પાવાગઢ
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવગઢનો ડુંગર આવેલો છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલુ છે. પાવગઢના ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના લોકોમાં ભાતીગળ રીતભાત અને સાંસ્કૃતિક લોકવારસાના દર્શન થાય છે. ચાંપાનેર યુનેસ્કોની વિશ્વ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યો છે.
પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. દેવી પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો. વ્યથિત શિવશંકરે સતીના મૃત શરીરને લઈને તાંડવ કરતાં કરતાં ધરતી ધ્રુજવા લાગી હતી. ધરતીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડા કર્યા હતા. જેમાંનો એક ટુકડો પાવાગઢ પર્વત પર પડ્યો હતો.આ મંદિર ભગવાન શ્રીરામના સમયનું હોવાનું કહેવાય છે.
અહીં શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી. ગોખ પ્રસ્થાપિત કરાવામાં આવેલ છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી મૂર્તિ સ્વરૂપે છે. અને ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી છે. પાવાગઢ માંચીની તળેટીથી પગપાળા જવાનો રસ્તો છે અને રોપવેની સુવિધા પણ આવેલી છે. રોપવે દ્વારા 6 મિનિટમાં ડુંગર સુધી પહોંચી જવાય છે. ત્યાંથી 3 કિલોમીટરનો માર્ગ મંદિર સુધી ચાલીને જવાનો રહે છે. પાવાગઢમાં જોવાલાયક સ્થળોમાં જૈન મંદિર, પતાય રાવલનો મહેલ, તેલિયુ તળાવ અને દુધિયુ તળાવ, ધાબા ડુંગરી શિવ મંદિર તેમજ વડાતળાવ અને કબૂતરખાનનો સમાવેશ થાય છે.
પંચમહાલના પાવાગઢમાં ડૂંગર-તળેટી વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, જુઓ વીડિયો
અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે, આજે પંચમહાલમાં જાંબુઘોડા ઉપરાંત હાલોલ, ઘોંઘબા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Oct 26, 2025
- 12:37 pm
Travel Tips : નવરાત્રીમાં માતા-પિતાને લઈ આ 4 શક્તિપીઠના દર્શન કરો
નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. જપ, તપ અને ઉત્સવનો પર્વ. માની આરાધનાનો પર્વ.જો તમે નવરાત્રીમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે ગુજરાતમાં આવેલા આ પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ કે ગુજરાતના ફેમસ મંદિરો કયા છે.
- Nirupa Duva
- Updated on: Sep 9, 2025
- 5:24 pm
Breaking News: પાવાગઢમાં મોટી દુર્ઘટના, ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના થયા મોત
પંચમહાલના પાવાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં બાંધકામના સામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતા 6 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 6, 2025
- 5:23 pm
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ-વે સેવા રહેશે બંધ ! જાણો સંપૂર્ણ માહિતી, જુઓ Video
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે રોપ વે સેવા બંધ રહેશે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 8, 2025
- 11:36 am