AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા સોનાના દાગીના ક્યારેય એરપોર્ટ પર જપ્ત કરવામાં આવ્યા છે? હવે કસ્ટમ મુસાફરની જ્વેલરી રાખી શકશે નહીં, હાઈકોર્ટે આપ્યો આદેશ

શું તમે પહેરેલા સોનાના દાગીનાના કારણે તમને કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર રોક્યા છે? શું ભારત પરત ફર્યા બાદ કસ્ટમ દ્વારા તમારા જૂના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે? જો આવું થયું હોય તો તમારા માટે રાહતના સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે કસ્ટમ વિભાગને સૂચના આપી છે

| Updated on: Apr 03, 2025 | 5:27 PM
Share

ભારત

શું તમે પહેરેલા સોનાના દાગીનાના કારણે તમને કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર રોક્યા છે? શું ભારત પરત ફર્યા બાદ કસ્ટમ દ્વારા તમારા જૂના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે? જો આવું થયું હોય તો તમારા માટે રાહતના સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે કસ્ટમ વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ ભારત આવતા પ્રવાસીઓના જૂના અને અંગત દાગીના જપ્ત ન કરે અને તેમને હેરાન ન કરે. કોર્ટે કહ્યું કે એરપોર્ટ પર મુસાફરોને બિનજરૂરી સમસ્યાઓ ન થવી જોઈએ. યાત્રા દરમિયાન પહેરવામાં આવેલા દાગીનાની હેરાનગતિ અને જપ્તીની ફરિયાદોને પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો.

શું તમે પહેરેલા સોનાના દાગીનાના કારણે તમને કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર રોક્યા છે? શું ભારત પરત ફર્યા બાદ કસ્ટમ દ્વારા તમારા જૂના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે? જો આવું થયું હોય તો તમારા માટે રાહતના સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે કસ્ટમ વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ ભારત આવતા પ્રવાસીઓના જૂના અને અંગત દાગીના જપ્ત ન કરે અને તેમને હેરાન ન કરે. કોર્ટે કહ્યું કે એરપોર્ટ પર મુસાફરોને બિનજરૂરી સમસ્યાઓ ન થવી જોઈએ. યાત્રા દરમિયાન પહેરવામાં આવેલા દાગીનાની હેરાનગતિ અને જપ્તીની ફરિયાદોને પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો.

1 / 6
જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને રજનીશ કુમાર ગુપ્તાની ખંડપીઠે કસ્ટમ અધિકારીઓને ભારતીય મુસાફરો અને વિદેશી પ્રવાસીઓ સાથે ગેરવર્તન ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. કોર્ટે આ નિર્ણય ત્યારે આપ્યો જ્યારે કસ્ટમ્સ વિભાગે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) હજુ પણ નિયમોમાં ફેરફાર પર કામ કરી રહ્યું છે અને આ માટે તેમને થોડો વધુ સમયની જરૂર છે.

જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને રજનીશ કુમાર ગુપ્તાની ખંડપીઠે કસ્ટમ અધિકારીઓને ભારતીય મુસાફરો અને વિદેશી પ્રવાસીઓ સાથે ગેરવર્તન ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. કોર્ટે આ નિર્ણય ત્યારે આપ્યો જ્યારે કસ્ટમ્સ વિભાગે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) હજુ પણ નિયમોમાં ફેરફાર પર કામ કરી રહ્યું છે અને આ માટે તેમને થોડો વધુ સમયની જરૂર છે.

2 / 6
આ નિર્ણય 30 થી વધુ અરજીઓની સુનાવણી દરમિયાન આવ્યો જેમાં મુસાફરોએ કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમના સામાન અને ઘરેણાં જપ્ત કરવા અંગે ફરિયાદ કરી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે કસ્ટમ અધિકારીઓ કોઈ નક્કર કારણ વગર જ્વેલરી જપ્ત કરે છે અને મુસાફરોને હેરાન કરે છે.

આ નિર્ણય 30 થી વધુ અરજીઓની સુનાવણી દરમિયાન આવ્યો જેમાં મુસાફરોએ કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમના સામાન અને ઘરેણાં જપ્ત કરવા અંગે ફરિયાદ કરી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે કસ્ટમ અધિકારીઓ કોઈ નક્કર કારણ વગર જ્વેલરી જપ્ત કરે છે અને મુસાફરોને હેરાન કરે છે.

3 / 6
કોર્ટે કસ્ટમ અધિકારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી હતી. કોર્ટે કહ્યું કે જો આગામી સુનાવણી સુધી નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો 19 મે સુધીમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવી જોઈએ. નવા નિયમો આવે ત્યાં સુધી આનો અમલ કરવામાં આવશે.

કોર્ટે કસ્ટમ અધિકારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી હતી. કોર્ટે કહ્યું કે જો આગામી સુનાવણી સુધી નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો 19 મે સુધીમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવી જોઈએ. નવા નિયમો આવે ત્યાં સુધી આનો અમલ કરવામાં આવશે.

4 / 6
કસ્ટમ્સ વિભાગે કહ્યું કે સીબીઆઈસી આ મામલે સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહી છે અને નવા નિયમો બનાવવામાં વ્યસ્ત છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી નવા નિયમો ન બને ત્યાં સુધી કસ્ટમ્સ અધિકારીઓ મુસાફરો દ્વારા પહેરવામાં આવેલા અથવા ઉપયોગમાં લેવાતા ઘરેણાં જપ્ત કરી શકશે નહીં.

કસ્ટમ્સ વિભાગે કહ્યું કે સીબીઆઈસી આ મામલે સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહી છે અને નવા નિયમો બનાવવામાં વ્યસ્ત છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી નવા નિયમો ન બને ત્યાં સુધી કસ્ટમ્સ અધિકારીઓ મુસાફરો દ્વારા પહેરવામાં આવેલા અથવા ઉપયોગમાં લેવાતા ઘરેણાં જપ્ત કરી શકશે નહીં.

5 / 6
આ નિર્ણય બાદ મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને એવા લોકો જેઓ વિદેશથી પોતાના અંગત ઘરેણાં પહેરીને આવે છે. તેમને હવે બિનજરૂરી રીતે રોકવામાં આવશે નહીં. કોર્ટે એ પણ નક્કી કર્યું છે કે જો 19 મે સુધીમાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અસ્થાયી માર્ગદર્શિકા બનાવવી જોઈએ.

આ નિર્ણય બાદ મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને એવા લોકો જેઓ વિદેશથી પોતાના અંગત ઘરેણાં પહેરીને આવે છે. તેમને હવે બિનજરૂરી રીતે રોકવામાં આવશે નહીં. કોર્ટે એ પણ નક્કી કર્યું છે કે જો 19 મે સુધીમાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અસ્થાયી માર્ગદર્શિકા બનાવવી જોઈએ.

6 / 6

ના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
g clip-path="url(#clip0_868_265)">