Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓઢવમાં પાંચ શખ્શોએ મળીને સગીરની કરી હત્યા, કિશોરો વચ્ચેની તકરાર મર્ડર સુધી પહોંચી

શહેરના ઓઢવ વિસ્તારમાં અંગત અદાવતમાં એક સગીરની હત્યા કરવામાં આવી છે. જે હત્યાના ગુનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી એક સગીર વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. જોકે આ ગુનામાં અન્ય એક આરોપી ફરાર છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી.દિવાળી સમયે થયેલી તકરાર ની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઓઢવમાં પાંચ શખ્શોએ મળીને સગીરની કરી હત્યા, કિશોરો વચ્ચેની તકરાર મર્ડર સુધી પહોંચી
તકરાર મર્ડર સુધી પહોંચી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 23, 2023 | 5:03 PM

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહત પાસે એક સગીર પર 21 તારીખે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં સારવાર બાદ સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ઓઢવ પોલીસે હત્યા અને એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ગુનામાં અન્ય એક સગીરની પણ સંડોવણી હોવાથી તેને વિરોધ કાયદાકીય પગલા લીધા છે.

ઓઢવ પોલીસે કિશન ખટીક, શ્યામ ખટીક, સુરજ ખટીક, વિજય ખટીક અને પિયુષ પટેલ ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી સુશાંત શર્મા ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતકને 14 વર્ષિય બોબી નાડીયા સાથે તેમની લાંબા સમયથી અંગત અદાવત ચાલતી હતી. દિવાળી સમયે પણ બન્ને વચ્ચે તકરાર થઈ હતી. જેનો બદલો લેવા આરોપી એ હુમલો કર્યો હતો.

સગીરની તકરાર હત્યા સુધી પહોંચી

બોબી નાડીયાની હત્યા ની વિગત પર નજર કરીએ તો, 21 તારીખે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં મૃતક બોબી અને તેનો ભાઈ સંજય રબારી વસાહત પાસે આવેલા રાજાધિરાજ પાર્લર પાસે બેઠા હતા. તે સમયે બે બાઈક પર આવેલા પાંચ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમા બોબીને સાથળના ભાગે ઈજા પહોચી હતી. જેની સારવાર કરાવી ઘરે લાવ્યા બાદ ગઈકાલે તેનુ મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે પરિવારે પોલીસને જાણ કરતા ઓઢવ પોલીસે હત્યા અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

મહત્વનું છે કે ઓઢવમાં થયેલી હત્યા પાછળ બે સગીરોની માથાકૂટ અને તકરાર જવાબદાર છે. જેમા એક સગીરનુ મોત નિપજ્યું તો અન્ય એક સગીર વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામા આવી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં અન્ય કોઈ કારણ સામે આવે છે કેમ તે જોવુ મહત્વનું છે.

કારણ કે પોલીસને એ વાતનો પણ સવાલ છે કે, આટલી કિશોર વયની ઉંમરે શા માટે આમને સામને આટલી હદે તકરાર સર્જાઈ. તો વળી આટલી વયના કિશોરની તકરારમાં તેને મદદ કરવા માટે અન્ય યુવકો પણ આવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો આમ. હત્યાનું સ્પષ્ટ કારણ પણ શોધવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યા છે.

આ પણ વાંચોઃ  પ્રસુતિ વેળા માતા-બાળકના જોખમ ઘટાડવા ગુજરાતના 650 તબિબોએ યોજી કોન્ફરન્સ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">