AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી બની સંન્યાસી, કિન્નર અખાડામાંથી લીધી દીક્ષા

ઘણી બોલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી સંન્યાસી બની ગઈ છે. તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. હવે તે નવા નામથી ઓળખાશે. તે મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીના માર્ગદર્શન હેઠળ મહામંડલેશ્વર બનશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2025 | 6:00 PM
Share
મમતા કુલકર્ણીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. હવે તે સંન્યાસી બની ગઈ છે. તેમણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. આધ્યાત્મિક માર્ગને અનુસરીને, તેમણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 દરમિયાન કિન્નર અખાડામાં સંન્યાસની દીક્ષા લીધી. તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવી છે.

મમતા કુલકર્ણીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. હવે તે સંન્યાસી બની ગઈ છે. તેમણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. આધ્યાત્મિક માર્ગને અનુસરીને, તેમણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 દરમિયાન કિન્નર અખાડામાં સંન્યાસની દીક્ષા લીધી. તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવી છે.

1 / 5
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીના માર્ગદર્શન હેઠળ મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનશે. આજે એટલે કે 24 જાન્યુઆરીએ, તે પિંડદાન કરશે અને તેમનો પટ્ટા અભિષેક સાંજે 6 વાગ્યે થશે.

કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીના માર્ગદર્શન હેઠળ મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનશે. આજે એટલે કે 24 જાન્યુઆરીએ, તે પિંડદાન કરશે અને તેમનો પટ્ટા અભિષેક સાંજે 6 વાગ્યે થશે.

2 / 5
સન્યાસી બન્યા પછી, મમતા હવે નવા નામથી ઓળખાશે. તેમની નવી ઓળખ 'શ્રી યમાઈ મમતા નંદ ગિરિ' તરીકે છે. આ તેનું નવું નામ છે. મમતા વર્ષોથી દુબઈમાં રહેતી હતી. તે થોડા સમય પહેલા ભારત આવી હતી. હવે તેણે સાધુ બનવાનું નક્કી કર્યું છે.

સન્યાસી બન્યા પછી, મમતા હવે નવા નામથી ઓળખાશે. તેમની નવી ઓળખ 'શ્રી યમાઈ મમતા નંદ ગિરિ' તરીકે છે. આ તેનું નવું નામ છે. મમતા વર્ષોથી દુબઈમાં રહેતી હતી. તે થોડા સમય પહેલા ભારત આવી હતી. હવે તેણે સાધુ બનવાનું નક્કી કર્યું છે.

3 / 5
મતા કુલકર્ણીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'નન્નાબર્ગલ'થી કરી હતી. એક વર્ષ પછી, ૧૯૯૨માં, તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની પહેલી હિન્દી ફિલ્મ 'મેરે દિલ તેરે લિયે' હતી. તેણીને તેની ખરી ઓળખ ૧૯૯૫માં રિલીઝ થયેલી ફિલ્મ 'કરણ અર્જુન'થી મળી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.

મતા કુલકર્ણીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'નન્નાબર્ગલ'થી કરી હતી. એક વર્ષ પછી, ૧૯૯૨માં, તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની પહેલી હિન્દી ફિલ્મ 'મેરે દિલ તેરે લિયે' હતી. તેણીને તેની ખરી ઓળખ ૧૯૯૫માં રિલીઝ થયેલી ફિલ્મ 'કરણ અર્જુન'થી મળી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.

4 / 5
ત્યારબાદ મમતાએ 'નસીબ', 'સબસા બડા ખિલાડી', 'વક્ત હમરા હૈ', 'ઘાતક' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, પછી તેનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું. તેનું નામ ડોન વિક્કી ગોસ્વામી સાથે જોડાયું, ત્યારબાદ તે ફિલ્મોથી દૂર થઈ ગઈ.

ત્યારબાદ મમતાએ 'નસીબ', 'સબસા બડા ખિલાડી', 'વક્ત હમરા હૈ', 'ઘાતક' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, પછી તેનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું. તેનું નામ ડોન વિક્કી ગોસ્વામી સાથે જોડાયું, ત્યારબાદ તે ફિલ્મોથી દૂર થઈ ગઈ.

5 / 5

 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલ કુંભમેળો આગામી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ કુંભમેળાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">