AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : મેગ્નેશિયમ માત્ર કેમિસ્ટ્રી લેબમાં જ નહીં પણ આપણા શરીર માટે પણ જરૂરી છે, તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો

મેગ્નેશિયમ (Magnesium)આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે, તો તમે આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ઘણા પ્રકારના ખોરાકનો સમાવેશ કરી શકો છો.

Health Tips : મેગ્નેશિયમ માત્ર કેમિસ્ટ્રી લેબમાં જ નહીં પણ આપણા શરીર માટે પણ જરૂરી છે,  તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 11:39 AM
Share

Health Tips : સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમાં મેગ્નેશિયમ (Magnesium)નો પણ સમાવેશ થાય છે. તે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે છે. શરીરમાં મેગ્નેશિયમની ઉણપને કારણે થાક, નબળાઈ, ઉલ્ટી અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ઘણા પ્રકારના સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ ખોરાક મેગ્નેશિયમની ઉણપને દૂર કરવાનું કામ કરશે. આવો જાણીએ ક્યા છે આ ફૂડ્સ વિશે.

ડાર્ક ચોકલેટ

એક અભ્યાસ અનુસાર ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમનો એક સારો સોર્સ છે. જેમાં આયરન, કોપર મેગનીઝ અને એન્ટી ઓક્સીડેટ ગુણ હોય છે. જેમાં પ્રીબાયોટિક ફાઈબર હોય છે. જે આંતરડાને સ્વસથ રાખવાનું કામ કરે છે. આનું સેવન અમુક માત્રામાં જ કરવું જોઈએ.

સુકા મેવા

સુકા મેવા સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. જે ખુબ પોષ્ટિક પણ હોય છે. બદામ અને કાજુ જેવા નટ્સમાં મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. જેનું સેવન સ્મૂધી કે પછી ડેસર્ટમાં ગાર્નિશના રુપમાં કરી શકો છો. તમે આને નાશ્તા તરીકે પણ લઈ શકો છો. નટ્સમાં ફાઈબર અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ ધરાવે છે. તે બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં મદદ કરે છે.

કેળા

કેળામાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ પોટેશિયમ બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. પોટેશિયમ સિવાય કેળામાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં પુષ્કળ પોષક તત્વો હોય છે. તે હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવાનું કામ કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમથી ભરપુર હોય છે. જે આયરન, મેગેનીઝ અને વિટામીનનો એક શાનદાર સ્ત્રોત છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">