વડોદરા હરણી બોટ દુર્ઘટના
વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ જવાયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ બોટમાં તમામને લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.
હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને FSLની તપાસમાં ખુલાસો થયો કે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી હતી. બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જો કે તેમાં દોઢ ટન કરતા વધુ વજન ભેગુ કરવામાં આવ્યું હતુ. જેના કારણે બોટ ડૂબી અને 14 જિંદગીઓનો ભોગ લેવામાં આવ્યો.
“બેન તમે બેસી જાઓ, તમે એજન્ડા સાથે આવ્યા છો”- હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારી માતાને CM ના કાર્યક્રમમાંથી ધક્કા મારી બહાર તગેડી મુકાઈ
વડોદરામાં દીનદયાલ ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીનો વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ચાલી રહ્યો હતો. આ દરમિયાન CMની સ્પીચ ચાલી રહી હતી ત્યારે બે બહેનો ઉભી થઈ સીએમને રજૂઆત કરી રહી હતી. તો CM એ કહ્યુ બેન તમે બેસી જાઓ તમે એજન્ડા સાથે આવ્યા છો.આ બહેનો બીજી કોઈ નહીં પરંતુ હરણીબોટ કાંડમાં દીકરી ગુમાવનારી માતા હતી.
- Anjali oza
- Updated on: May 2, 2025
- 4:37 pm
વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મામલે મોટા સમાચાર, હાઈકોર્ટના આદેશ બાદ નક્કી કરાઈ વળતરની રકમ- Video
વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ મૃતકોના સ્વજનોને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રકમ પણ નથી મળી.આજે આ કેસમાં વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા આખરે હાઈકોર્ટના આદેશ મુજબ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2025
- 6:11 pm
વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો, 2 શિક્ષિકા સહિત 12 માસૂમોના ડૂબવાથી થયા હતા મોત
એક વર્ષ પહેલાં વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.આજે પણ પીડિત પરિવારો ન્યાય માટે લડી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ પુરતી કાર્યવાહી ન થતાં પરિવારોમાં રોષ છે. શાળાની બેદરકારી અને અધિકારીઓની ઉદાસીનતાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આરોપ છે.ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ સ્વજનો જણાવી રહ્યા છે.
- Anjali oza
- Updated on: Jan 18, 2025
- 8:26 pm
Year Ender 2024: ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાઓ ! અનેક લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા, જુઓ તસવીરો
ગુજરાત માટે વર્ષ 2024માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલી હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.
- Disha Thakar
- Updated on: Dec 28, 2024
- 8:53 am