AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Laddu Controversy : લાડુ વિવાદ બાદ,’નંદિની’ ઘીથી હવે તિરુપતિના લાડુ બનશે

તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા વપરાતા ઘીમાં ભેળસેળ બાદ હવે લાડુમાં નંદિની બ્રાન્ડના ધીનો ઉપયોગ થશે. જેને કર્ણાટક મિલ્ક ફેડરેશન બનાવે છે. તો ચાલો આજે આપણે નંદિની ધીની સંપૂર્ણ માહિતી જાણીએ.

Tirupati Laddu Controversy : લાડુ વિવાદ બાદ,'નંદિની' ઘીથી હવે તિરુપતિના લાડુ બનશે
| Updated on: Sep 24, 2024 | 2:43 PM
Share

તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરની ચરબી અને અન્ય ભેળસેળ વસ્તુઓથી બબાલ મચી ગઈ છે. આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે હવે ખુબ આ લેબ રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. જેમાં તિરુપતિના લાડુમાં ભેળસેળની પુષ્ટિ કરી છે. સરકારે લાડુના ઘીના સપ્લાય કરવા માટે કંપની બદલી છે. જૂની કંપનીને બ્લેકલિસ્ટ કરવાના પણ સમાચાર છે. હવે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ લાડુ બનાવવા માટે નંદિની બ્રાન્ડની ઘીનો ઉપયોગ કરશે. કંપનીને સપ્લાય ઓર્ડર પણ આપી દીધો છે.

દક્ષિણ ભારતમાં દરેક ઘરમાં નંદિની ફેમસ

ઉત્તર ભારતમાં જેવી રીતે અમૂલ કે મધર ડેરી મશહુર છે તેવી રીતે દક્ષિણ ભારતમાં દરેક ઘરમાં નંદિની ફેમસ છે. નંદિની કર્ણાટકની સૌથી મોટી બ્રાન્ડ છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ફેમસ છે. નંદિની બ્રાન્ડના માલિકના હક કર્ણાટક કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડ પાસે છે. વિવાદ વચ્ચે મંદિરને શુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં શુદ્ધિકરણ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

લાડુ વચ્ચે રાજનીતિનો પણ આરોપ

લાડુ વિવાદ પર રાજનીતિ પણ ગરમાય છે.જગન મોહન રેડ્ડીએ તિરુમલામાં ધી ભેળસેળના આરોપને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે,તે પોતાના 100 દિવસના શાસનથી જનતાનું ધ્યાન ભટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, નાયડુ એવા વ્યક્તિ છે જે રાજનીતિના લાભ માટે ભગવાનનો પણ ઉપયોગ કરે છે. તેમણે કહ્યું આ ધ્યાન ભટકાવવાની રાજનીતી છે.

કર્ણાટક સરકારનો નિર્દેશ

કર્ણાટક સરકારના નવા નિર્દેશ મુજબ તમામ મંદિરોમાં થનારા અનુષ્ઠાનો જેમ કે, દીપ પ્રગટ, પ્રસાદ તૈયાર કરવા તેમજ ભક્તોને ભોજન પીરસવાની પ્રકિયામાં માત્ર નંદિની ધીનો જ ઉપયોગ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, મિલ્ક ફેડરેશન એટલે કે, કેએમએફ એક ડેરી કોઓપરેટિ છે. જે નંદિની બ્રાન્ડના નામથી દૂધ,દહીં,ધી,માખણ,આઈસ્ક્રીમ,ચોકલેટ અને મિઠાઈ જેવી પ્રોડ્કટ વેંચે છે. કેએમએફની સ્થાપના વર્ષ 1974માં થઈ હતી. આ વિવાદ બાદ કર્ણાટક મિલ્ક ફેડરેશને કહ્યું કે, તેમને ભેળસેળયુક્ત ઘી સાથે કોઈ લેવાદેવા નથી. કેએમએફે ધી છેલ્લી વખત 2020માં તિરુપતિ મંદિરમાં સપ્લાય કર્યું હતુ.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">