ચોટીલા અને ગીરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26માં ભાગ લેવા જાણી લો આ વાત
ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m) જેટલી છે. માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.ગીરનારમાં પણ આરોહણ અરોહણ સ્પર્ધાનું આયોજન કરાશે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તેમજજિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26 માટેની પોસ્ટ youth activitiesએ સોશિયલ મીડિયા પર કરી છે. જેમાં સ્પર્ધકો વધુ માહિતી મેળવી શકે છે.

જો તમે પણ ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26માં ભાગ લેવા માંગો છો. તો જાણી લો કોણ કોણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે, તેમજ ફોર્મ ભરવાની તારીખ શું છે.

કોણ ભાગ લઇ શકે? 14 થી 18 વર્ષ (ભાઈઓ / બહેનો)આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-11-2025 આ સ્પર્ધા અંદાજે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાઈ શકે છે.

તમે ફોર્મ રૂબરૂ / કુરિયર / પોસ્ટ થી જમા કરાવી શકો છો. તેમજ મહત્વની વાત એ છે કે, જો સમયમર્યાદા બાદ કે અધૂરું ફોર્મ રદ્દ થશે. તમે ફોર્મ ડાઉનલોડ કરવા પોસ્ટમાં આપેલ QR code સ્કેન કરી શકો છો.

અખિલ ગુજરાત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા 2026નું આયોજન ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આવનારા જાન્યુઆરી 2026ના પ્રથમ અઠવાડિયામાં, જુનાગઢ મુકામે થશે. (Photo : youth Activities Gujarat)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
