AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આખી સીઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે. જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે અને 4માં હાર મળી છે. હવે સીઝન વચ્ચે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ બહાર થઈ ગયો છે.

IPL 2025 : આખી સીઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત
| Updated on: Apr 11, 2025 | 11:52 AM
Share

આઈપીએલ 2025 વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં ફેક્ચર થયું છે. જેના કારણે તે આખી સીઝનમાંથી બહાર થયો છે. સીએસકેએ મહેન્દ્ર સિંહ ધોની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીઝન વચ્ચે ધોનીને કેપ્ટનની જવાબદારી સોંપી છે.

CSKના ચાહકો માટે આ ગિફટથી કાંઈ ઓછું નથી. હવે દિગ્ગજ ધોની ફરી એક વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી બાજુ ગાયકવાડ ભલે ઈજાગ્રસ્ત થયો હોય. પરંતુ તે ટીમમાં રહેશે. આ વાતનો ખુલાસો ખુદ ઋતુરાજ ગાયકવાડે કર્યો છે.

આઈપીએલમાંથી બહાર થવાથી દુખી છે ગાયકવાડ

ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઋતુરાજ ગાયકવાડનો એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેમણે કહ્યું બધાને નમસ્કાર. કોણીની ઈજાને કારણે તે આઈપીએલમાંથી બહાર થયો છે. આ કારણે તે ખુબ દુખી છે. અત્યારસુધી સપોર્ટ કરવા બદલ આભાર, અમે થોડા સમથી સંધર્ષ કરી રહ્યા છે પરંતુ તમે બધા જાણો છો કે, હવે ટીમનો એક યુવા વિકેટકીપર લીડ કરી રહ્યો છે. આશા છે જલ્દી સારું પરિણામ જોવા મળશે. હું ટીમ સાથે રહીશ અને તેનું સંપૂર્ણ સમર્થન કરીશ.

ગાયકવાડે ધોનીને ગણાવ્યો યુવા વિકેટકીપર

ઋતુરાજ ગાયકવાડે મહેન્દ્ર સિંહ ધોનીને યુવા વિકેટકીપર કહ્યો છે. જ્યારે તેની ઉંમર 43 વર્ષની છે. આ ઉંમરે પણ ધોની એકદમ ફિટ છે. તેની સ્ફુર્તિ મેદાનમાં જોવા મળે છે. ગાયકવાડે કહ્યું કે, પાક્કું છે કે, તે આ સ્થિતિમાંથી બહાર નીકળશે. પરંતુ તમે જાણો છો કે, કેટલીક વસ્તુઓ કંટ્રોલમાં હોતી નથી. ડગ આઉટથી ટીમનું સમર્થન કરવા માટે ઉત્સુક છું આશા છે કે, આ સીઝન સારી રહે.

CSK માટે 19 મેચમાં કેપ્ટનશીપ કરી છે

ઋતુરાજ ગાયકવાડે આઈપીએલમાં અત્યારસુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 19 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 8માં જીત મેળવી છે અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે. ગત્ત સીઝનમાં તે સીએસકેનો કેપ્ટન હતો.ત્યારે પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. હાલમાં આ સીઝનમાં પણ તેની કેપ્ટનશીપમાં ટીમે 5 મેચ રમી છે.તેમાંથી 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2025માં સૌથી મોટી ઉંમરના ખેલાડીનો આવો છે પરિવાર ,બહેન છે શિક્ષક,ધોનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">