Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આતિશી દિલ્હીના નવા CM હશે, AAPની બેઠકમાં લેવાયો નિર્ણય

આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. તે અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનો હવાલો સંભાળશે. કેજરીવાલે ખુદ મુખ્યમંત્રી પદ માટે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યોએ આતિશીના નામનું સ્વાગત કર્યું.

Breaking News : આતિશી દિલ્હીના નવા CM હશે, AAPની બેઠકમાં લેવાયો નિર્ણય
Atishi will be the new CM of Delhi
Follow Us:
| Updated on: Sep 17, 2024 | 1:01 PM

CM અરવિંદ કેજરીવાલે આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. તમામ ધારાસભ્યોએ ઉભા થઈને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. આતિશીને AAP દિલ્હી લેજિસ્લેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

(Credit Source : @tv9gujarati)

કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા બધાને ચોંકાવી દીધા હતા અને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ 2 દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે એમ પણ કહ્યું કે, માત્ર તેઓ જ નહીં પરંતુ મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. આ પછી દિલ્હીના નવા મુખ્ય પ્રધાનને લઈને અટકળોનો સમયગાળો શરૂ થયો હતો.

આ પહેલા કેજરીવાલ મંગળવારે રાજીનામું આપે તેવી શક્યતા વચ્ચે સવારે 11.30 કલાકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હત, જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે જ કેજરીવાલ સાંજે 4.30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.

અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાના કર્યો છે નિર્ણય

AAP દ્વારા આપવામાં આવેલી માહિતી આગામી સપ્તાહે 26-27 સપ્ટેમ્બરે દિલ્હી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે. અગાઉ પાર્ટી સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે, “નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બાદ કરવામાં આવશે.”

અરવિંદ કેજરીવાલે 2 દિવસ પહેલા રવિવારે સીએમ પદ પરથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, તેઓ હવે સીએમની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે.

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
g clip-path="url(#clip0_868_265)">