Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા હરણી બોટ દુર્ઘટના

વડોદરા હરણી બોટ દુર્ઘટના

વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ જવાયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ બોટમાં તમામને લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને FSLની તપાસમાં ખુલાસો થયો કે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી હતી. બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જો કે તેમાં દોઢ ટન કરતા વધુ વજન  ભેગુ કરવામાં આવ્યું હતુ. જેના કારણે બોટ ડૂબી અને 14 જિંદગીઓનો ભોગ લેવામાં આવ્યો.

Read More

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મામલે મોટા સમાચાર, હાઈકોર્ટના આદેશ બાદ નક્કી કરાઈ વળતરની રકમ- Video

વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ મૃતકોના સ્વજનોને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રકમ પણ નથી મળી.આજે આ કેસમાં વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા આખરે હાઈકોર્ટના આદેશ મુજબ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે.

વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો, 2 શિક્ષિકા સહિત 12 માસૂમોના ડૂબવાથી થયા હતા મોત

એક વર્ષ પહેલાં વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.આજે પણ પીડિત પરિવારો ન્યાય માટે લડી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ પુરતી કાર્યવાહી ન થતાં પરિવારોમાં રોષ છે. શાળાની બેદરકારી અને અધિકારીઓની ઉદાસીનતાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આરોપ છે.ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ સ્વજનો જણાવી રહ્યા છે.

Year Ender 2024: ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાઓ ! અનેક લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા, જુઓ તસવીરો

ગુજરાત માટે વર્ષ 2024માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલી હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.

Vadodara: હરણી દુર્ઘટના કાંડમાં મનપા કમિશનરને હાઇકોર્ટે ઠેરવ્યા જવાબદાર, કોર્ટે કર્યો 15 પાનાનો હુકમ, જુઓ Video

હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જો કે, કોર્ટે મનપા કમિશનરને જવાબદારી ઠેરવીને બે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા માટેનો હુંકમ કર્યો છે. 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાઓ મળીને 14ના મોત થયા હતા. હરણી તળાવામાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મનપાએ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે.

હરણી લેક ઝોન દુર્ઘટના મામલે દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ : હાઈકોર્ટ

હરણી લેક ઝોન દુર્ઘટના મામલે તપાસ સમિતિ એ જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર કર્યો છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે સમગ્ર દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ થઈ રહી છે હોવાનું હાઇકોર્ટે જણાવ્યું છે.

ગુજરાતની એ દર્દનાક ઘટનાઓ, જેમાં હોમાયા અનેક માસૂમ, જુઓ Photos

રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં 22થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં અનેક માસૂમ પણ હોમાયા છે, ત્યારે આ લેખમાં ગુજરાતમાં સર્જાયેલી આ પ્રકારની મોટી ઘટનાઓ પર એક નજર કરીએ જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">