AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીટ

નીટ

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. NEETની પરીક્ષા મેડીકલ શિક્ષણ માટે ફરજીયાત છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.

NEET UG પરીક્ષાના ગુણનો ઉપયોગ MBBSમાં પ્રવેશ માટે થાય છે. જ્યારે NEET PG એક્ઝામ માર્ક્સના આધાર પર MS, MD વગેરે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એન્ટ્રી મળે છે. બંને અભ્યાસક્રમોમાં એન્ટ્રી, પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે કાઉન્સેલિંગથી કરવામાં આવે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ એક્ઝામ આપે છે.

Read More

Breaking News : એન્ટી પેપર લીક બિલ બન્યું કાનુન, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો હવે આરોપીને કેટલી થશે સજા અને દંડ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને પોતાની સંમતિ આપી છે, અને ત્યારબાદ તરત જ ગેઝેટ સૂચના જાહેર કરવામાં આવી હતી; કાયદો હવે સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પ્રવેશ અને ભરતી પરીક્ષાઓમાં પેપર લીક, છેતરપિંડી અને કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે આ કાયદો ઘડ્યો હતો, જેમાં ગુનેગારો માટે કડક સજા અને ભારે દંડની જોગવાઈઓ સામેલ છે.

NEET વિરોધ પાછળ શું રમાઈ રહ્યો છે નવો ખેલ? પરીક્ષાના મુદ્દા વચ્ચે રાજકીય એજન્ડા ઘૂસતા સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ

NEET પરીક્ષા પેપર લીકના આરોપો સામે આવ્યા, તપાસ થઈ, અનેક લોકોની ધરપકડ થઈ, વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાઈ અને ત્યારબાદ પરિણામ જાહેર થયું. લાખો વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા અને પોતાના ભવિષ્ય તરફ આગળ વધવા લાગ્યા.

રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું જ કેમ? પંજાબ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીનું કેમ નહી! પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ઉઠાવ્યા સવાલ

જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે "સવાલ માત્ર એક વ્યક્તિનો કેમ? જવાબદારી તો દરેકની નક્કી થવી જોઈએ." તેમણે NEET પેપર લીક વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અન્ય રાજ્યોમાં થયેલા પરીક્ષા વિવાદોમાં પણ જવાબદારી નક્કી થવી જોઈએ.

ગુજરાતથી UP સુધી પેપર લીક પર કયા રાજ્યમાં કેટલી મળે છે સજા? સરકાર આજે રજૂ કરી રહી બિલ

Anti Leak Paper Laws: વિવિધ રાજ્યોએ દેશભરમાં પરીક્ષાઓમાં અનિયમિતતાઓને રોકવા માટે કડક પેપર લીક વિરોધી કાયદા લાગુ કર્યા છે. ચાલો જોઈએ કે પેપર લીક માફિયાઓ પર કડક કાર્યવાહી કરવા માટે વિવિધ રાજ્યોમાં કયા કાયદા અને દંડ નક્કી કરવામાં આવ્યા છે:

પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ

દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે મોટો નિર્ણય લીધો છે. કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક પગલાં લેવાશે.

Breaking News : પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈ મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવા દેશું નહી. પેપર લીકના દોષિતોને કડક સજા મળશે.

‘One Nation, One Syllabus’ તરફ સરકારનું મોટું પગલું, તમામ બોર્ડ માટે એકસરખો અભ્યાસક્રમ!

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની નવ સભ્યોની સમિતિએ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે NEET-JEE ના સ્કોર્સ તેમજ 12મા ધોરણના ગુણને મહત્વ આપવાની ભલામણ કરી છે. આ સંદર્ભમાં દેશભરની શાળાઓ માટે અભ્યાસક્રમને એકીકૃત કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

NEET UG 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ એક પ્રશ્ન માટે તમામ ઉમેદવારોને મળી શકે છે 4 બોનસ માર્ક્સ !

NEET UG 2026 માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પરિણામોની સમીક્ષા કર્યા પછી, નિષ્ણાતો માને છે કે NEET UG ના બે પ્રશ્નો વિવાદનો વિષય હતા. આમાંથી એક પ્રશ્ન ડ્રોપ કરવામાં આવશે અને બધા ઉમેદવારોને તેના બદલામાં 4 બોનસ માર્ક્સ આપવામાં આવી શકે છે.

દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા

100 % ગેરરીતિ મુક્ત પરીક્ષાની સરકારે આ વખતે ગેરન્ટી આપી છે. તમામ સેન્ટર અને પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા તો લાગેલા જ છે. સાથોસાથે ઝામર પણ લગાવી દેવામાં આવ્યા છે. પોલીસ અને CRPF દ્વારા પરીક્ષા કેન્દ્રો પર કડક પહેરો ભરવામાં આવી રહ્યો છે. જાણે કોઈ યુદ્ધ હોય તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા નથી પરંતુ સિસ્ટમ ની પણ અગ્નિ પરીક્ષા છે.

Ahmedabad Breaking News: NEET ની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા, મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને જવા દેતા રોષ

અમદાવાદમાં NEET રિએક્ઝામ દરમિયાન વાલીઓએ મોટો હોબાળો કર્યો. મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ સાથે પ્રવેશ મળ્યો, જ્યારે હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા જેવા ધાર્મિક પ્રતીકો દૂર કરવાની ફરજ પડાઈ. વાલીઓએ આને સ્પષ્ટપણે ભેદભાવ ગણાવી NTAની ગાઈડલાઈન્સના અમલીકરણ પર સવાલો ઉઠાવ્યા અને સમાનતાના અધિકારનો ભંગ ગણાવ્યો છે.

Breaking News : NEET-UGની આજે 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, NTA માટે પડકારજનક સ્થિતિ !

NEET-UG પુનઃપરીક્ષા આજે 21 જૂને યોજાવાની છે. અંદાજે 22 લાખ ઉમેદવારો ભાગ લેવાના છે. NTAએ પરીક્ષા કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી સુરક્ષા: પેપર લીક રોકવા એજન્સીઓની સંયુક્ત મોકડ્રીલ, શંકાસ્પદો પર ચાંપતી નજર

પેપર લીક કાંડ બાદ 21મી જૂને યોજાનારી NEET ની પુનઃ પરીક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ પર છે. વડોદરાના 17 કેન્દ્રો પર 6,048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Breaking News : NTA એ ભૂલ સુધારી, NEET ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર અબુ ધાબીથી નાગપુર બદલ્યું !

NEET રી-એગ્ઝામ દરમિયાન NTA દ્વારા એક મોટી ભૂલ બહાર આવી હતી. 21 જૂનની પરીક્ષા માટે નાગપુરના એક વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર આપવામાં આવ્યું હતું. અરજી કરતી વખતે પરીક્ષા કેન્દ્ર નાગપુર પસંદ કરવામાં આવ્યું હતું.

Breaking News NEET UG: રી-એક્ઝામ માટે NTAની ફૂલપ્રૂફ તૈયારી, પરીક્ષા પહેલા દેશભરમાં મૉક ડ્રિલ

NEET UG રી-એક્ઝામને લઈને NTAએ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર મૉક ડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા દ્વારા પરીક્ષા વ્યવસ્થા, સુરક્ષા અને ટેક્નિકલ સિસ્ટમની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવશે.

  • Nishat
  • Updated on: Jun 20, 2026
  • 9:45 am

NEET-UG રી-એકઝામ પહેલા અલર્ટ ! જૂના એડમિટ કાર્ડથી નહીં મળે એન્ટ્રી, ખોટા મેસેજથી પણ સાવધાન રહેવા અપીલ

NTA એ ઉમેદવારોને SMS, ઇમેઇલ અને WhatsApp રીમાઇન્ડર મોકલવાનું શરૂ કર્યું છે, જેમાં તેમને 21 જૂન, 2026 ના રોજ યોજાનારી પુનઃપરીક્ષા માટે તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">