Gadarના એક નહીં પરંતુ 4 સ્ટાર્સે દુનિયાને કહી દીધું અલવિદા, Gadar 2ના આ 4 પાત્રને મિસ કરશે ચાહકો!
Gadar 2 : આ વખતે પણ ઉત્કર્ષ શર્મા ફિલ્મમાં તારા સિંહ અને શકીનાના પુત્રની ભૂમિકામાં જોવા મળશે. ગદર 2 (Gadar 2 )ના ડાયલોગ પણ ચાહકોને હચમચાવી નાંખશે. થિયેટરમાં ઉભા થઈ તાળીઓ પાડવા પણ મજબુર કરશે.

બોલિવૂડના દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર-2'રિલીઝ થવાને માત્ર હવે ગણતરીની કલાકો બાકી છે. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ વખતે ફિલ્મના કેટલાક પાત્રો જોવા મળશે નહીં.

ગદર-2માં ચાહકો અશરફ અલી એટલે કે અમરીશ પુરીને મિસ કરશે. અમરીશ પુરીની સાથે ઓમપુરી, વિવેક શૌક, મિથલેશ ચતુર્વેદી પણ આ વખતે જોવા મળશે નહીં. અમરીશ પુરીને શકીના એટલે કે અમીષા પટેલના પિતાના રોલમાં બતાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2005માં તેમનું નિધન થયું, જેના કારણે હવે ફિલ્મમાં તેમની જગ્યા કોઈ અન્ય કલાકાર જોવા મળી શકે છે.

ફિલ્મમાં ઓમપુરીનું પાત્ર મહત્ત્વનું હતું, પરંતુ તેમનું પણ વર્ષ 2017માં નિધન થયું હતું. ફિલ્મમાં ડર્મિયન સિંહનો રોલ કરનાર વિવેક શૌકે પણ વર્ષ 2011માં દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ સિવાય 'ગદર'માં અખબારના સંપાદકની ભૂમિકા ભજવનાર મિથલેશ ચતુર્વેદીનું પણ વર્ષ 2022માં અવસાન થયું હતું. 'ગદર-2'માંથી આ ચાર પાત્રો ગાયબ જોવા મળશે. તેમના સ્થાને અન્ય કલાકાર જોવા મળી શકે છે.

ગદર 2માં અમીષા પટેલ આ વખતે પણ શકીનાના રોલમાં હશે. અને ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્રના રોલમાં જોવા મળશે. 22 વર્ષ પછી તે મોટો થઈને ફરી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ગદર વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. આ સિવાય આ વખતે સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળશે.

ગદર 2માં અમીષા પટેલ આ વખતે પણ શકીનાના રોલમાં હશે. અને ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્રના રોલમાં જોવા મળશે. 22 વર્ષ પછી તે મોટો થઈને ફરી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ગદર વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. આ સિવાય આ વખતે સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળશે.