Vastu Tips : ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપો આ વસ્તુઓ, સંબંધો એટલી હદે ખરાબ થશે કે વાત ના પૂછો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ભેટમાં આપવી શુભ મનાતી નથી. જો તમે ભૂલથી પણ આ વસ્તુઓ ભેટમાં આપો છો, તો તમને તમારા જીવનમાં નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે.

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખુબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે તમે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરો છો, ત્યારે તેના પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. જો કે, જ્યારે તમે આ નિયમોને અવગણો છો, ત્યારે તમને તેના નકારાત્મક પરિણામો જોવા મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ભૂલથી પણ કાળા રંગના કપડાં કોઈને ભેટમાં ન આપવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, આ રંગના કપડાં ભેટમાં આપવાથી તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ભૂલથી પણ કોઈને જૂતા કે ચંપલ ભેટમાં ન આપવા જોઈએ. આ વસ્તુઓ ભેટમાં આપવી એ અશુભ નિશાની માનવામાં આવે છે. જ્યારે તમે આ વસ્તુઓ ભેટ તરીકે આપો છો, ત્યારે તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે.

ઘણીવાર આપણે સામેની વ્યક્તિને ભગવાનની મૂર્તિ ભેટ તરીકે આપીએ છીએ. જો કે, ભૂલથી પણ તમારે ભગવાનની મૂર્તિ કોઈને ભેટમાં ન આપવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે, તમે ભેટમાં મૂર્તિ આપો છો પણ સામેની વ્યક્તિ તેની યોગ્ય રીતે કાળજી રાખી શકતો નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે, જે મૂર્તિને સાફ પણ કરતા નથી. આ એક મુખ્ય કારણ છે કે, તમારે ભગવાનની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈને છરી, કાતર કે અન્ય તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં આપવી અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આવી ભેટો આપવાથી સંબંધો ધીરે-ધીરે તૂટવા લાગે છે.

આપણા વડીલો કોઈને રૂમાલ ભેટમાં આપવાની મનાઈ કરે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે તમે કોઈને રૂમાલ ભેટમાં આપો છો, ત્યારે તે પણ સંબંધોમાં કડવાશ લાવવાનું શરૂ કરે છે.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.






































































