
લેબનોન
લેબનોન પશ્ચિમ એશિયામાં સ્થિત એક નાનો દેશ છે. તેની રાજધાની ‘બેરૂત’ છે, જે મધ્ય પૂર્વના સૌથી જૂના અને મોટા શહેરોમાંનું એક છે. તે દક્ષિણમાં ઇઝરાયેલ અને ઉત્તર અને પૂર્વમાં સીરિયાથી ઘેરાયેલું છે. લેબનોનને 1943માં આઝાદી મળી હતી. જે પહેલા આ દેશ પર રોમન, બાયઝેન્ટાઇન, આરબ અને ઓટ્ટોમન સામ્રાજ્યનું શાસન હતું અને 20મી સદીમાં તેનું નિયંત્રણ ફ્રાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. લેબનોન વર્ષ 1944માં સ્વતંત્ર દેશ બન્યો. બેંકિંગ અને પર્યટન એ લેબનીઝ અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો છે. પરંતુ 21મી સદીમાં દેશ મંદી, સરકારી અસ્થિરતા અને 2020માં બેરૂતમાં ખતરનાક વિસ્ફોટ જેવા અનેક સંકટનો સામનો કરી રહ્યો છે. લેબનોન બહુસાંસ્કૃતિક અને બહુ-ધાર્મિક રાષ્ટ્ર છે.
દેશની રાજનીતિ પર ધર્મનો નોંધપાત્ર પ્રભાવ છે અને તે ખાસ કરીને નાજુક સંતુલન સાથે કાર્ય કરે છે. લેબનોનનો દક્ષિણ ભાગ અને હિઝબુલ્લા સંગઠન પણ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. લેબનીઝ સિવિલ વોર, જે 1975-1990 વચ્ચે થયું હતું, તે દેશના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અહીંના પારંપારિક ખોરાક ‘હમ્મસ’, ‘ટબ્યુલે’, ‘ફત્તૂશ’ ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત આ દેશ સંગીત અને કલા માટે પણ જાણીતો છે.
તખ્તાપલટો થયા બાદ પણ કેમ ઈઝરાયેલ સીરિયામાં કરી રહ્યું છે હુમલા ?
સીરિયામાં અસદ સરકારના પતન પછી, સીરિયા પર ઇઝરાયેલ પોતાનો કબજો વધારી રહ્યું છે, આ સિવાય ઇઝરાયેલ સતત સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે અને તેને નષ્ટ કરી રહ્યું છે. ઈઝરાયેલ દ્વારા આવું કરવા પાછળ ઘણા કારણો છે. જાણો
- TV9 Gujarati
- Updated on: Dec 11, 2024
- 4:17 pm
સીરિયામાં અસદ સરકાર કેવી રીતે પડી, ગાઝા-યુક્રેન-લેબનોન યુદ્ધ સાથે શું છે કનેક્શન ?
સીરિયા પર આટલી ઝડપથી કાબૂ મેળવવો એ સરળ કામ નથી, આ લડાઈમાં ઘણા પરિબળોએ બળવાખોર જૂથોને ટેકો આપ્યો છે. આ સાથે જ ગાઝા, લેબનોન અને ઈરાનનું ઈઝરાયેલ સાથે લડવું અને યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ પણ મહત્ત્વના પરિબળો સાબિત થયા છે.
- Dilip Chaudhary
- Updated on: Dec 8, 2024
- 5:03 pm
એક પછી એક દુશ્મનને જહન્નમ પહોચાડતું ઈઝઝરાયેલ, હિઝબુલ્લાહના હાશેમ સફીદ્દીનને પણ ઉતાર્યો મોતને ઘાટ
નસરાલ્લાહ બાદ ઈઝરાયેલની સેનાએ હવે હિઝબુલ્લાહના નંબર ટુ ગણાતા લીડર હાશેમ સફીદ્દીનની પણ હત્યા કરી હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાત હાશેમ સફીદ્દીનના મોતના લગભગ ત્રણ સપ્તાહ બાદ કરવામાં આવી છે. અહેવાલ છે કે ગત 3-4 ઓક્ટોબરના રોજ બેરૂતમાં ઇઝરાયેલે કરેલા ભીષણ હુમલામાં હાશેમ સફીઉદ્દીનનું મૃત્યુ થયું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2024
- 1:45 pm
ઈઝરાયલ PM નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો હુમલો, ડ્રોન એટેકમાં થયું મોટુ નુકસાન
હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, હિઝબુલ્લાએ આજે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે. આઈડીએફના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ત્રણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
- Devankashi rana
- Updated on: Oct 19, 2024
- 2:33 pm
યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત કરી દઈએ……નેતન્યાહુએ જાહેરાત સાથે રાખી આ શરત
ઈઝરાયેલે અત્યાર સુધીમાં હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓને ખતમ કરી નાખ્યાં છે. ગાઝા પટ્ટીમાં હમાસની કમર તોડી નાખી છે. હમાસના છેલ્લા ટોચના નેતા યાહ્યા સિનવારને પણ ગુરુવારે બે સાથીદારો સાથે ઈઝરાયેલના હુમલાનો શિકાર બનાવ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી છે. નેતન્યાહુએ સિનવારના મૃત્યુ બાદ, નેતા વિનાના હમાસને મોટી ઓફર કરી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 18, 2024
- 2:15 pm
15 દિવસમાં જ ઘૂંટણિયે પડ્યું હિઝબુલ્લાહ, ઇઝરાયેલને કરી યુદ્ધવિરામની અપીલ
ઇઝરાયેલની સેનાએ થોડા દિવસોમાં હિઝબુલ્લાહના ઘણા ટોચના નેતાઓને ખતમ કરી દીધા છે. હસન નસરાલ્લાહ બાદ તેનો ઉત્તરાધિકારી સફીઉદ્દીન પણ માર્યો ગયો છે. ત્યારે 15 દિવસમાં જ હિઝબુલ્લાહ ઘૂંટણિયે પડી ગયું છે અને ઇઝરાયેલને યુદ્ધવિરામની અપીલ કરી છે.
- Dilip Chaudhary
- Updated on: Oct 10, 2024
- 7:22 pm
ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના 17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં
Israel Gaza War : ગાઝા યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવા પર, ઇઝરાયેલ આર્મીએ છેલ્લા એક વર્ષમાં હાથ ધરેલા તેના ઓપરેશન્સ વિશે એક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં તેણે ગાઝાથી લેબનોન સુધી કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી વિશે જણાવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 7, 2024
- 2:31 pm
ઈઝરાયેલે લેબનોનમાં મચાવી તબાહી, 2000થી વધુ લોકોના મોત, 12 લાખથી વધુ બેઘર
ઇઝરાયેલ લેબનોનમાં એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ઇઝરાયેલના હુમલા લેબનોનમાં ભારે તબાહી મચાવી રહ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આ સિવાય ઈઝરાયેલ ગાઝા અને વેસ્ટ બેંકમાં પણ પોતાના હુમલા ચાલુ રાખી રહ્યું છે.
- Tanvi Soni
- Updated on: Oct 5, 2024
- 9:41 am
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ભારત પહેલાથી જ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષ અને યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે અને સંબંધિત પક્ષોને સંયમ રાખવાનો અનુરોધ પણ કર્યો છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ સંઘર્ષ વ્યાપક સ્વરૂપ લેવો જોઈએ નહીં.
- TV9 Gujarati
- Updated on: Oct 4, 2024
- 2:47 pm
ઈરાને મોટી ભૂલ કરી..કિંમત ચૂકવવી પડશે, યોગ્ય સમયે અપાશે જડબાતોડ જવાબ, ઈરાનના હુમલા બાદ નેતન્યાહુ એક્શન મોડમાં
ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઈરાનના આ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ એક્શન મોડમાં આવી ગયા છે. નેતન્યાહુએ કહ્યું, ઈરાને મોટી ભૂલ કરી છે અને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ વધુમાં કહ્યું કે, જે પણ અમારા પર હુમલો કરશે, અમે તેના પર હુમલો કરીશું.
- TV9 Gujarati
- Updated on: Oct 2, 2024
- 9:24 am
ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકવાદી હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 8ના મોત
ઈઝરાયેલના તેલ અવીવમાં જાફા સ્ટેશન પછી અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. આ સિવાય ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઈરાનના મિસાઈલ હુમલા પહેલા કરવામાં આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Oct 2, 2024
- 8:45 am
એક સમયે ખ્રિસ્તી બહુમતી ધરાવતો દેશ લેબનોન કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ ?
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ અસર લેબનોનમાં રહેતા સામાન્ય લોકોને થઈ રહી છે. આ દેશ એક સમયે સમૃદ્ધિ અને વિવિધતાનો પર્યાય હતો, પરંતુ હવે તે ધાર્મિક સંઘર્ષના જાળામાં ફસાઈ ગયો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, લેબનોન કેવી રીતે એક ખ્રિસ્તી દેશમાંથી મુસ્લિમ દેશ બન્યો.
- Dilip Chaudhary
- Updated on: Oct 1, 2024
- 7:20 pm
ઇઝરાયલે તેના વધુ એક દુશ્મનને કર્યો ખતમ, હમાસ કમાન્ડર ફતેહ શરીફનું લેબનોનમાં હવાઈ હુમલામાં મોત
ઈઝરાયેલના વધુ એક હુમલામાં હમાસની લેબનોન શાખાના કમાન્ડર ફતેહ શરીફનું મોત થયું છે. ઈઝરાયેલની એરફોર્સે આ જાણકારી આપી છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું હતું કે તેણે હમાસની લેબનોન શાખાના વડા ફતાહ શરીફને ખતમ કરી દીધો છે.
- Dilip Chaudhary
- Updated on: Sep 30, 2024
- 7:56 pm
મહિનાઓથી ઈઝરાયલના નિશાને હતો નસરાલ્લાહ, જાણો કેવી રીતે શોધીને ખાત્મો બોલાવ્યો ?
નસરાલ્લાહને ખતમ કરવાની જાહેરાત પછી, આઈડીએફએ નસરાલ્લાહનું સ્થાન કેવી રીતે શોધી કાઢ્યું, નસરાલ્લાહના મૃત્યુનો આદેશ કોણે આપ્યો ? તે અંગે ચર્ચાઓ વધી જવા પામી છે. ઇઝરાયેલના ત્રણ અધિકારીઓએ હવે આ અંગે ખુલાસો કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 29, 2024
- 2:36 pm
હિઝબુલ્લાના ડ્રોન કમાન્ડરને ઈઝરાયેલે ઉતાર્યો મોતને ઘાટ, નેતન્યાહુએ ખાધી કસમ, હમાસની જેમ હિઝબુલ્લાનો પણ ખુડદો બોલાવીશું
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની જેમ હિઝબુલ્લાહનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જ્યાં સુધી હિઝબુલ્લાહ આતંકવાદીઓ સરહદ પારથી અમારા પર રોકેટ છોડવાનું બંધ ના કરે ત્યા સુધી તેમના પર હુમલા કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Sep 27, 2024
- 2:09 pm