Chhota Udepur: સંખેડા તાલુકાની બે વસાહતોમાં પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ, ‘નલ સે જલ’ યોજના થકી પહોંચ્યુ પાણી

છોટા ઉદેપુરના (Chhota Udepur) સંખેડા તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં વર્ષોથી પીવાના પાણીની (Drinking water) સમસ્યા હતી. જો કે હાલમાં આ વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચ્યુ છે.

Chhota Udepur: સંખેડા તાલુકાની બે વસાહતોમાં પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ, 'નલ સે જલ' યોજના થકી પહોંચ્યુ પાણી
Nal se jal yojna (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 6:41 PM

છોટા ઉદેપુરમાં (Chhota Udepur) ઉનાળામાં (Summer 2022) દર વર્ષે પાણીની પારાયણ (Water crisis) સર્જાય છે. આ વર્ષે પણ છોટા ઉદેપુરના અનેક વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો હતો. જો કે હાલમાં આનંદના સમાચાર એ છે કે સંખેડા (Sankheda) તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં 16 K.M. લાંબી પાણીની લાઈન મારફતે ફિલ્ટરવાળું પાણી પહોંચાડવામાં આવ્યુ છે. નલ સે જલ યોજના દ્વારા લોકો સુધી આ પાણી પહોંચાડવામાં આવ્યુ છે. પાણીની લાઈન ચાલુ થતાં હવે નિગમ દ્વારા તપાસણી કરવામાં આવશે અને જરૂર જણાશે તો ટેન્કર બંધ કરવામાં આવશે.

સંખેડા તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી. જો કે હાલમાં આ વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચ્યુ છે. આ વસાહતોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડતી હતી અને ફરજિયાત ટેન્કર ઉપર જ આધાર રાખવો પડતો હતો. આ વિસ્તારના લોકોને ટેન્કર દ્વારા જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે આ બંન્ને વસાહતોનો પીવાનું શુદ્ધ પાણી આપવા માટે સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે અહીંના લોકોની પીવાના પાણીની વર્ષો જુની સમસ્યા હવે દુર થઇ છે.

થોડા દિવસ પહેલા જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. વડગામ અને માલુ ગધેર વસાહતમાં પીવાનું ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા કાર્યવાહી કરાઈ હતી. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું લોકાર્પણ પણ કરાયું હતું. સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ માલુ ગધેર વસાહતમાં નલ સે જલ યોજનામાં 190 નળ કનેકશન અપાયા છે અને માલુ વડગામ વસાહતમાં 55 નળ કનેક્શન અપાયા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મહત્વનું છે કે આ પહેલા પણ Tv9 ગુજરાતીના અહેવાલ બાદ છોટાઉદેપુરના ટવા ગામમાં પણ પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. ગામલોકોની જે માગ હતી એ હાફેશ્વર યોજનાની લાઇનમાંથી તાત્કાલિક ગામ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી. સ્વાભાવિક જ પાણી મળતાં જ ગામલોકોની ખુશી કંઈક આ રીતે છલકાઈ અને તેમણે ટીવી 9નો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">