BSNLનો ધમાકેદાર પ્લાન ! 147 રુપિયામાં આખો મહિનો ચાલશે મોબાઈલ
BSNLનો સૌથી સસ્તો પ્લાન 147 રૂપિયાથી શરૂ થાય છે. BSNLનો 147 રૂપિયાનો પ્લાન 30 દિવસ માટે છે. જો તમે આ પ્લાનની એક દિવસની કિંમત જુઓ, તો તે ફક્ત 5 રૂપિયામાં આવે છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના વપરાશકર્તાઓ માટે સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જો તમે ઓછા બજેટમાં આખા મહિના સુધી કોલિંગથી વાત કરવા અને SMS મોકલવાનો પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન BSNL વપરાશકર્તાઓ માટે ઉપયોગી થશે. BSNLનો સૌથી સસ્તો પ્લાન 147 રૂપિયાથી શરૂ થાય છે. BSNLનો 147 રૂપિયાનો પ્લાન 30 દિવસ માટે છે. જો તમે આ પ્લાનની એક દિવસની કિંમત જુઓ, તો તે ફક્ત 5 રૂપિયામાં આવે છે.

જો તમે ઓછા બજેટમાં સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNLના આ પ્લાન તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. BSNL એ 147 રૂપિયા, 247 રૂપિયા અને 299 રૂપિયાના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ ત્રણેય પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે પરંતુ ફાયદા અલગ અલગ છે.

BSNLનો 147 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ સેવા મળે છે. આ સાથે, તેમાં 10GB ડેટા પણ આપવામાં આવે છે. જ્યારે 10GB ડેટા ખતમ થઈ જાય છે, ત્યારે ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40 Kbps થઈ જશે. આ પ્લાન એવા યુઝર્સ માટે સારો છે જેમને વધુ કોલ કરવા પડે છે અને ઓછા ડેટાની જરૂર હોય છે.

BSNLનો 247 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ છે જે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, 50GB FUP ડેટા અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. ડેટા ખતમ થયા પછી, સ્પીડ ફરીથી 40 Kbps થઈ જાય છે. આ પ્લાનમાં વધારાનો ફાયદો એ છે કે તેમાં BSNL ટ્યુન્સની સુવિધા અને 10 રૂપિયાનો ટોક ટાઇમ પણ શામેલ છે.

આ સિવા ય 299 રૂપિયાનો પ્લાન પણ છે તે પણ 30 દિવસની વેલિડિટી સાથે પણ આવે છે. તે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 3GB ડેટા અને દરરોજ 100 SMS આપે છે. ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40 Kbps થઈ જશે. આ પ્લાન એવા યુઝર્સ માટે ફાયદાકારક છે જેમને દરરોજ વધુ ઇન્ટરનેટની જરૂર હોય છે.

એકંદરે, BSNL ના આ પ્રીપેડ પ્લાન વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. જો તમારી જરૂરિયાત ફક્ત કોલિંગની છે, તો 147 રૂપિયાનો પ્લાન તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમને વધુ ડેટા અને SMS સેવા જોઈતી હોય, તો તમે 247 રૂપિયા અથવા 299 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































