AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરદ પવાર

શરદ પવાર

શરદ ગોવિંદરાવ પવાર રાજકારણી છે. તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. પીવી નરસિમ્હા રાવની કેબિનેટમાં સંરક્ષણ પ્રધાન અને મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રથમ અને ભૂતપૂર્વ પ્રમુખ છે, જેની સ્થાપના તેમણે 1999 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા બાદ કરી હતી.

શરદ પવારની NCP તેમના જ ભત્રીજા અજિત પવારે તોડી પાડી. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તેમના પક્ષના NCP પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેઓ મહારાષ્ટ્ર સ્થિત પ્રાદેશિક રાજકીય ગઠબંધન મહા વિકાસ અઘાડીના પ્રમુખ પણ છે. તેઓ 1999માં સ્થપાયેલ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને પ્રમુખ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી પવાર રાજ્યસભામાં NCPનું નેતૃત્વ કરી રહ્યાં છે.

શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940 ના રોજ થયો હતો. તેઓ ગોવિંદરાવ પવાર અને શારદાબાઈ પવારના અગિયાર બાળકોમાંના એક છે. તે પુણે જિલ્લાના બારામતી શહેરમાંથી તેર સભ્યોના વિશાળ પરિવારમાંથી આવે છે. શરદ પવારના મોટા ભાઈ વસંત રાવની જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. પ્રતાપ પવાર તેમના નાના ભાઈ છે. પવારે બૃહન મહારાષ્ટ્ર કોલેજ ઓફ કોમર્સ (BMCC)માં અભ્યાસ કર્યો છે.

Read More

Maharashtra Breaking News : રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ! અમિત શાહ બાદ PM મોદીને મળ્યા મહારાષ્ટ્રના આ મોટા નેતા, શું NCPના બંને જૂથો એક થશે?

NCPના સંભવિત વિલીનીકરણની અટકળો વચ્ચે સુનીલ તટકરેએ અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શું શરદ પવારની NCPમાં પડશે ભાગલા ? દિગ્ગજ નેતાએ કહ્યું, ‘હવે આ મુદ્દે વાત કરવાનો સમય નથી’ !

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં સંભવિત ભાગલા અને NDAમાં જોડાવાની ચર્ચા વચ્ચે પાર્ટી પ્રમુખ શરદ પવારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે હાલ આ વિષય પર વાત કરવાનો સમય નથી.

Breaking News : ફરી તૂટવાના આરે NCP-SP પાર્ટી! શું શરદ પવાર NDAમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે?

શરદ પવારનો પક્ષ ફરી એકવાર વિભાજનના આરે છે. પક્ષની અંદર એક જૂથ કેન્દ્ર સરકારને સાથ આપવાની માંગ કરી રહ્યું છે. દરમિયાન શરદ પવારે NDAને સમર્થન આપવાની નીતિ અપનાવી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી, શરદ પવાર એકનાથ શિંદેને મળ્યાં, NCP ધારાસભ્યોને પણ મળ્યા, શું NDA વિસ્તરશે ?

બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી હતી. સમિતિની બેઠક પૂર્ણ થયા પછી શરદ પવાર પહોંચ્યા ત્યારે એકનાથ શિંદેએ શાલ અને ગુલદસ્તો આપીને વરિષ્ઠ નેતાનું સ્વાગત કર્યું.

Breaking News : NCPમાં વિલીનીકરણની અટકળો તેજ, પુણેની ગુપ્ત બેઠકથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

NCPના બંને ગઠો વચ્ચે વિલીનીકરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શરદ પવાર ગઠના નેતાઓની પુણેમાં એક ગુપ્ત બેઠક યોજાઈ, જેમાં રાજકીય વ્યૂહરચના પર ચર્ચા થઈ.

Supriya Sule : સુપ્રિયા સુલેની કાર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બની અકસ્માતનો ભોગ, તમામ મુસાફરો સુરક્ષિત!

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારની દિકરી સુપ્રિયા સુલેની કાર મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માતનો ભોગ બની. પાછળથી આવી રહેલા એક વાહને તેમની કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

રાજ્યસભાની ખાલી પડનારી 37 બેઠક માટે 16 માર્ચે યોજાશે ચૂંટણી

મહારાષ્ટ્ર અને ઓડિશા ઉપરાંત, એપ્રિલમાં વિવિધ તારીખે તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાત બેઠકો ખાલી પડશે.

Breaking News : શરદ પવારની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ, પુણેની હોસ્પિટલમાં દાખલ

NCP પ્રમુખ શરદ પવારની તબિયત અચાનક બગડતા તેમને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરાયા છે. તેમને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. આ કારણે તેઓ બારામતીના કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા.

Breaking News: શરદ પવાર સાથે થવાની હતી સુનેત્રા પવારની મીટિંગ, પણ એ પહેલા જ નક્કી થઇ ગઇ ‘તાજપોશી’, જાણો શું છે કારણ

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર રાજ્યનાં પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન બનવાના છે. આજે સાંજે 5 વાગ્યે સુનેત્રા પવારની શપથવિધિ છે. રાજભવનમાં શપથવિધિ માટે તૈયારીઓ તેજ થઇ છે. સુનેત્રા પવાર રાજ્યસભાનું સભ્યપદ છોડશે. રાજ્યસભામાં સુનેત્રાની ખાલી બેઠક પર પુત્ર પાર્થ પવાર જશે.મુંબઇમાં સુનેત્રા પવારનાં નિવાસસ્થાને પણ બેઠકોનો દૌર જોવા મળી રહ્યો છે.

Breaking News : અજિત પવારના નિધનને લઈ શરદ પવારનું નિવેદન, રાજકારણ કરતાં લોકોને શું કહ્યું, જાણો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, જેનાથી રાજ્ય શોકગ્રસ્ત છે. શરદ પવારે આ ઘટનાને રાજ્ય માટે અપુરણીય ક્ષતિ ગણાવી અને રાજકારણ ન કરવાની અપીલ કરી.

BMC Election Breaking: BMCના ચૂંટણી પરિણામો બાદ શિંદે સેનાને હોર્સ ટ્રેડિંગનો ડર.. ચૂંટાયેલા કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કરાયા શિફ્ટ..

ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. 25 વર્ષ પછી, ભાજપ પોતાના મેયરની પસંદગી કરવા માટે તૈયાર છે. એકનાથ શિંદે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી તેમની સોદાબાજી શક્તિમાં પણ વધારો થયો છે. કદાચ આ જ કારણ છે કે શિવસેના હોટલ રાજકારણનો આશરો લઈ રહી છે.

BMC Election Breaking News: ભાજપ માટે ચિંતા! શિવસેના શિંદે જૂથ અને અજિતદાદા જૂથ લઈ શકે છે મોટું પગલું

મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા જ, મહારાષ્ટ્રના રાજકીય બેડામાંથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, અજિત પવાર જૂથ અને શિવસેનાના શિંદે જૂથે ભાજપને મોટો ફટકો આપ્યો છે. એક મોટો રાજકીય વળાંક આવી રહ્યો હોય તેવું લાગે છે.

g clip-path="url(#clip0_868_265)">