Indian Railways : નાગરિકોનું બેજવાબદારી ભર્યું વર્તન, વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળે ટ્રેનમાં થૂંકવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ જ કારણ છે કે તેને દેશની જીવનરેખા પણ કહેવામાં આવે છે. કેટલીક વખત રેલવે સ્ટેશન પર ગંદકી કરવી કે ટિકિટ વગર મુસાફરી કરવા બદલ મોટો દંડ પણ થઈ શકે છે.

ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે, મુસાફરી દરમિયાન કેટલાક લોકો જાણી જોઈને ભૂલ કરે છે. તો કેટલાક લોકો અજાણતા ભૂલ કરી બેસે છે. આ ભૂલની મુસાફરોની મોટી રકમ પણ ચૂકવવી પડે છે.

તો કેટલાક કેસમાં તો તેના વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાની પણ ફરજ પડે છે. તો ચાલો આજે આપણે જાણીશું કે, વેસ્ટર્ન રેલવે વર્ષ 2025માંશું મોટી કાર્યવાહી કરી છે.

ત્યારે એવું કહેવું પણ ખોટું નથી કે, સતત મળતી સુવિધાઓ સામે નાગરિકોનું બેજવાબદારી ભર્યું વર્તન સામે આવ્યું છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો જાણી જોઈને કે અજાણતાં કોઈ ભૂલ કરો છો, તો આજે તમારે જાણવું જરુરી છે કે, તમારા ખિસ્સા પણ ખાલી થઈ શકે છે.

વર્ષ 2025માં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા 3,96,336 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા 29,81,68,615 (29.81 કરોડ) દંડની વસૂલાત કરવામાં આવી છે.

આ સાથે જુદી જુદી ટ્રેનમાં થૂંકવા બદલ 2716 બેજવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી પણ કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટ્રેનમાં કે રેલવે પરિસરમાં થૂંકવા બદલ 5,68,157 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રેલવે સ્ટેશન પર થૂંકવા કે કચરો ફેંકવા બદલ ભારતીય રેલવે અધિનિયમ1989ની કલમ 140 હેઠળ રેલવે કાર્યવાહી કરી શકે છે.આગામી સમયમાં નાગરિકોને જવાબદાર મુસાફર બનવા રેલવે વિભાગની અપીલ છે. (all photo : Indian Railways)

તમને જણાવી દઈએ કે, રેલવે સ્ટેશન પર થૂંકવું કે કચરો ફેંકવો એ ભારતીય રેલવે અધિનિયમ 1989 અને નિયમો 2012 હેઠળ સજાપાત્ર છે, જેમાં મહત્તમ 500નો દંડ થઈ શકે છે, (With input : રોનક વર્મા)
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે.અહી ક્લિક કરો
