AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરને જ તસ્કરોએ બનાવ્યુ નિશાન, 9 તોલાના સોનાના ઘરેણાંની ચોરી, જુઓ Video

Ahmedabad : ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરને જ તસ્કરોએ બનાવ્યુ નિશાન, 9 તોલાના સોનાના ઘરેણાંની ચોરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2025 | 2:10 PM
Share

અમદાવાદ નજીક ધંધુકા અને ધોળકામાં ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરોમાં ચોરીની ઘટનાઓ બની છે. ધંધુકામાં દોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં અને ધોળકામાં સુરતના પીએસઆઈ પ્રભુ કોટવાળના ઘરે ચોરી થઈ છે. બંને સ્થળોએથી નવ તોલા સોનાના ઘરેણાં સહિત મોટી માત્રામાં મુદ્દામાલ ચોરાયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા પ્રયાસો કરી રહી છે.

અમદાવાદ જિલ્લામાં ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરે જ ચોરીની ઘટના બની છે. ધોળકા અને ધંધુકામાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરી છે. ધંધુકામાં રહેતા ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં ચોરી થઈ છે.બીજી તરફ ધોળકામાં રહેતા સુરતના PSIના ઘરે પણ ચોરી થઈ છે. બંને મકાનમાંથી તસ્કરો 9 તોલાના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી ગયા હોવાની વિગતો છે.

ધોળકામાં રહેતા સુરતના પીએસઆઈના ઘરે પણ ચોરી થઈ હોવાની વિગતો છે. પીએસઆઈ પ્રભુ કોટવાળના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ અને તેમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિતની ચોરી કરી છે.

ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં પણ ચોરીની ઘટના બની છે. ધોલેરાના જજ ધંધુકા ખાતે રહી રહ્યા છે. તેમના મકાનમાં તસ્કરોએ 27મી જાન્યુઆરીની રાત્રે મોડી સવારે ચોરીને અંજામ આપ્યો હતો. એક તરફ 26મી જાન્યુઆરીની તૈયારીઓ થઈ રહી હતી, ત્યારે જિલ્લા તંત્રની આખી પોલીસ ત્યાં ધંધુકા ખાતે હતી. તેમ છતાં જજના ઘરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે કેટલી વસ્તુની ચોરી થઇ છે ? કેવા પ્રકારે ચોરી કરવામાં આવી છે તેને લઈ હાલ અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">