનો પ્રતિબંધ આખરે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે KCA વિશે ટિપ્પણીઓ કર્યા બાદ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

શ્રીસંત પરનો પ્રતિબંધ હટાવ્યા પછી, KCA એ એક પ્રેસ રિલીઝ બહાર પાડી, જેમાં લખ્યું, 'આ નિર્ણય શ્રીસંતની બિનશરતી માફીના આધારે લેવામાં આવ્યો છે જેમાં તેણે KCA વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.'

શ્રીસંતે સંજુ સેમસનની પસંદગી ન થયા બાદ આ નિવેદન આપ્યું હતું. તેણે કેરળ ક્રિકેટ એસોસિએશન પર વિજય હજારે માટે કેરળ ટીમમાં ઈદાપૂર્વક સંજુ સેમસનનો સમાવેશ ન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પરિણામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની પસંદગી થઈ હતી. જોકે, ખેલાડીએ હવે પોતાના નિવેદન બદલ માફી માંગી છે.

શ્રીસંતની આખી કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. આવા જ એક વિવાદે તેની કારકિર્દી લગભગ બરબાદ કરી દીધી હતી. 2013 ના IPL દરમિયાન તે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં ફસાયો હતો, જેના પછી BCCI એ તેના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આખરે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

શ્રીસંતે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચોમાં 87, 53 વનડેમાં 75 અને 10 T20 મેચોમાં 7 વિકેટ લીધી છે. શ્રીસંતે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. (PC-GETTY IMAGE)
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણીનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે? ટીવી અને મોબાઈલ પર કેવી રીતે જોશો મેચ?
