AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવ્ય શસ્ત્રોનો રહસ્યમય ઇતિહાસ : 5 એવી શક્તિશાળી તલવારો, જેનાથી દેવો પણ થરથર કાંપતા હતા !

શું તમે જાણો છો કે મહાભારતમાં એક એવી તલવાર હતી જે યજ્ઞના કુંડમાંથી પ્રગટ થઈ હતી? કે પછી રાવણને ભગવાન શિવ પાસેથી કઈ રીતે મળી ચંદ્રહાસ તલવાર? રામાયણ અને મહાભારતના કાળની 5 સૌથી વિનાશક અને દિવ્ય તલવારોની અદ્ભુત અને રહસ્યમય વાર્તા જાણો!

| Updated on: Sep 08, 2026 | 3:24 PM
Share
હિંદુ ધર્મના મહાન પૌરાણિક ગ્રંથો રામાયણ અને મહાભારતમાં એવા અનેક દિવ્યાસ્ત્રોનો ઉલ્લેખ મળે છે, જેમની સામે ટકી રહેવું મોટા-મોટા અસુર યોદ્ધાઓ જ નહીં પણ દેવતાઓ માટે પણ અશક્ય હતું. જ્યારે પણ યુદ્ધની વાત આવે ત્યારે ધનુષ-બાણ સિવાય દિવ્ય તલવાર અને ખડગનો પણ એક અલગ જ પ્રભાવ રહ્યો છે. સ્વયં વિશ્વકર્મા દ્વારા નિર્મિત અને ત્રિદેવોના આશીર્વાદથી સજ્જ આ તલવારો એટલી રહસ્યમય અને શક્તિશાળી હતી કે તેમની એક ચમક માત્રથી દુશ્મનનું સૈન્ય અંધ થઈ જતું. ચાલો જાણીએ એવી જ 5 પરમ શક્તિશાળી અને દિવ્ય તલવારો વિશે, જેમણે ઇતિહાસના મહાન યુદ્ધોનું પરિણામ બદલી નાખ્યું હતું.

હિંદુ ધર્મના મહાન પૌરાણિક ગ્રંથો રામાયણ અને મહાભારતમાં એવા અનેક દિવ્યાસ્ત્રોનો ઉલ્લેખ મળે છે, જેમની સામે ટકી રહેવું મોટા-મોટા અસુર યોદ્ધાઓ જ નહીં પણ દેવતાઓ માટે પણ અશક્ય હતું. જ્યારે પણ યુદ્ધની વાત આવે ત્યારે ધનુષ-બાણ સિવાય દિવ્ય તલવાર અને ખડગનો પણ એક અલગ જ પ્રભાવ રહ્યો છે. સ્વયં વિશ્વકર્મા દ્વારા નિર્મિત અને ત્રિદેવોના આશીર્વાદથી સજ્જ આ તલવારો એટલી રહસ્યમય અને શક્તિશાળી હતી કે તેમની એક ચમક માત્રથી દુશ્મનનું સૈન્ય અંધ થઈ જતું. ચાલો જાણીએ એવી જ 5 પરમ શક્તિશાળી અને દિવ્ય તલવારો વિશે, જેમણે ઇતિહાસના મહાન યુદ્ધોનું પરિણામ બદલી નાખ્યું હતું.

1 / 6
ભગવાન વિશ્વકર્મા દ્વારા ઘડવામાં આવેલી કૌશલ્ય તલવાર દેવગુરુ બૃહસ્પતિની રક્ષા માટે અસ્તિત્વમાં આવી હતી. પાછળથી આ દિવ્ય તલવાર ઈચ્છામૃત્યુનું વરદાન ધરાવતા કુરુક્ષેત્રના મહાયોદ્ધા ભીષ્મ પિતામહને પ્રાપ્ત થઈ. ભીષ્મે પોતાના તપોબળથી આ તલવારને એટલી શક્તિશાળી બનાવી દીધી હતી કે મહાભારતના યુદ્ધમાં જ્યારે આ તલવાર પાંડવ નકુલની તલવાર સાથે ટકરાઈ, ત્યારે રણભૂમિમાં એવો ભયાનક પ્રકાશ પેદા થયો કે સૈનિકો આંખો ચોળતા રહી ગયા! ભીષ્મે આ જ તલવારથી અભિમન્યુના દિવ્ય બાણોને ક્ષણવારમાં કાપી નાખ્યા હતા. એવું કહેવાય છે કે આ તલવારની શક્તિથી ડરીને ભીષ્મે રાજા પાંડુને પણ આ આપવાની સાફ ના પાડી દીધી હતી.

ભગવાન વિશ્વકર્મા દ્વારા ઘડવામાં આવેલી કૌશલ્ય તલવાર દેવગુરુ બૃહસ્પતિની રક્ષા માટે અસ્તિત્વમાં આવી હતી. પાછળથી આ દિવ્ય તલવાર ઈચ્છામૃત્યુનું વરદાન ધરાવતા કુરુક્ષેત્રના મહાયોદ્ધા ભીષ્મ પિતામહને પ્રાપ્ત થઈ. ભીષ્મે પોતાના તપોબળથી આ તલવારને એટલી શક્તિશાળી બનાવી દીધી હતી કે મહાભારતના યુદ્ધમાં જ્યારે આ તલવાર પાંડવ નકુલની તલવાર સાથે ટકરાઈ, ત્યારે રણભૂમિમાં એવો ભયાનક પ્રકાશ પેદા થયો કે સૈનિકો આંખો ચોળતા રહી ગયા! ભીષ્મે આ જ તલવારથી અભિમન્યુના દિવ્ય બાણોને ક્ષણવારમાં કાપી નાખ્યા હતા. એવું કહેવાય છે કે આ તલવારની શક્તિથી ડરીને ભીષ્મે રાજા પાંડુને પણ આ આપવાની સાફ ના પાડી દીધી હતી.

2 / 6
જ્યારે પૃથ્વી પર અધર્મ અને અસુરોનો અત્યાચાર સીમા વટાવી ગયો, ત્યારે ઋષિઓના મહાયજ્ઞની જ્વાળાઓમાંથી એક અત્યંત ભયાનક આકૃતિ પ્રગટ થઈ, જે ક્ષણવારમાં ધારદાર 'અસી' તલવારમાં બદલાઈ ગઈ. બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન કરાયેલી આ તલવાર સ્વયં દેવોના દેવ મહાદેવ શિવજીને સોંપવામાં આવી હતી, જેમણે અનેક રાક્ષસોનો સંહાર કર્યો. આ જ રહસ્યમય અસી તલવાર વિષ્ણુજી અને દેવતાઓથી હોતી કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય સુધી પહોંચી હતી. આ તલવારમાં એવી દિવ્ય શક્તિ હતી કે તે દુનિયાના કોઈપણ અજય કવચને એક જ ઘામાં કાપીને દ્વિધા કરી શકતી હતી.

જ્યારે પૃથ્વી પર અધર્મ અને અસુરોનો અત્યાચાર સીમા વટાવી ગયો, ત્યારે ઋષિઓના મહાયજ્ઞની જ્વાળાઓમાંથી એક અત્યંત ભયાનક આકૃતિ પ્રગટ થઈ, જે ક્ષણવારમાં ધારદાર 'અસી' તલવારમાં બદલાઈ ગઈ. બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન કરાયેલી આ તલવાર સ્વયં દેવોના દેવ મહાદેવ શિવજીને સોંપવામાં આવી હતી, જેમણે અનેક રાક્ષસોનો સંહાર કર્યો. આ જ રહસ્યમય અસી તલવાર વિષ્ણુજી અને દેવતાઓથી હોતી કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય સુધી પહોંચી હતી. આ તલવારમાં એવી દિવ્ય શક્તિ હતી કે તે દુનિયાના કોઈપણ અજય કવચને એક જ ઘામાં કાપીને દ્વિધા કરી શકતી હતી.

3 / 6
મહાભારતના પાંચ પાંડવોમાં સૌથી સુંદર અને અશ્વવિદ્યાના માહિર નકુલ પોતાની અજોડ તલવારબાજી માટે જાણીતા હતા. ઇન્દ્રપ્રસ્થના નિર્માણ સમયે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી વિશ્વકર્માજી દ્વારા પાંડવોને પ્રાપ્ત થયેલી વસ્તુઓમાં નકુલને 'નરસિંહ તલવાર' મળી હતી. એવી પૌરાણિક માન્યતા છે કે આ તલવાર ભગવાન વિષ્ણુના ઉગ્ર 'નરસિંહ અવતાર'ના તેજથી મંત્રિત હતી. વનવાસ દરમિયાન પાંડવોની રક્ષા કરનાર આ તલવારે કુરુક્ષેત્રના 18મા દિવસે એવો હાહાકાર મચાવ્યો કે નકુલે એકલા હાથે દાનવીર કર્ણના ત્રણેય પરાક્રમી પુત્રો (સુષેણ, સત્યસેન અને પ્રસન્ન)નો ખાનમોરા બોલાવી દીધો હતો.

મહાભારતના પાંચ પાંડવોમાં સૌથી સુંદર અને અશ્વવિદ્યાના માહિર નકુલ પોતાની અજોડ તલવારબાજી માટે જાણીતા હતા. ઇન્દ્રપ્રસ્થના નિર્માણ સમયે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી વિશ્વકર્માજી દ્વારા પાંડવોને પ્રાપ્ત થયેલી વસ્તુઓમાં નકુલને 'નરસિંહ તલવાર' મળી હતી. એવી પૌરાણિક માન્યતા છે કે આ તલવાર ભગવાન વિષ્ણુના ઉગ્ર 'નરસિંહ અવતાર'ના તેજથી મંત્રિત હતી. વનવાસ દરમિયાન પાંડવોની રક્ષા કરનાર આ તલવારે કુરુક્ષેત્રના 18મા દિવસે એવો હાહાકાર મચાવ્યો કે નકુલે એકલા હાથે દાનવીર કર્ણના ત્રણેય પરાક્રમી પુત્રો (સુષેણ, સત્યસેન અને પ્રસન્ન)નો ખાનમોરા બોલાવી દીધો હતો.

4 / 6
જગતગુરુ ભગવાન વિષ્ણુનું મૂળ ધારદાર શસ્ત્ર એટલે 'નંદક તલવાર'. બ્રહ્માંડના મોટા-મોટા રાક્ષસોના વિનાશ માટે વિષ્ણુજીએ આ દિવ્ય તલવારનો ઉપયોગ કર્યો હતો. જેની સામે બ્રહ્માંડનું કોઈ પણ શસ્ત્ર કે કવચ ટકી શકતું નહોતું. આગળ જતાં આ દિવ્ય તલવાર વિષ્ણુ અવતાર મહર્ષિ પરશુરામને પ્રાપ્ત થઈ હતી. જ્યારે પિતામહ ભીષ્મ અને ભગવાન પરશુરામ વચ્ચે મહાભયાનક યુદ્ધ છેડાયું, ત્યારે નંદક તલવાર અને કૌશલ્ય તલવારનો સામસામે એવો દિવ્ય સંગ્રામ થયો હતો જેને જોઈને સમગ્ર ત્રિલોક કંપાયા હતા.

જગતગુરુ ભગવાન વિષ્ણુનું મૂળ ધારદાર શસ્ત્ર એટલે 'નંદક તલવાર'. બ્રહ્માંડના મોટા-મોટા રાક્ષસોના વિનાશ માટે વિષ્ણુજીએ આ દિવ્ય તલવારનો ઉપયોગ કર્યો હતો. જેની સામે બ્રહ્માંડનું કોઈ પણ શસ્ત્ર કે કવચ ટકી શકતું નહોતું. આગળ જતાં આ દિવ્ય તલવાર વિષ્ણુ અવતાર મહર્ષિ પરશુરામને પ્રાપ્ત થઈ હતી. જ્યારે પિતામહ ભીષ્મ અને ભગવાન પરશુરામ વચ્ચે મહાભયાનક યુદ્ધ છેડાયું, ત્યારે નંદક તલવાર અને કૌશલ્ય તલવારનો સામસામે એવો દિવ્ય સંગ્રામ થયો હતો જેને જોઈને સમગ્ર ત્રિલોક કંપાયા હતા.

5 / 6
ચંદ્રના તેજ જેવી ચમક ધરાવતી 'ચંદ્રહાસ' તલવાર મહાદેવ શિવજીનું સૌથી ઘાતક દિવ્ય અસ્ત્ર હતું. રામાયણની કથા મુજબ જ્યારે અહંકારી રાવણે પોતાના બળથી કૈલાસ પર્વત ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે શિવજીએ માત્ર પગના અંગૂઠાથી કૈલાસ દાબી દીધો અને રાવણ દબાઈ ગયો. રાવણે ક્ષમાયાચના માટે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી. શિવજીએ પ્રસન્ન થઈને રાવણને મુક્ત કર્યો અને ભેટમાં આપી દિવ્ય 'ચંદ્રહાસ તલવાર'. આ એ જ ભયાનક તલવાર હતી જેની શક્તિની સરખામણી ઈન્દ્રના વજ્ર સાથે થતી હતી અને જેનાથી રાવણે માતા સીતાને બચાવવા આવેલા ગીધરાજ જટાયુની પાંખો કાપી નાખી હતી!

ચંદ્રના તેજ જેવી ચમક ધરાવતી 'ચંદ્રહાસ' તલવાર મહાદેવ શિવજીનું સૌથી ઘાતક દિવ્ય અસ્ત્ર હતું. રામાયણની કથા મુજબ જ્યારે અહંકારી રાવણે પોતાના બળથી કૈલાસ પર્વત ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે શિવજીએ માત્ર પગના અંગૂઠાથી કૈલાસ દાબી દીધો અને રાવણ દબાઈ ગયો. રાવણે ક્ષમાયાચના માટે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી. શિવજીએ પ્રસન્ન થઈને રાવણને મુક્ત કર્યો અને ભેટમાં આપી દિવ્ય 'ચંદ્રહાસ તલવાર'. આ એ જ ભયાનક તલવાર હતી જેની શક્તિની સરખામણી ઈન્દ્રના વજ્ર સાથે થતી હતી અને જેનાથી રાવણે માતા સીતાને બચાવવા આવેલા ગીધરાજ જટાયુની પાંખો કાપી નાખી હતી!

6 / 6
Disclaimer:  આ લેખમાં આપેલી માહિતી પૌરાણિક કથા, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. TV9Gujarati આ દાવાઓ અને કન્ટેન્ટની પુષ્ટિ કરતું નથી.

તહેવારોમાં કન્ફર્મ ટિકિટનું ટેન્શન ખતમ : રેલવેએ શરૂ કરી ખાસ સ્પેશિયલ ટ્રેનો, અહીં જુઓ રૂટ અને શિડ્યુલ

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">