Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન સાથેની સરહદે આજથી સુખોઈ અને રાફેલ ગરજશે, વાયુસેના કરશે લડાયક ક્ષમતાનું પરીક્ષણ

ભારતીય વાયુસેના તેની લડાયક ક્ષમતાનું પરીક્ષણ કરશે. વાયુસેનાની પૂર્વ વાયુ કમાન્ડ, ચીન સરહદે સુખોઈ અને રાફેલ સહીતના લડાકુ વિમાનો સાથે કવાયત હાથ ધરશે. આ કવાયત દ્વારા ભારતીય વાયુસેના ચીન સાથે જોડાયેલ એલએસી ખાતે તેની ક્ષમતાનું પરીક્ષણ કરશે.

ચીન સાથેની સરહદે આજથી સુખોઈ અને રાફેલ ગરજશે, વાયુસેના કરશે લડાયક ક્ષમતાનું પરીક્ષણ
Sukhoi and Rafale ( file photo(
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 11:21 AM

અરુણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં ગત 9 ડિસેમ્બરે થયેલ અથડામણ બાદ, સરહદે સર્જાયેલ તણાવભરી સ્થિતિ અને ભારત અને ચીન વચ્ચેના સૈન્ય ઘર્ષણને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના આજે ગુરુવારથી પૂર્વ સરહદે બે દિવસ કવાયત હાથ ધરશે. વાયુદળની આ સૈન્ય કવાયતમાં ફ્રન્ટ લાઇનની નજીકના તમામ લડાયક વિમાનો અને પૂર્વોતરના પ્રદેશમાં તહેનાત અન્ય લશ્કરી શસ્ત્ર સંરજામ સામેલ હશે. વાયુદળના એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના સૈન્ય સજ્જતાના પરીક્ષણના હેતુથી આ કવાયત હાથ ધરી રહ્યું છે. આ કવાયતનો હેતુ ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ચકાસવા માટે પરીક્ષણ કરવાનો છે.

અગાઉથી જ નક્કી હતુ વાયુસેનાનુ પરીક્ષણ

ભારતીય વાયુસેનાનુ આ પરીક્ષણ એવા સમયે થઈ રહ્યુ છે, જ્યારે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર. ચીનના સૈન્ય જવાનોએ ભારતીય સરહદમાં ધૂસણખોરી કરી રહ્યાં હતા તે સમયે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, આ કવાયતનું આયોજન ભારત અને ચીનની સેનાઓ વચ્ચેના તાજેતરની અથડામણના ઘણા સમય પહેલા નક્કી કરવામાં આવ્યું હતું અને વાયુસેનાની કવાયતને તવાંગ ખાતે બનેલી ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણની ઘટના સાથે કોઈ સંબંધ નથી.

લડાકુ વિમાનનો સમાવેશ

મીડિયા અહેવાલ અનુસાર, ભારતીય વાયુસેનાના સુખોઈ-30MKI અને રાફેલ જેટ સહિતના લડાકુ વિમાનો ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ચકાસવા માટે પરીક્ષણમા સામેલ થશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના તમામ ફોરવર્ડ એર બેઝ અને વાયુદળના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પણ કવાયતમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક સપ્તાહમાં બેથી ત્રણ બનાવ એવા બન્યા હતા કે, LAC સાથે આપણી લશ્કરી ચોકીઓ તરફ આગળ વધી રહેલા ચીનના ડ્રોનને અટકાવવા માટે લડાયક વિમાનોને એર બેઝથી ઉડાડવાની ફરડ પડી હતી.

IPL 2025ની 10 ટીમોના કેપ્ટન જુઓ
ચહલથી છૂટાછેડા બાદ ધનશ્રીનું ગીત ચર્ચામાં, બતાવી બેવફાઈ, તો યુઝર્સે કરી ટ્રોલ
જો તમારા ફોનમાં દેખાય આ 5 સંકેત, તો સમજો હેક થઈ ગયો છે તમારો ફોન !
Plant in pot : માટી વગર જ ઘરે ઉગાડો ધાણાનો છોડ, અપનાવો આ સરળ પદ્ધતિ
પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવો કઈ વાતનો આપે છે સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 21-03-2025

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટ, હાલમાં તેજપુર એરબેઝ પર તહેનાત છે, જ્યારે રાફેલ ફાઈટર જેટની એક ટુકડી હાસીમારા ખાતે રાખવામાં આવ્યા છે. આ સિવાય અપાચે હેલિકોપ્ટર અને અન્ય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, જોરહાટ ખાતે રાખવામાં આવ્યા છે. આજે અને આવતીકાલે હાથ ધરાનાર, ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ચકાસવા માટે હાથ ધરાનાર બે દિવસના પરીક્ષણમાં હેલિકોપ્ટર અને મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સંસદમાં રાજનાથ સિંહે આપ્યું હતુ નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, ગત 9 ડિસેમ્બરે એલએસી ખાતે ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણના સમગ્ર મામલાની માહિતી સંસદમાં આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે ચીનની સેનાએ તવાંગ સેક્ટરમાં ઘૂસણખોરી કરીને, સરહદની યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપીને તેમને ભગાડ્યા હતા. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. પરંતુ આ અથડામણમાં એકપણ ભારતીય સૈનિકને ગંભીર ઈજા થઈ નથી કે કોઈ જવાન શહીદ થયા નથી.

હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">