પાવાગઢ

પાવાગઢ

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવગઢનો ડુંગર આવેલો છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલુ છે. પાવગઢના ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના લોકોમાં ભાતીગળ રીતભાત અને સાંસ્કૃતિક લોકવારસાના દર્શન થાય છે. ચાંપાનેર યુનેસ્કોની વિશ્વ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યો છે.

પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. દેવી પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો. વ્યથિત શિવશંકરે સતીના મૃત શરીરને લઈને તાંડવ કરતાં કરતાં ધરતી ધ્રુજવા લાગી હતી. ધરતીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડા કર્યા હતા. જેમાંનો એક ટુકડો પાવાગઢ પર્વત પર પડ્યો હતો.આ મંદિર ભગવાન શ્રીરામના સમયનું હોવાનું કહેવાય છે.

અહીં શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી. ગોખ પ્રસ્થાપિત કરાવામાં આવેલ છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી મૂર્તિ સ્વરૂપે છે. અને ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી છે. પાવાગઢ માંચીની તળેટીથી પગપાળા જવાનો રસ્તો છે અને રોપવેની સુવિધા પણ આવેલી છે. રોપવે દ્વારા 6 મિનિટમાં ડુંગર સુધી પહોંચી જવાય છે. ત્યાંથી 3 કિલોમીટરનો માર્ગ મંદિર સુધી ચાલીને જવાનો રહે છે. પાવાગઢમાં જોવાલાયક સ્થળોમાં જૈન મંદિર, પતાય રાવલનો મહેલ, તેલિયુ તળાવ અને દુધિયુ તળાવ, ધાબા ડુંગરી શિવ મંદિર તેમજ વડાતળાવ અને કબૂતરખાનનો સમાવેશ થાય છે.

Read More

World Heritage Day 2024 : આન..બાન..શાન વધારે છે ભારતના 5 સાંસ્કૃતિક વારસા, જાણો તેના વિશે, જે બહુ ઓછા લોકો જાણે છે

World Heritage Day 2024 : વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વિશ્વ ધરોહરની સાથે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈ ભક્તો, મંદિરમાં ખાસ હોમ હવનનું આયોજન- Video

હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પાવાગઢમાં દર્શન માટે માઈભક્તોનું જાણે ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને ચૈત્રી આઠમ હોવાથી પાવાગઢમાં મોટા સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા પણ ભાવિકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યા હતા.

ગુજરાતના આ 5 પ્રાચીન સ્મારકો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જુઓ

ગુજરાતમાં પ્રાચીન ઐતિહાસિક વારસો આવેલો છે, જેની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી પર્યટકો અહીં આવતા હોય છે. ઉત્તર ગુજરાતમાં આવેલ સૂર્ય મંદિર, અડાલજની વાવ, રાણીની વાવ, પાવાગઢના ચાંપાનેર, અશોક શિલાલેખ, જૂનાગઢમાં આવેલ પ્રાચીન ગુફાઓ અને બૌદ્ધ ગુફાઓની મુલાકાત પ્રવાસીઓ લેતા હોય છે. જેમાં સૌથી વધારે પ્રવાસીઓ સૂર્ય મંદિરે આવતા હોય છે.

પંચમહાલ : ગુજરાતમાં પ્રથમવાર પાવાગઢના વડા તળાવ નજીક જોવા મળી શિર રાખોડી ટીટોડી- જુઓ Photos

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડાતળાવમાં શિયાળાની ઋતુમાં અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. આ તળાવમાં આ વખતે દુર્લભ પ્રકારની શિર રાખોડી ટીટોડી જેવા મળી છે. આ રાખોડી ટીટોડી પ્રથમવાર ગુજરાતમાં દેખાઈ હોવાનો વનવિભાગના RFOનો દાવો છે.

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">