
શરદ પવાર
શરદ ગોવિંદરાવ પવાર રાજકારણી છે. તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. પીવી નરસિમ્હા રાવની કેબિનેટમાં સંરક્ષણ પ્રધાન અને મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રથમ અને ભૂતપૂર્વ પ્રમુખ છે, જેની સ્થાપના તેમણે 1999 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા બાદ કરી હતી.
શરદ પવારની NCP તેમના જ ભત્રીજા અજિત પવારે તોડી પાડી. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તેમના પક્ષના NCP પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેઓ મહારાષ્ટ્ર સ્થિત પ્રાદેશિક રાજકીય ગઠબંધન મહા વિકાસ અઘાડીના પ્રમુખ પણ છે. તેઓ 1999માં સ્થપાયેલ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને પ્રમુખ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી પવાર રાજ્યસભામાં NCPનું નેતૃત્વ કરી રહ્યાં છે.
શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940 ના રોજ થયો હતો. તેઓ ગોવિંદરાવ પવાર અને શારદાબાઈ પવારના અગિયાર બાળકોમાંના એક છે. તે પુણે જિલ્લાના બારામતી શહેરમાંથી તેર સભ્યોના વિશાળ પરિવારમાંથી આવે છે. શરદ પવારના મોટા ભાઈ વસંત રાવની જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. પ્રતાપ પવાર તેમના નાના ભાઈ છે. પવારે બૃહન મહારાષ્ટ્ર કોલેજ ઓફ કોમર્સ (BMCC)માં અભ્યાસ કર્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કાકાને ભારે પડ્યો ભત્રીજો, શરદ પવારને 29 બેઠક પર અજીતે હરાવ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે એનસીપી અને બે શિવસેના મેદાને હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર વચ્ચે વહેંચાયેલી હતી. તો શિવસેના બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને શિવ સૈનિક એકનાથ શિંદે જૂથમાં વહેંચાયેલી હતી.
- TV9 Gujarati
- Updated on: Nov 24, 2024
- 8:34 am
Maharashtra Election Results 2024: પરિણામોએ આપ્યા આ 7 સૌથી મોટા સવાલોના જવાબ, પવારનો ‘પાવર’ , ઉદ્ધવનો ‘ઉદય’ પૂર્ણ ?
Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિએ શાનદાર જીત નોંધાવી છે. રાજ્યમાં ફરી એકવાર તેની સરકાર બની રહી છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિને 200થી વધુ સીટો મળી રહી છે. તે જ સમયે, MVAને 70થી ઓછી બેઠકો મળી રહી છે.
- Tanvi Soni
- Updated on: Nov 23, 2024
- 4:23 pm
Maharashtra Election : મહારાષ્ટ્રમાં મહાયુતિ Vs મહા વિકાસ આઘાડી, જાણો કયું પરિબળ કોના પક્ષમાં કામ કરી રહ્યું
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે કાળજીપૂર્ણ સ્પર્ધા છે. લોકસભા ચૂંટણીના પરિણામો મહા વિકાસ આઘાડીને ફાયદો કરી શકે છે, જ્યારે મહાયુતિ લાડલી બ્રાહ્મણ યોજના જેવા પગલાં પર ભરોસો રાખે છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યેની સહાનુભૂતિ અને મહા વિકાસ આઘાડીની જાતિગત ગઠબંધન રાજકારણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
- Devankashi rana
- Updated on: Nov 20, 2024
- 10:46 am
Maharashtra Assembly Elections 2024 Voting : મહારાષ્ટ્રમાં ધીમુ મતદાન , મુખ્ય પક્ષોના નેતાઓએ કર્યું મતદાન
મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. શરદ પવાર, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર જેવા દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય દાવ પર છે. ઘણા નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું. મતગણતરી 23 નવેમ્બરે થશે. ચૂંટણીનું પરિણામ રાજ્યની રાજકીય ગતિશીલતા પર મોટી અસર કરશે.
- Devankashi rana
- Updated on: Nov 20, 2024
- 10:10 am
Baba Siddique Murder : જાણો કોણ છે NCP નેતા બાબા સિદ્દીકી, જેની જાહેરમાં ગોળી મારી હત્યા કરાઈ
અજિત પવારની આગેવાની વાળી એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવાર મોડી રાત્રે બાંદ્રાના પૂર્વમાં ખેરવાડી સિંગ્નલ પાસ 3 હુમાલાખોરે ગોળી મારી હત્યા કરી હતી. તો ચાલો જાણો કોણ છે આ નેતા બાબા સિદ્દીકી.
- Nirupa Duva
- Updated on: Oct 13, 2024
- 11:02 am
મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાં, 3 ગોળી મારી હોવાનું સામે આવ્યું
NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને મહારાષ્ટ્રમાં ગોળી મારી હોવાની ઘટના બની છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હવે તેમના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Oct 12, 2024
- 11:42 pm
દેવેન્દ્ર ફડણવીસનુ મોટું નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યા
દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2024
- 8:09 pm
નીતિન ગડકરીનો મોટો દાવો, “વિપક્ષના એક મોટા નેતાએ કહ્યુ હતુ- તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશુ”
નીતિન ગડકરીએ કહ્યું કે જે વિપક્ષી નેતાએ મને આ ઓફર કરી હતી તેમને મેં કહ્યું હતું કે, "તમે શા માટે મને વડાપ્રધાન પદ માટે સમર્થન કરવા માંગો છો. પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી વિચારધારા અને સંગઠન પત્વેર અડગ છું. હું કોઈપણ પદ માટે સમાધાન નહીં કરું."
- Mina Pandya
- Updated on: Sep 15, 2024
- 11:21 am
Maharashtra : આ કારણે મોકૂફ રખાઈ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન?
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 26મી નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાજ્યમાં વિધાનસભાની મુદત પૂરી થયાના છ મહિનામાં ચૂંટણી થઈ શકે છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક યોજનાના કારણે, આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
- krushnapalsinh chudasama
- Updated on: Aug 19, 2024
- 4:46 pm
Maharashtra : મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે ? ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને કરી ખુલ્લી ઓફર
આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે પરંતુ તે પહેલા મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને જોરદાર મંથન ચાલી રહ્યું છે. સામસામેની લડાઈમાં હવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બોલ શરદ પવારના કોર્ટમાં નાખ્યો છે.
- Meera Kansagara
- Updated on: Aug 16, 2024
- 2:03 pm
Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન કરશે કમાલ કે NDAએ મારશે બાજી ? વાંચો શું કહે છે મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ આંકડા
Maharashtra Exit poll results 2024 India lok sabha election political news in gujarati:મહારાષ્ટ્રની કુલ 48 બેઠક માંથી ભાજપને 18 બેઠકો અને ભાજપ ગઠબંધન એનડીએને 22 બેઠકો મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના આંકડા કોગ્રેસને 5 અને કોગ્રેસ સહિતની i.n.d.i.a alliance party ને 25 સીટ મળે તેવી સંભાવના છે.આ ઉપરાંત અન્યને એક સીટ મળે તેવી સંભાવના છે. આમ ટોટલ 48 બેઠક માંથી NDA ગઠબંધન 22 અને i.n.d.i.a alliance ગઠબંધન 25 સીટ મળે તેવી સંભાવના છે.
- Dhinal Chavda
- Updated on: Jun 2, 2024
- 2:31 pm
દેશમાં અઘોષિત ઈમરજન્સી…શરદ પવારે PM Modi પર સાધ્યું જોરદાર નિશાન
ભારતના ગઠબંધનના પીએમ ચહેરા પર શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાન પદનો ચહેરો કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, હું જોઈ શકું છું કે જનતાનો મૂડ બદલાઈ ગયો છે. હવે આ પીએમ મોદી સામે છે. આ સરકારમાં સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Apr 3, 2024
- 11:07 am