નીટ
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. NEETની પરીક્ષા મેડીકલ શિક્ષણ માટે ફરજીયાત છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.
NEET UG પરીક્ષાના ગુણનો ઉપયોગ MBBSમાં પ્રવેશ માટે થાય છે. જ્યારે NEET PG એક્ઝામ માર્ક્સના આધાર પર MS, MD વગેરે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એન્ટ્રી મળે છે. બંને અભ્યાસક્રમોમાં એન્ટ્રી, પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે કાઉન્સેલિંગથી કરવામાં આવે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ એક્ઝામ આપે છે.
પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ
દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે મોટો નિર્ણય લીધો છે. કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક પગલાં લેવાશે.
- Sachin Agrawal
- Updated on: Jul 23, 2026
- 12:29 pm
Breaking News : પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈ મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવા દેશું નહી. પેપર લીકના દોષિતોને કડક સજા મળશે.
- Nirupa Duva
- Updated on: Jul 21, 2026
- 11:27 am
‘One Nation, One Syllabus’ તરફ સરકારનું મોટું પગલું, તમામ બોર્ડ માટે એકસરખો અભ્યાસક્રમ!
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની નવ સભ્યોની સમિતિએ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે NEET-JEE ના સ્કોર્સ તેમજ 12મા ધોરણના ગુણને મહત્વ આપવાની ભલામણ કરી છે. આ સંદર્ભમાં દેશભરની શાળાઓ માટે અભ્યાસક્રમને એકીકૃત કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.
- Meera Kansagara
- Updated on: Jul 8, 2026
- 9:52 am
NEET UG 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ એક પ્રશ્ન માટે તમામ ઉમેદવારોને મળી શકે છે 4 બોનસ માર્ક્સ !
NEET UG 2026 માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પરિણામોની સમીક્ષા કર્યા પછી, નિષ્ણાતો માને છે કે NEET UG ના બે પ્રશ્નો વિવાદનો વિષય હતા. આમાંથી એક પ્રશ્ન ડ્રોપ કરવામાં આવશે અને બધા ઉમેદવારોને તેના બદલામાં 4 બોનસ માર્ક્સ આપવામાં આવી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jun 26, 2026
- 2:03 pm
દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા
100 % ગેરરીતિ મુક્ત પરીક્ષાની સરકારે આ વખતે ગેરન્ટી આપી છે. તમામ સેન્ટર અને પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા તો લાગેલા જ છે. સાથોસાથે ઝામર પણ લગાવી દેવામાં આવ્યા છે. પોલીસ અને CRPF દ્વારા પરીક્ષા કેન્દ્રો પર કડક પહેરો ભરવામાં આવી રહ્યો છે. જાણે કોઈ યુદ્ધ હોય તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા નથી પરંતુ સિસ્ટમ ની પણ અગ્નિ પરીક્ષા છે.
- Mina Pandya
- Updated on: Jun 21, 2026
- 4:45 pm
Ahmedabad Breaking News: NEET ની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા, મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને જવા દેતા રોષ
અમદાવાદમાં NEET રિએક્ઝામ દરમિયાન વાલીઓએ મોટો હોબાળો કર્યો. મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ સાથે પ્રવેશ મળ્યો, જ્યારે હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા જેવા ધાર્મિક પ્રતીકો દૂર કરવાની ફરજ પડાઈ. વાલીઓએ આને સ્પષ્ટપણે ભેદભાવ ગણાવી NTAની ગાઈડલાઈન્સના અમલીકરણ પર સવાલો ઉઠાવ્યા અને સમાનતાના અધિકારનો ભંગ ગણાવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 21, 2026
- 2:46 pm
Breaking News : NEET-UGની આજે 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, NTA માટે પડકારજનક સ્થિતિ !
NEET-UG પુનઃપરીક્ષા આજે 21 જૂને યોજાવાની છે. અંદાજે 22 લાખ ઉમેદવારો ભાગ લેવાના છે. NTAએ પરીક્ષા કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.
- Dhruval Shah
- Updated on: Jun 21, 2026
- 7:48 am
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી સુરક્ષા: પેપર લીક રોકવા એજન્સીઓની સંયુક્ત મોકડ્રીલ, શંકાસ્પદો પર ચાંપતી નજર
પેપર લીક કાંડ બાદ 21મી જૂને યોજાનારી NEET ની પુનઃ પરીક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ પર છે. વડોદરાના 17 કેન્દ્રો પર 6,048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2026
- 8:18 pm
Breaking News : NTA એ ભૂલ સુધારી, NEET ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર અબુ ધાબીથી નાગપુર બદલ્યું !
NEET રી-એગ્ઝામ દરમિયાન NTA દ્વારા એક મોટી ભૂલ બહાર આવી હતી. 21 જૂનની પરીક્ષા માટે નાગપુરના એક વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર આપવામાં આવ્યું હતું. અરજી કરતી વખતે પરીક્ષા કેન્દ્ર નાગપુર પસંદ કરવામાં આવ્યું હતું.
- Dhruval Shah
- Updated on: Jun 20, 2026
- 1:49 pm
Breaking News NEET UG: રી-એક્ઝામ માટે NTAની ફૂલપ્રૂફ તૈયારી, પરીક્ષા પહેલા દેશભરમાં મૉક ડ્રિલ
NEET UG રી-એક્ઝામને લઈને NTAએ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર મૉક ડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા દ્વારા પરીક્ષા વ્યવસ્થા, સુરક્ષા અને ટેક્નિકલ સિસ્ટમની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
- Nishat
- Updated on: Jun 20, 2026
- 9:45 am
NEET-UG રી-એકઝામ પહેલા અલર્ટ ! જૂના એડમિટ કાર્ડથી નહીં મળે એન્ટ્રી, ખોટા મેસેજથી પણ સાવધાન રહેવા અપીલ
NTA એ ઉમેદવારોને SMS, ઇમેઇલ અને WhatsApp રીમાઇન્ડર મોકલવાનું શરૂ કર્યું છે, જેમાં તેમને 21 જૂન, 2026 ના રોજ યોજાનારી પુનઃપરીક્ષા માટે તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે.
- Devankashi rana
- Updated on: Jun 19, 2026
- 1:05 pm
Breaking News : NEET રી-એગ્ઝામના વધતા સ્ટ્રેસથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન
NEET પરીક્ષાના અનિયમિતતાના આક્ષેપો વિવાદ બાદ અગાઉની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓ પર સતત સ્ટ્રેસ વધતો હતો. વધતા સ્ટ્રેસને કારણે ઘણા વિદ્યાર્થીઓએ તેમનું જીવન ટુકાવ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jun 18, 2026
- 2:02 pm
કાનુની સવાલ : શું સરકાર ભારતમાં કોઈપણ એપ પર પ્રતિબંધ મૂકી શકે? જો હાં તો… કેવી રીતે અને કયા કાયદા હેઠળ?
કેન્દ્ર સરકારે NEET-UG પરીક્ષાને કારણે ટેલિગ્રામને અસ્થાયી રૂપે બ્લોક કરી દીધું હતું. ટેલિગ્રામે હવે સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. ટેલિગ્રામ એપના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ ડ્યુરોવે ગંભીર આરોપ લગાવ્યો છે. તો ચાલો જાણીએ કાનુન શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2026
- 1:59 pm
22 જૂને છે UGC NET પરીક્ષા, જાણો રિપોર્ટિંગ ટાઈમ, સેન્ટર પર આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખો
UGC NET 2026 Exam: UGC NET પરીક્ષા 22 થી 30 જૂન દરમિયાન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજાવાની છે. પ્રવેશ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે, અને NTA એ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. NTA એ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર લાવવા માટેના દસ્તાવેજો વિશે માહિતી આપી છે.
- Meera Kansagara
- Updated on: Jun 18, 2026
- 1:12 pm
ટેલિગ્રામ પ્રતિબંધને લઈને CEO પાવેલ દુરોવનો મોટો દાવો, 15 કરોડ યુઝર્સને અસર !
ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવે મંગળવારે, 16 જૂને કહ્યું કે ભારતે ટેલિગ્રામ પર જે અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે તેના કારણે દેશના 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સને વગર કારણે મુશ્કેલી પડી છે.
- Dhruval Shah
- Updated on: Jun 17, 2026
- 9:35 am