AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભુજની અંદર પીવાના પાણીનો ત્રાસ યથાવત, પાલિકાની ‘ભારાપર યોજના’ નિષ્ફળ

પાલિકાની ભારાપર યોજના એળે ગઈ, પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે પણ પાલિકા શાસન સામે આંગળીઓ ચીંધી છે. પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે.

ભુજની અંદર પીવાના પાણીનો ત્રાસ યથાવત, પાલિકાની 'ભારાપર યોજના' નિષ્ફળ
| Updated on: Apr 14, 2025 | 5:58 PM
Share

ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યા ઠેર-ઠેર જોવા મળી રહી છે, એવામાં ભુજ શહેરમાં પણ પીવાના પાણી અંગેની સમસ્યા શરૂ થઈ છે. ભુજ શહેરમાં હજુ તો ઉનાડાનું આગમન જ થયું છે ને એટલામાં ત્યાં પાણીની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યા આજથી કે કાલથી નથી ચાલી રહી, આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે, પાણીની સમસ્યાનો હજુ સુધી કોઈ જ નિકાલ લાવવામાં આવ્યો નથી.

પાલિકાની ભારાપર યોજના પણ એળે ગઈ

ભુજની વાત કરીએ તો, ત્યાં પાણીના વિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે નર્મદા નીર પર ટકી છે. જો કે, નર્મદાનું પાણી બંધ થઈ જવાના કારણે અહીં પાણીની સમસ્યા સર્જાય છે. અગાઉ પાલિકા દ્વારા ભારાપર યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ યોજનામાં 16 જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા હતા. જો કે, મોટાભાગના પાણીના બોર નિષ્ફળ ગયા અને ભારાપર યોજના પણ એળે ગઈ. હાલની વાત કરીએ તો, પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર કાર્યરત છે અને એમાંય 4 બોરની સ્થિતિ બંધ થવાના આરે છે.

શું ભુજ પાલિકાએ ખરેખર ‘હાથ અધર’ કર્યા ? પાણીની સમસ્યામાંથી ભુજવાસીઓને ક્યારે મળશે રાહત?

પાણીની સમસ્યાનો શું ઉકેલ લાવવો તે અંગે ભુજ પાલિકાએ કોઈ જ આયોજન કર્યું નથી. બીજીબાજુ, ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો માર સહન કરી રહ્યા છે. પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે પણ પાલિકા શાસન સામે આંગળીઓ ચીંધી છે. ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સત્તા ચાલી રહી છે અને એવામાં પાલિકા દ્વારા પાણીની સમસ્યાનું કોઈ જ નિદાન આવી રહ્યું નથી. મળતી માહિતી મુજબ એટલું જાણવા મળ્યું છે કે, પાલિકાએ નર્મદાનું પાણી વધુ મળે તેવી રજૂઆત કરી છે અને તેની સાથે-સાથે જે પાણીના બોર બંધ પડી રહ્યા છે, તેને પણ ચાલુ કરવા માટેનું કામ હાથ પર લીધું છે. જો કે, આ કોઈ કાયમી નિવારણ તો નથી જ એટલે હવે ભુજના લોકોને પીવાના પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">