શરદ પવાર
શરદ ગોવિંદરાવ પવાર રાજકારણી છે. તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. પીવી નરસિમ્હા રાવની કેબિનેટમાં સંરક્ષણ પ્રધાન અને મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રથમ અને ભૂતપૂર્વ પ્રમુખ છે, જેની સ્થાપના તેમણે 1999 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા બાદ કરી હતી.
શરદ પવારની NCP તેમના જ ભત્રીજા અજિત પવારે તોડી પાડી. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તેમના પક્ષના NCP પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેઓ મહારાષ્ટ્ર સ્થિત પ્રાદેશિક રાજકીય ગઠબંધન મહા વિકાસ અઘાડીના પ્રમુખ પણ છે. તેઓ 1999માં સ્થપાયેલ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને પ્રમુખ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી પવાર રાજ્યસભામાં NCPનું નેતૃત્વ કરી રહ્યાં છે.
શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940 ના રોજ થયો હતો. તેઓ ગોવિંદરાવ પવાર અને શારદાબાઈ પવારના અગિયાર બાળકોમાંના એક છે. તે પુણે જિલ્લાના બારામતી શહેરમાંથી તેર સભ્યોના વિશાળ પરિવારમાંથી આવે છે. શરદ પવારના મોટા ભાઈ વસંત રાવની જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. પ્રતાપ પવાર તેમના નાના ભાઈ છે. પવારે બૃહન મહારાષ્ટ્ર કોલેજ ઓફ કોમર્સ (BMCC)માં અભ્યાસ કર્યો છે.
રોહિત શર્મા સ્ટેન્ડના ઉદ્ઘાટન સમારોહમાં પત્ની રિતિકા થઈ ભાવુક, વીડિયો થયો વાયરલ
રોહિત શર્માનું નામ ભારતના સૌથી સફળ અને મહાન ક્રિકેટરોમાં ગણાશે. છેલ્લા એક વર્ષમાં, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. 'મુંબઈ ચા રાજા' તરીકે પ્રખ્યાત રોહિત શર્માને હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
- Disha Thakar
- Updated on: May 17, 2025
- 12:17 pm
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું થયું ઉદ્ઘાટન, આ 2 ખાસ લોકોએ દબાવ્યું બટન
મુંબઈ ક્રિકેટ એસોસિએશને બે વર્ષ પહેલા આ ઐતિહાસિક સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની એક ખાસ પ્રતિમા સ્થાપિત કરી હતી. પછી ગયા વર્ષે, તે સીટને એક ખાસ જગ્યા બનાવવામાં આવી હતી, જ્યાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીએ વિનિંગ છગ્ગો ફટકાર્યા પછી બોલ પડ્યો હતો. હવે MCAએ આ સ્ટેડિયમને વધુ ખાસ બનાવ્યું છે.
- Smit Chauhan
- Updated on: May 16, 2025
- 6:56 pm