મનમોહક, નયનરમ્ય અને મનને તાજગીથી ભરી દેતા આ ફુલોને જોતા જ તમે બોલી ઊઠશો “યે કશ્મીર હૈ…. ” જુઓ Photos
ભારતના સૌથી પ્રખ્યાત અને એશિયાના સૌથી મોટા એવા કાશ્મીરના ટ્યુલીપ ગાર્ડનમાં 15 દિવસમાં 4.46 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. આ મનમોહક ફુલોને જોવા માટે વર્ષમાં એકવાર આ ગાર્ડનને ખૂલ્લુ મુકવામાં આવે છે. જાણી લો તેનો સમય.

એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શ્રીનગર આવી રહ્યા છે. શ્રીનગરના ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનમાં પહેલા 15 દિવસમાં 4.46 લાખ પ્રવાસીઓ આવ્યા. 50 હેક્ટરમાં ફેલાયેલા ટ્યૂલિપ ગાર્ડનમાં 17 લાખ ફૂલો ખીલ્યા છે. આ ફૂલો 74 જાતોના છે. લોકો સુંદર ફૂલો જોવાનો આનંદ માણી રહ્યા છે. Image Source : pti

50 હેક્ટરમાં ફેલાયેલા ટ્યૂલિપ ગાર્ડનમાં 17 લાખ ફૂલો ખીલ્યા છે. આ ફૂલો 74 જાતોના છે. લોકો સુંદર ફૂલો જોવાનો આનંદ માણી રહ્યા છે. Image Source : pti

ટ્યૂલિપ ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યામાં આ વધારો ગાર્ડનની વધતી જતી વૈશ્વિક આકર્ષણને ઉજાગર કરી રહ્યો છે અને પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યો છે અને જમ્મુ અને કાશ્મીરના કુદરતી વૈભવનું પ્રદર્શન કરી રહ્યો છે.

ગત વર્ષે 4,46,154 લોકોએ આ ગાર્ડનની મુલાકાત લીધી હતી. આ વર્ષે આ આંકડો માત્ર 15 દિવસમાં પાર થઈ ગયો.

આ રેકોર્ડ ટ્યૂલિપ ગાર્ડનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ મુલાકાતીઓનો રેકોર્ડ છે, જેને બહુ ઓછા સમયમાં જ પાર કરી લેવામાં આવ્યો છે.

ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા વિશ્વભરના પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષિત કરી રહી છે. Image Source : ANI

શ્રીનગરમાં ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 26 માર્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે 20 એપ્રિલ, 2025 સુધી ખુલ્લું રહેશે. આ સમય દરમિયાન આપ પણ તેની મુલાકાત લઈ શકો છો . Image Source : pti

ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલનું પ્રથમ સપ્તાહ હોય છે . આ સમય દરમિયાન ટ્યૂલિપ્સ સંપર્ણ ખીલે છે?

ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેતા લોકો ફૂલોની સામે પોતાના ફોટોગ્રાફ પણ લઈ રહ્યા છે. બાળકો, યુવાનો અને મહિલાઓ અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. Image Source : pti

































































