AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur: નજીકમાં સરદાર સરોવર છતાં આ ગામ છે તરસ્યું, લોકોને પીવાના અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો

છોટા ઉદેપુરના (Chhota Udepur) અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટવા ગામમાં ભૌગોલિક સ્થિતિ એવી છે અને ઉપરથી પથરાળ વિસ્તાર હોવાને કારણે ઉનાળાની શરૂઆત થતાં જ જળ પાતાળમાં જતા રહેતા હોય છે.

Chhota Udepur: નજીકમાં સરદાર સરોવર છતાં આ ગામ છે તરસ્યું, લોકોને પીવાના અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો
છોટા ઉદેપુરના ગામમાં પાણીની સમસ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 11:21 AM
Share

છોટા ઉદેપુરના (Chhota Udepur) અંતરીયાળ ટવા ગામની નજીકમાં જ નર્મદા નદી વહી રહી છે, છતાં અહીંના લોકો તરસ્યા રહેવા મજબુર છે. અહીં માણસોની સાથે પશુઓની હાલત પણ દયનીય છે. છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટવા ગામમાં ભૌગોલિક સ્થિતિ એવી છે અને ઉપરથી પથરાળ વિસ્તાર હોવાને કારણે ઉનાળાની (Summer) શરૂઆત થતાં જ જળ પાતાળમાં જતા રહેતા હોય છે. વર્ષોથી આ ગામના લોકોને ઉનાળાના સમયે પીવાના પાણી (Drinking water) અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવે છે. ટવા ગામના લોકોએ પીવાના અને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. અહીંના સ્થાનિકોએ અનેક વાર તંત્રને રજુઆત કરવા છતા સમસ્યાનો હલ આવતો નથી.

છોટા ઉદેપુરના ટવા ગામના લોકોને દિવસ રાત જો કોઈ સમસ્યા તકલીફ આપતી હોય તો એ છે પાણી. નવાઈની વાત એ છે કે સરદાર સરોવર પણ નજીકમાં આવેલું છે. છતાં ગામના લોકોને પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ગામના કેટલાક લોકો તો પોતાનું વતન છોડી પોતાના ઘરને તાળાં મારી અન્ય જગ્યાએ મજૂરીએ જવા મજબૂર બન્યા છે. પાણી વગર જીવન અશક્ય છે તો સાથે રોજી રોટીનો સવાલ પણ આ લોકોને સતાવી રહ્યો છે. ગામમાં આશરે 10 થી 12 વર્ષ પહેલા ગામમાં ટાંકી બનાવવામાં આવી હતી છતાં ગામના લોકોનું કહેવું છે ટાંકીમાં આજદિન સુધી પાણી જ નથી નાખવામાં આવ્યું.

આ બાબતે વિપક્ષના નેતા અને આ વિસ્તારના ધારાસભ્ય સુખરામ રાઠવાએ પણ વિધાનસભામાં રજૂઆત કરી છે. સુખરામ રાઠવાનું કહેવું છે કે નર્મદા યોજના થકી છેક સૌરાસ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે સરકારે નજીક રહેતાં આદીવાસીઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ધારાસભ્યનું એવું પણ કહેવું છે કે આ વિસ્તારમાં હાફેશ્વર યોજનાનું પાણી મળે તે માટે તેમણે વારંવાર સરકારમાં રજૂઆત કરી છે. છતાં તેની કોઈ અમલવારી જોવા નથી મળતી.

સુખરામ રાઠવાના મતે આ વિસ્તારમાં 600 થી 700 ફૂટ ઊંડે બોર કરવામાં આવે તો પણ પાણી આવતું નથી અને ટવા ગામ અને આસપાસના દરેક ગામની સ્થિતિ આ જ છે. જો આ સમસ્યાનું નિવારણ લાવવું હોય તો નર્મદા યોજના આધારિત યોજનાઓ છે તેમાંથી આ વિસ્તારને પાણી આપવું જોઈએ.

પાણી વગર નાનામાં નાના જીવનું પણ જીવન અશક્ય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ટવા ગામના લોકો આજે પણ પાણી માટે પોકાર કરી રહ્યા છે. સૂત્રોચાર કરીને માગ કરી રહ્યા છે કે તેમને પડી રહેલી મુશ્કેલીનું સરકાર ઝડપથી નિરાકરણ લાવે તો તેમણે ગામ છોડવાનો વારો ન આવે.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">