Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભુજની અંદર પીવાના પાણીનો ત્રાસ યથાવત, પાલિકાની ‘ભારાપર યોજના’ નિષ્ફળ

પાલિકાની ભારાપર યોજના એળે ગઈ, પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે પણ પાલિકા શાસન સામે આંગળીઓ ચીંધી છે. પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે.

ભુજની અંદર પીવાના પાણીનો ત્રાસ યથાવત, પાલિકાની 'ભારાપર યોજના' નિષ્ફળ
Follow Us:
| Updated on: Apr 14, 2025 | 5:58 PM

ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યા ઠેર-ઠેર જોવા મળી રહી છે, એવામાં ભુજ શહેરમાં પણ પીવાના પાણી અંગેની સમસ્યા શરૂ થઈ છે. ભુજ શહેરમાં હજુ તો ઉનાડાનું આગમન જ થયું છે ને એટલામાં ત્યાં પાણીની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યા આજથી કે કાલથી નથી ચાલી રહી, આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે, પાણીની સમસ્યાનો હજુ સુધી કોઈ જ નિકાલ લાવવામાં આવ્યો નથી.

પાલિકાની ભારાપર યોજના પણ એળે ગઈ

ભુજની વાત કરીએ તો, ત્યાં પાણીના વિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે નર્મદા નીર પર ટકી છે. જો કે, નર્મદાનું પાણી બંધ થઈ જવાના કારણે અહીં પાણીની સમસ્યા સર્જાય છે. અગાઉ પાલિકા દ્વારા ભારાપર યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ યોજનામાં 16 જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા હતા. જો કે, મોટાભાગના પાણીના બોર નિષ્ફળ ગયા અને ભારાપર યોજના પણ એળે ગઈ. હાલની વાત કરીએ તો, પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર કાર્યરત છે અને એમાંય 4 બોરની સ્થિતિ બંધ થવાના આરે છે.

શું ભુજ પાલિકાએ ખરેખર ‘હાથ અધર’ કર્યા ? પાણીની સમસ્યામાંથી ભુજવાસીઓને ક્યારે મળશે રાહત?

પાણીની સમસ્યાનો શું ઉકેલ લાવવો તે અંગે ભુજ પાલિકાએ કોઈ જ આયોજન કર્યું નથી. બીજીબાજુ, ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો માર સહન કરી રહ્યા છે. પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે પણ પાલિકા શાસન સામે આંગળીઓ ચીંધી છે. ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સત્તા ચાલી રહી છે અને એવામાં પાલિકા દ્વારા પાણીની સમસ્યાનું કોઈ જ નિદાન આવી રહ્યું નથી. મળતી માહિતી મુજબ એટલું જાણવા મળ્યું છે કે, પાલિકાએ નર્મદાનું પાણી વધુ મળે તેવી રજૂઆત કરી છે અને તેની સાથે-સાથે જે પાણીના બોર બંધ પડી રહ્યા છે, તેને પણ ચાલુ કરવા માટેનું કામ હાથ પર લીધું છે. જો કે, આ કોઈ કાયમી નિવારણ તો નથી જ એટલે હવે ભુજના લોકોને પીવાના પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે.

Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">