AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં કપાસ અને બાજરીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં કપાસ અને બાજરીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
Cotton Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:01 PM
Share

ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. કપાસ (Cotton) અને બાજરીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

કપાસના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. પિયત પાકને વરસાદ બંધ થયા પછી ૧૫ દિવસ પછીથી જરૂરીયાત મુજબ પિયત આપવું.

2. કપાસ તૈયાર થયે વહેલી સવારે વીણી કરી, ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો.

3. રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ.પી. ૦.૦૫ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) છંટકાવ કરવો.

4. કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ટકા (૧૯-૧૯-૧૯ના. ફો. પો.) નો છંટકાવ કરવો.

5. કપાસની સપ્રમાણ વૃધ્ધિ માટે ૭૫ દિવસે કપાસના છોડની ટોચ કાપવાની ભલામણ છે.

6. કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ.લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.

7. કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખી ૨-૩ છંટકાવ કરવા.

આ પણ વાંચો : Paddy Procurement: આ રાજ્યમાં MSP પર ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી, જાણો ખેડૂતો કેવી રીતે કરી શકે છે તેના પાકનું વેચાણ

બાજરાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

અર્ધ શિયાળુ ઋતુમા સંકર બાજરાનુ વાવેતર કરતા ખેડુતોનુ મહતમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરાની વહેલી પાકતી જાત જી.એચ.બી. ૫૩૮ અથવા અર્ધશિયાળુ પ્રચલીત જાતનુ વાવેતર ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં કરવું.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
દબાણ પર તંત્રની ડિમોલિશન કામગીરી શરુ
દબાણ પર તંત્રની ડિમોલિશન કામગીરી શરુ
રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર કિન્નરે બનાવી રીલ બાદમાં કાર્યવાહી
રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર કિન્નરે બનાવી રીલ બાદમાં કાર્યવાહી
આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ખંભાળિયાની આ ડેરી પર SOGના દરોડા, 54 કિલો અખાદ્ય પનીરનો નાશ
ખંભાળિયાની આ ડેરી પર SOGના દરોડા, 54 કિલો અખાદ્ય પનીરનો નાશ
રાજકોટ: સોરઠિયાવાડીમાં PGVCLની લાલિયાવાડી, 4 દિવસથી વીજળી ગુલ થતા રોષ
રાજકોટ: સોરઠિયાવાડીમાં PGVCLની લાલિયાવાડી, 4 દિવસથી વીજળી ગુલ થતા રોષ
રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ સામે આક્રોશ: ગરમીમાં છૂટછાટ આપવા લોકોની માગ
રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ સામે આક્રોશ: ગરમીમાં છૂટછાટ આપવા લોકોની માગ
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
g clip-path="url(#clip0_868_265)">