AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે

આ માટે તમારે બચત અને ખર્ચને એવી રીતે રાખવો પડશે કે તમે તેના પર મળનારી ટેક્સ છૂટનો પૂરો લાભ લઈ શકો. અમે તમને આ પદ્ધતિ ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવા જઈ રહ્યા છીએ. જે પછી તમે તમારી ટેક્સની જવાબદારીને શૂન્ય કરી શકો છો.

Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે
LTCG Tax
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:52 AM
Share

Income Tax Savings: જો તમારો પગાર વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ છે અને તમારી કમાણીનો મોટો હિસ્સો સરકારને ટેક્સ તરીકે જાય છે. તમને લાગે છે કે તમારી પાસે ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો નથી તેથી ટેક્સ ભરવો યોગ્ય છે , તો તમારો વિચાર ખોટો છે. ભલે તમારો પગાર વાર્ષિક રૂપિયા 10.5 લાખ હોય છતાં તમારે 1 રૂપિયો પણ ટેક્સ નહિ ભરવો પડે

આ માટે તમારે બચત અને ખર્ચને એવી રીતે રાખવો પડશે કે તમે તેના પર મળનારી ટેક્સ છૂટનો પૂરો લાભ લઈ શકો. અમે તમને આ પદ્ધતિ ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવા જઈ રહ્યા છીએ. જે પછી તમે તમારી ટેક્સની જવાબદારીને શૂન્ય કરી શકો છો.

એક ઉદાહરણથી સમજો , ધારો કે તમારો પગાર વાર્ષિક રૂ. 1050000 છે અને જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે તો તમે 30% સ્લેબમાં છો.

1- પહેલા તમે રૂ. 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે ઘટાડો 10,50,0000-50,000 = 10,00,000 રૂપિયા

2- આ પછી તમે 80C હેઠળ 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો. આમાં તમે EPF, PPF, ELSS, NSC માં રોકાણ પર આવકવેરા મુક્તિ અને બે બાળકો માટે ટ્યુશન ફી તરીકે વાર્ષિક 1.5 લાખ બાદ મેળવી શકો છો. 10,000,000- 1,50,000 = 8,50,000 રૂપિયા

3- જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) માં વાર્ષિક 50,000 રોકાણ કરો છો તો આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ તમને અલગથી આવકવેરો(Income Tax) બચાવવા માટે મદદ મળશે. 8,50,000-50,0000 = 8,00,000 રૂપિયા

4- જો તમે હોમ લોન લીધી હોય તો આવકવેરાની કલમ 24B હેઠળ તમે રૂપિયા 2 લાખના વ્યાજ પર કર મુક્તિનો દાવો કરી શકો છો. 8,00,000-2,00,000 = 6,00,000 રૂપિયા

5- આવકવેરાની કલમ 80D હેઠળ પત્નીઓ, બાળકો અને પોતે હેલ્થ ચેકએ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમના કપાતનો દાવો કરી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમીયમ માટે 25,000 ડિડક્શન મળી શકે છે . વધુમાં જો તમે તમારા માતાપિતા માટે આરોગ્ય વીમો ખરીદો છો તો તમે રૂપિયા 50000 સુધી વધારાની કપાત મેળવી શકો છો. આ માટે શરત એ છે કે માતાપિતા વરિષ્ઠ નાગરિકો હોવા જોઈએ. 6,00,000-75,000 = 5,25,000 રૂપિયા

6- આવકવેરાની કલમ 80G હેઠળ સંસ્થાઓને દાન તરીકે આપવામાં આવેલી રકમ પર કર કપાતનો દાવો કરી શકો છો. ધારો કે તમે દાન રૂ. 25,000 આપ્યું છે તો તમે તેના પર ટેક્સ છૂટ મેળવી શકો છો. જો કે દાનની પુષ્ટિ કરવા માટે તમારે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે. જે સંસ્થાને દાન આપવામાં આવે છે તેની પાસેથી સ્ટેમ્પ વાળી રસીદ મળવી જોઈએ. આ દાનનો પુરાવો હશે જે ટેક્સ કપાત સમયે જમા કરાવવાનો રહેશે. 5,25,000-25,000 = 5,00,000 રૂપિયા

7- તો હવે તમારે માત્ર રૂપિયા 5 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. તમારી કર જવાબદારી રૂ. 12,500 (2.5 લાખના 5%) રહેશે. પરંતુ, મુક્તિ રૂ 12,500 છે જેથી 5 લાખના સ્લેબ પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે.

કુલ ટેક્સ ડિડક્શન = 500,000 નેટ ઇન્કમ = 5,00,000 ટેક્સની જવાબદારી = 00

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત સરકીને 72 ડોલર સુધી પહોંચી, આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલના શું છે રેટ?

આ પણ વાંચો : કેટલા પ્રકારના હોય છે લાઈફ ઇન્શ્યોરન્સ ? તમારા માટે ક્યો પ્લાન રહેશે બેસ્ટ? જાણો આ અહેવાલમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">